વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની જીતનું ગણિત: કોંગ્રેસની ટક્કર છતાં કેમ લહેરાયો ભગવો?
ઓછા મતદાન અને કોંગ્રેસના કડાકા છતાં ભાજપનું મજબૂત સંગઠન અને દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના નામે માંજલપુરમાં બચાવ્યો ગઢ; જાણો ચૂંટણીના રસપ્રદ પરિણામો

ગુજરાતના વડોદરાની માંજલપુર વિધાનસભાની બેઠક ફરી એક વખત ભાજપનો દબદબો રહ્યો છે. સોમવારે જાહેર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલ (સતીષ પટેલ)એ કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 30,630 મતથી હરાવ્યા છે. એની સાથે 2012ની સીટ પરથી જીત અને સીટને પોતાની પાર્ટીના નામે અકબંધ રાખવામાં સફળતા મળી છે. અગાઉના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી બેઠક ખાલી થઈ હતી. 2022માં વિધાનસભ્યની ચૂંટણીમાં યોગેશ પટેલને એક લાખથી વધુ મતથી જીત થઈ હતી, પરંતુ આ વખતની સીટ પર જીત્યા પછી ભાજપની ખુશી ડબલ થઈ નથી. સામે પક્ષે બે સીટ એટલે મધ્ય પ્રદેશ અને બિહારમાં હાર્યું છે.
ઓછું મતદાન છતાં ભાજપએ પોતાનો ગઢ બચાવ્યો
ત્રણ પેટાચૂંટણીની બેઠક બિહાર અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટો ઝટકો મળ્યો છે, પરંતુ માંજલપુરમાં પાર્ટી પોતાની સીટ બચાવવામાં સફળ રહી છે. ત્યારે સવાલ થાય કે ઓછા મતદાન છતાં ભાજપ અહીં કઈ રીતે જીત્યું અને પોતાનો ગઢ કઈ રીતે બચાવી શક્યો. જાણી લઈએ સમીકરણોમાં એવા તો શું કારણ છે.
આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝિટ ગુમાવી નથી
ભાજપના દિવંગત વિધાનસભ્ય યોગેશ પટેલ આઠ વખત વિધાનસભ્ય રહ્યા છે. માંજલપુરની બેઠક બનાવવામાં આવ્યા પછી ત્રણેય ચૂંટણીમાં જીત્યા છે. 2022માં તો અહીંની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ વખતે કોંગ્રેસના ઉમેદવારને વધુ મત મળ્યા છે, તેથી પોતાની ડિપોઝિટ બચાવી લીધી છે, પરંતુ જીતી શક્યા નથી. યોગેશ પટેલના નિધન પછી કોઈ પરિવારમાંથી ચૂંટણી લડશે નહીં એવું નક્કી કર્યું હતું, તેથી જૂના કાર્યકર્તા સતીષ પટેલને ટિકિટ આપી હતી. યોગેશ પટેલના નામ અને કામનો ફાયદો સતીષ પટેલને મળ્યો છે.
ઓછું મતદાન છતાં ભાજપને મળ્યા 69 ટકા વોટ
ગુજરાતમાં ભાજપનો ગઢ માનવામાં આવે છે, કારણ કે રાજ્યની દરેક વિધાનસભાની સીટ અને બૂથ ભાજપ માટે મજબૂત સંગઠન છે. આ સંગઠનો જ ભાજપની મોટી શક્તિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવે છે, જ્યારે તેનો સીધો લાભ ભાજપને મળે છે. વડોદરામાં પણ ભાજપનું દરેક બૂથ પર મજબૂત પકડ છે. આ જ કારણથી ઓછું મતદાન છતાં ભાજપને 69 ટકા મત મળ્યા છે.
સરળ લાગતી ચૂંટણીમાં પણ કોંગ્રેસે ટક્કર આપી
શહેરી વિસ્તારમાં ભાજપનું વધુ પ્રભુત્વ રહ્યું છે. સૌથી વધુ વસ્તી ધરાવનારા શહેર પૈકી વડોદરાની માજલપુર બેઠક પણ શહેરી વિસ્તારમાં આવે છે, જ્યાં સૌથી વધુ મતદાર શહેરી છે. ભાજપના કોર વોટર મનાય છે, તેથી ભાજપની જીત માટે વિશ્વાસ ધરાવતા હતા. એવું પણ મનાય છે કે આ વખતની ચૂંટણી પણ એકતરફી રહેશે, પરંતુ અઢાર રાઉન્ડ સુધીની ટક્કર પછી 19મી રાઉન્ડમાં લીડ પછી જીતના સંકેત મળ્યા હતા. અહીંની બેઠક પર ભાજપએ સંપૂર્ણ જોર લગાડ્યું હતું જ્યાં સીએમથી લઈને નાયબ મુખ્યમંત્રીએ પ્રચાર કર્યો હતો. ભાજપપ્રદેશ પ્રમુખે પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. કહેવાય છે સરકાર તરફથી પણ બે મંત્રીને ચૂંટણી સંબંધિત કામ સોંપવામાં આવ્યું હતું કે કોઈ ભૂલચૂક થાય નહીં. ઓછું મતદાન થવાના ડરને કારણે પોતાના મતદારોને ખાસ કરીને મતદાન કરવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે જૂના મંત્રીને 35-36 વર્ષ પછી ઉમેદવાર બનાવ્યા
ગુજરાતના શહેરી વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસ સહિત વિપક્ષ નબળો પુરવાર થયા છે, જ્યારે તેનો સીધો ફાયદો ભાજપને મળે છે. માજલપુર સીટ પરથી કોંગ્રેસે પોતાના જૂના જોગીને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વ નથી, જ્યારે અંદરોઅંદરની ખેંચીખેંચી પણ કારણભૂત છે.
1985થી 1989 સુધી કોંગ્રેસ સરકારમાં મંત્રી રહ્યા હતા, એના પછી ડાયરેક્ટ 2026માં ઉતાર્યા હતા. એટલે જૂના મંત્રીને છેક 35-40 વર્ષે યાદ આવ્યા. શહેરી વિસ્તારમાં કોંગ્રેસની પક્કડ પણ નથી, તેથી કોંગ્રેસ ટક્કર આપી શક્યું નથી. સૌથી મહત્ત્વની વાત ભાજપ માટે એ છે કે છેલ્લી આઠ પેટા ચૂંટણીમાં 40 ટકાથી ઓછું મતદાન ક્યારેય થયું નથી, જ્યારે માજલપુરમાં થયું હતું. આ વખતની ચૂંટણીમાં 80,000 મત પડ્યા છે, પરંતુ અગાઉ સ્વ. યોગેશ પટેલ તો એક લાથી જીત્યા હતા.
