સાવધાન! શું તમે પણ રોટલી પર વધારે ઘી ચોપડીને ખાવ છો? પહેલાં આ વાંચી લો…
ભારતીય ઘરોમાં ગરમાગરમ રોટલી પર દેશી ઘી ચોપડીને ખાવાની પરંપરા સદીઓ જૂની છે. ઘી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. પરંતુ કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. ઘણા લોકો સ્વાદના ચક્કરમાં રોટલી પર જરૂર કરતાં ઘણું વધારે ઘી લગાવીને ખાય છે.
આરોગ્ય નિષ્ણાતો અને ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, મર્યાદિત માત્રામાં ઘીનું સેવન પાચન અને હાડકાં માટે સારું છે, પરંતુ રોટલી પર વધારે પડતું ઘી લગાવીને ખાવાથી શરીરને ગંભીર આડઅસરોનો સામનો કરવો પડી શકે છે.
રોટલી પર વધારે પડતું ઘી ખાવાના મુખ્ય ગેરફાયદા:
ઘીમાં સેચ્યુરેટેડ ફેટ્સનું પ્રમાણ વધારે હોય છે. રોટલી પર વધારે પડતું ઘી ખાવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધવા લાગે છે, જેનાથી ધમનીઓમાં બ્લોકેજ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ઘી કેલરી-ડેન્સ ફૂડ છે. રોટલી સાથે વધુ પડતું ઘી ખાવાથી શરીરમાં વધારાની કેલરી જમા થાય છે, જે વજન અને પેટની ચરબી વધારવાનું મુખ્ય કારણ બને છે. વધારે માત્રામાં ચરબીનું સેવન લિવર પર વધારાનો ભાર વધારે છે, જેનાથી નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ થવાની શક્યતા વધી જાય છે.
મળતી માહિતી અનુસાર અતિશય ઘી ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે અપચો, ગેસ, પેટનું ફૂલવું (Bloating) અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પ્રમાણમાંમાં ઘી ખાવાને કારણે મેટાબોલિઝમ ધીમું થાય છે, જે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે સ્થિતિ વધુ જટિલ બનાવી શકે છે.
દરરોજ કેટલું ઘી ખાવું સુરક્ષિત છે?:
સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિ માટે દરરોજ એકથી બે નાની ચમચી કે પછી પાંચથી 10 મિલી શુદ્ધ દેશી ઘી ખાવું પૂરતું અને ફાયદાકારક માનવામાં આવે છે. હૃદયરોગ, હાઈ કોલેસ્ટ્રોલ કે ફેટી લિવર ધરાવતા દર્દીઓએ પોતાના ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ મુજબ જ ઘીનું સેવન કરવું જોઈએ.
