સૂર્યગ્રહણ, શનિ ગોચર અને અમાસનો દુર્લભ સંયોગ, ફરી જશે આ રાશિના જાતકોના દિવસ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2025નો માર્ચ મહિનો પણ ખૂબ જ ખાસ રહેવાનો છે. મહિનાના અંતમાં એટલે કે 29મી માર્ચના આજના દિવસે એક ખૂબ જ દુર્લભ એવો મહાસંયોગ બની રહ્યો છે, જેને જ્યોતિષીઓ ખૂબ જ મહત્ત્વનો માની રહ્યા છે. વાત જાણે એમ છે કે આજે દિવસે જ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે. એટલું જ નહીં, આ જ દિવસે શનિ અમાસ છે અને ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે.
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ મહાસંયોગ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. ત્રણ રાશિના જાતકોને આ મહાસંયોગને કારણે લાંબા સમય સુધી ખૂબ જ શુભ પરિણામ મળી રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના દિવસો બદલાઈ રહ્યા છે-
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકોને કળા, શિક્ષણ અને રોકાણમાં ખૂબ જ સફળતા મળશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ રહ્યો છે. જીવનનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. જીવનમાં મિઠાશ વધી રહી છે. સંતાન તરફથી કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે. ભણવાની કે નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે.
મકરઃ મકર રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે પ્રમોશન કે પગાર વધારાના યોગ બની રહ્યા છે. વેપાર કરી રહેલાં વેપારીઓને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. કોઈ જૂની બીમારીથી છુટકારો મળી રહ્યો છે. જીવનમાં ખુશહાલી આવશે, પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
કુંભઃ કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ સમયગાળા દરમિયાન ખૂબ જ સારી રહેશે. પ્રોપર્ટી ખરીદવા કે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય છે. આકસ્મિક ધનલાભ થશે. નોકરીના સ્થળે પણ કોઈ લાભ થઈ રહ્યો છે. વિદેશમાં નોકરી કે બિઝનેસ કરવાનો વિચાર કરી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. માતા-પિતાનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.