July 13, 2026
વાંચન વૈવિધ્યમ

સંસ્કૃત ન આવડતું હોવા છતાં આસામની મહિલાએ 280 ફૂટ લાંબી સાડી પર વણી દીધી સંપૂર્ણ ભગવદ્ ગીતા

Spread the love

અથાક મહેનતથી મુગા સિલ્ક સાડી પર ભગવદ્ ગીતાના શ્લોકોનું અદ્ભુત વણાટકામ કરીને મેળવ્યો પદ્મશ્રી પુરસ્કાર

કોઈ પણ કામ સામાન્ય જ કેમ ના હોય પણ જો લગન અને ધીરજ જો કેળવવામાં આવે તો વ્યક્તિ પોતાની સ્કિલ અનુસાર કોઈ પણ કામમાં ચારચાંદ ચોક્કસ લગાવે છે. વાત કરીએ એવી મહિલાની સિદ્ધિની જે પોતે સંસ્કૃત જાણીતી નહીં હોવા છતાં બે વર્ષના લાંબા સમયગાળા પછી સાડી પર શ્રીમદ ભગવત ગીતાનું વણાટકામ કર્યું હતું. સંસ્કૃત આવડતું નહીં હોવા છતાં પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત એ મહિલાએ 280 ફૂટ લાંબી સાડી પર ગીતાજીના શ્લોકનું વણાટકામ કર્યું હતું, જેને લઈ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કારણ બન્યા છે.

એ મહિલાની સાચી ઓળખ આપીએ તો તે છે આસામના હાથવણાટ કામ કરનાર માસ્ટર હિમોપ્રોવા ચુટીઆ. આસામમાં માસ્ટર તરીકે પણ ઉપમા ધરાવે છે. મીડિયાના અહેવાલ અનુસાર સંસ્કૃત વાંચતા ન આવડતું હોવા છતાં અને અંગ્રેજીમાં અસ્ખલિત બોલતા નહીં હોવા છતાં તેમણે હાથવણાટના કાપડ પર સંપૂર્ણ ભગવદ્ ગીતાનું અત્યંત મહેનતપૂર્વક ભરતકામ કર્યું હતું. સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોવા છતાં, અક્ષરોની આકૃતિ જોઈને તેમણે આ જટિલ વણાટકામ પૂર્ણ કર્યું, જે તેમની અદ્ભુત ધીરજ દર્શાવે છે.

હાથવણાટમાં પરંપરાગત કારીગરી અને કાપડ કલામાં તેમના અસાધારણ યોગદાન બદલ તેમને પાછળથી ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. હેમોપ્રોવા દિબ્રુગઢ જિલ્લાના મોરાનના વતની છે, જે પ્રદેશ તેની સમૃદ્ધ વણાટ સંસ્કૃતિ માટે જાણીતો છે. વર્ષોથી, તેમણે પોતાના કામ દ્વારા પરંપરાગત આસામી વણાટ તકનીકોને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે નામના મેળવી છે.

તેમણે આસામના પ્રખ્યાત સુવર્ણ રેશમ ‘મુગા સિલ્ક’ સાથે વ્યાપક કામ કર્યું છે અને પરંપરાગત પદ્ધતિઓ સાથે જોડાયેલા રહીને કાપડ કલાના વિવિધ સ્વરૂપો સાથે પ્રયોગો કર્યા છે. પરંપરાગત આસામી વણાટથી વિપરીત, જેમાં અવારનવાર ફૂલો અને ભૌમિતિક ભાત (ડિઝાઇન) જોવા મળે છે, હેમોપ્રોવાએ સુતરાઉ અને રેશમી ગમોછા (પરંપરાગત આસામી રૂમાલ/ટુવાલ)માં જટિલ મણકાકામ (બીડવર્ક)ની રજૂઆત કરી, જેમણે આસામના સૌથી પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીકોમાં એક નવો આયામ ઉમેર્યો હતો. તેમની કૃતિઓ માત્ર કારીગરી જ નહીં, પરંતુ કાપડના માધ્યમથી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

અન્ય ધાર્મિક ગ્રંથોનું વણાટકામ: હેમોપ્રોવા ચુટીઆએ માત્ર ભગવદ્ ગીતા જ નહીં, પરંતુ આસામી ભાષામાં શંકરદેવ દ્વારા રચિત ‘ગુણમાલા’ (Gunamala) અને ‘નામ ઘોષા’ (Naam Ghosha)નું પણ કપડાં પર અદ્ભુત વણાટકામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!