ઘરમાં સમૃદ્ધિ માટે વાસ્તુ શાસ્ત્રના આ પાંચ નિયમનું પાલન કરી શકો
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં અમુક વસ્તુઓને રાખવા માટે ખાસ નિયમ બનાવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુના પાંચ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિના ભંડાર રહે છે. એની સાથે ઘરમાં લક્ષ્મી માતાજીનો વસવાટ રહે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. ચાલો તમારા માટે જણાવી દઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાંચ ખાસ નિયમો.
દરવાજાની સાફ સફાઈ કરવાનું ભૂલશો નહીં
વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ ઘરના મુખ્ય દરવાજાને હંમેશાં સાફ-સ્વચ્છ રાખો. ઘરના દરવાજામાં પર્યાપ્ત લાઈટિંગની વ્યવસ્થા રાખો. એની સાથે એક નેમ પ્લેટ પણ રાખો. જોકે, નેમ પ્લેટ લગાવતી વખતે એક વાતનું ધ્યાન રાખો, જેમાં કાળા રંગની ના હોય. એના સિવાય શક્ય હોય તો દરવાજામાં શનિવારના દિવસે એક દીપક કરવાનું પણ રાખો.
ડ્રોઈંગ રુમમાં પોઝિટિવિટી જળવાય એનું ધ્યાન રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના ડ્રોઈંગ રુમમાં પર્યાપ્ત લાઈટિંગની વ્યવસ્થા રાખો. તેમ જ હળવા રંગની દીવાલ રાખો. ઉપરાંત, ઘરમાં પર્યાપ્ત લાઈટિંગની સાથે સુગંધિત રાખવાની સાથે હળવા રંગના પેઈન્ટિંગ લગાવો, તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે. ઘરના સભ્યો પણ તેનાથી પોઝિટિવિટી અનુભવી શકે છે.
કિચનમાં દરેક લોકોને એન્ટ્રી આપશો નહીં
કિચનના મુખ્ય ડોરની સામે ફાયર અથવા પાણીની વસ્તુઓને રાખશો નહીં. કિચનમાં સૂર્યની રોશની આવે તો બેટર રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનાં દરેક લોકોને આવવા દેશો નહીં. કિચનમાં સાફ સફાઈ રાખવાનું ભૂલશો નહીં.
ઘરમાં બાથરુમને પણ સાફસૂથરું રાખો
વાસ્તુ શાસ્ત્રના અનુસાર બાથરુમને સાફ સૂથરું રાખો, કાણ કે આ જગ્યાએથી દરેક સમસ્યાઓને નિયંત્રિત કરે છે. પાણીનો બિનજરુરી દુરુપયોગ કરશો નહીં. બાથરુમમાં ખાસ કરીને ગ્રીન રંગનો ઉપયોગ કરવાનું પણ શુભ માનવામાં આવે છે. બાથરુમમાં રાતના સમયગાળા દરમિયાન બાલ્દીમાં પાણી ભરીને રાખશો નહીં તેમ જ ખાલી બાલ્દીને હંમેશાં ઊંધી રાખવાનું ભૂલશો નહીં.
ઘરમાં સીડી હોય તો આટલું ધ્યાન રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સીડીના સંબંધને રાહુ કેતુનો મનાય છે. ખોટી સીડીઓને કારણે મુશ્કેલી આવે છે. દક્ષિણ પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણા)માં સીડા રાખવાનું ઉત્તમ માનવામાં આવે છે. સીડીનું નિર્માણ સ્થળ પણ ઉત્તરથી દક્ષિણ દિશામાં હોવાનું જરુરી રહે છે, જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. સીડીઓ જેટલી વળાંકવાળી હોય એટલું સારું માનવામાં આવે છે.