એસબીઆઈની એસઆઈપી સ્કીમને જાણી લો ફાયદામાં રહેશોઃ દર મહિને 250 રુપિયાનું કરો રોકાણ…
આમ કે આમ ગુટલિયો કે ભી દામ આ હિન્દી કહેવતના માફક જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવા ઈચ્છ ધરાવતા હો તો તમારા બા પરિવારમાં કોઈના નામે પણ નાનામાં નાનું રોકાણ કરવું ફાયદાકારક રહે છે. એસબીઆઈની જનનિવેશ એસઆઈપી સ્કીમ અન્વયે ફક્ત 250 રુપિયાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શરુઆત કરો, જેમાં ડેઈલી, વીકલી અને મંથલી રોકાણની યોજનાનો સમાવેશ થાય છે.
મૂળ રોકાણ અને બચતની વાત કરીએ તો દરેક વ્યક્તિએ પોતાના જીવન માટે જરુરી મૂડી બચાવવાની સાથે બચતની પણ યોજના કરવી જોઈએ. પોતાની કમાણીનો અમુક હિસ્સો નિવૃત્તિ માટે બચાવવો જોઈએ, જેથી નિવૃત્તિમાં તમે કોઈના પર નિર્ભર રહી શકો નહીં. નાની નાની બચત કરીને પણ તમે અમુક ઉંમરે મોટી રકમ મેળવી શકો છો અને એના માટે એસબીઆઈ લાવ્યું છે એસપીઆઈ સ્કીમ. આ યોજના અન્વયે તમે 250 રુપિયાથી શરુઆત કરી શકો છો, જેમાં દર મહિને નિયમિત રીતે બચત કરીને 17 લાખ રુપિયા સુધીનું ભંડોળ એક્ત્ર કરી શકો છો, કઈ રીતે તો વધુ વિગતે સમજી લો.
એસબીઆઈએ ખાસ કરીને નાનું રોકાણ કરનારા શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે એસઆઈપીની યોજના લોન્ચ કરી છે. રોકાણકાર 250 રુપિયાથી તો શરુઆત કરી શકે છે અને દૈનિક, સાપ્તાહિક અને માસિક રોકાણનો વિકલ્પ પસંદ કરી શકે છે. રોકાણકારો માટે ખાસ કરીને લાંબા ગાળા માટે સિસ્ટમેટિક કરેલુ રોકાણ ફાયદાકારક રહે છે. દા.ત. તમે જો દર મહિને 250 રુપિયાનું રોકાણ કરો તો 17 લાખ રુપિયાથી વધુ ભંડોળ બની શકે છે. એસઆઈપી એક લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટનો વિકલ્પ છે, જેમાં 12-16 ટકા સુધી વળતર મળે છે. 250 રુપિયાનું મંથલી રોકાણ તમે જો 30 વર્ષ સુધી કરો તો પંદર ટકાનું વળતર મળે છે, તેનાથી 17.30 લાખ રુપિયા જમા થાય છે, જેમાં 90,000 મૂડી અને 16.62 લાખ રુપિયાનું રિટર્ન મળે છે.
જો તમે 30 વર્ષના બદલે 40 વર્ષ કરો છો તો તમારી પાસે 78 લાખથી વધુ રુપિયાની રકમ થશે. જો કોઈ રોકાણકાર દર મહિને 250 રુપિયાનું રોકાણ 40 વર્ષ સુધી કરો તો પંદર ટકાનું રિટર્ન મળે છે, જેમાં તમારી જમા રકમ 1.29 લાખ રુપિયા થાય છે, પરંતુ કમ્પાઉન્ડિંગ રિટર્ન સાથે મળીને 77.30 લાખ રુપિયા થાય છે અને કૂલ ફંડ 78.50 રુપિયા થાય છે.
(નોંધઃ કોઈ પણ રોકાણકારે રોકાણ કર્યા પહેલા નિષ્ણાત પાસેથી સલાહ યા માર્ગદર્શન લેવાનું હિતાવહ છે, જેમાં વેસસાઈટ જવાબદાર નથી.)