સૂર્યએ કર્યું શતભિષા નક્ષત્રમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને એમની વિશેષતા વિશે જણાવવામાં આવ્યું છે. જેમ બુધને ગ્રહોના રાજકુમાર, શનિ દેવને ન્યાયના દેવતા, શુક્રને ગ્રહોના સેનાપતિ એ જ રીતે સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે રીતે દરેક ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં થતું ગોચર મહત્ત્વનું છે એ જ રીતે ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન પણ ખૂબ જ મહત્ત્વનું છે.
મળતી માહિતી પ્રમાણે ગ્રહોના રાજા સૂર્ય આજે (19મી ફેબ્રુઆરીના) શતભિષા નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્યના આ ગોચરની તમામ રાશિઓ પર અસર જોવા મળશે, પણ ત્રણ રાશિઓ આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે તેમને દરેક કામમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સુધરશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
કર્કઃ કર્ક રાશિના જાતકો માટે આજે સૂર્યનું થઈ રહેલું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેવાનું છે. આ રાશિના જાતકોની કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ રહી છે. કામના સ્થળે પ્રમોશન, પગાર વધારાના યોગ બની રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. પ્રેમ સંબંધોમાં મિઠાશ આવશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવી રહી છે.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના વેપારી વર્ગ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. બિઝનેસમાં ફાયદો થઈ રહ્યો છે. કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય એકદમ અનુકૂળ સાબિત થવાનો છે. રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ શરૂ થશે.
મીનઃ આ રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્ર પરિવર્તનને કારણે આવકના એક કરતાં વધારે સ્રોત ખૂલી રહ્યા છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ જૂના રોકાણથી લાભ થશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિનું આગમન થશે, જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.