June 30, 2025
વાસ્તુ ટિપ્સ

Vastu Tips: ઘરમાં આ રીતે દૂર કરો નકારાત્મકતા, સફળતા મળશે

Spread the love

ઘર-પરિવારમાં સુખ-શાંતિ રાખવાનું અમુક વખત સમજી વિચારી અને અમુક બાબતનું પાલન કરવાથી ઘરમાં પોઝિટિવિટી રહે છે, તમે સફળતાના શિખરો પણ સર કરી શકો છો. વાસ્તવમાં તમારા ઘરમાં સકારાત્મકતા હોવી જરુરી છે. અમુક ઉપાયો અજમાવો તો પોઝિટિવ એનર્જી ઊભી થાય છે. કહેવાય છે કે સકારાત્મક દૃષ્ટિકોણ યા વિચારણામાં પણ માતા લક્ષ્મીનો વાસ હોય છે.
સફળતામાં મહત્ત્વનું યોગદાન
વ્યક્તિની સફળતા માટે ખાસ કરીને તેના ઘરના માહોલ અથવા આસપાસના વાતાવરણનો પણ મુખ્ય ફાળો હોય છે. જે વ્યક્તિ જેવા માહોલમાં કામ કરે છે તેની અસર એવી જ પડતી હોય છે. ક્યારેક વ્યક્તિ સખત મહેનત કરતી હોવા છતાં સફળતા મળતી નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારી સફળતા માટે ક્યારેક તમારી નેગેટિવિટી પણ વિઘ્ન બને છે. વાસ્તુમાં અમુક એવી વાત કરવામાં આવે છે, જે તમારી નકારાત્મક વિચારને દૂર કરવા સાથે સકારાત્મક વિચાર-એનર્જીનો સંચાર કરે છે અને સફળતાનો માર્ગ પણ મોકળો કરે છે.
માનસિક શાંતિ માટે આમ કરો
જાણીતા વાસ્તુશાસ્ત્રીના મતાનુસાર ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશ અને બે શાલિગ્રામ રાખવા જોઈે. શિવલિંગ ઘરમાં રાખવા જોઈએ નહીં અને જો રાખવાની ઈચ્છા હોય તો બહુ નાના રાખવા. શાલીગ્રામ પણ જેટલા નાના હોય એટલા સારા. દીપકથી એટલે દીવાથી દીવો પ્રગટાવવો નહીં. પૂજા કરો તો પણ પૂજા માટે પાણીનું નાનું વાસણ રાખો. ભગવાનને ફૂલો સાથે ફળનો પણ ભોગ ધરાવો. પૂજો કરી શકો કે નહીં, પરંતુ ઘરમાં એક એવી જગ્યા રાખો જ્યાં તમે ધ્યાન ધરીને ભગવાનનું નામ લઈ શકો, તેનાથી તમને ચોક્કસ માનસિક શાંતિ મળશે.
કંકુનો સ્વસ્તિક પણ બનાવો
ઘરમાં પૂજાપાઠ કરતા હોય તો તમે કંકુ-હળદરથી સ્વસ્તિક બનાવી શકો છો. ઘરના દરવાજામાં કંકુથી સાથિયો બનાવો તેમ જ આસોપાલવના પાનથી પણ પૂજાપાઠ કરી શકો. આસોપાલવના તોરણ બાંધો તો સૂકાઈ ગયા પછી તરત કાઢી લેવાનું રાખો. સવારે ઊઠીને ઘરના મુખ્ય દરવાજાને સફાઈ કરવા સાથે સમય મળે તો ગંગાજળ પણ છાંટી શકો છો. ઘરના દરવાજા સામે કોઈ વૃક્ષ હોય તો તેને હટાવી લેવું. એટ લિસ્ટ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!