June 30, 2025
વાસ્તુ ટિપ્સ

વાસ્તુ ટિપ્સઃ તમારા ઘરમાં ફોટો ફ્રેમ લગાવો છો આ વાતનું ધ્યાન રાખો!

Spread the love

ઘરમાં એવા ફોટોગ્રાફ કે ફોટો ફ્રેમ લગાવો, જેનાથી તમારું તન મન સ્ફૂર્તિ અનુભવે. તમને કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે. સકારાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, તમારા ઘરમાં કોઈ પણ ફોટો પ્રેમ લગાવી હોય તો એના પહેલા અમુક વાતોનું અચૂક ધ્યાન રાખો અને એનું પાલન કરો તો ફાયદામાં રહી શકો છો.
નકારાત્મક અસરો પણ ઊભી થાય
દરેક લોકો પોતાના સપનાના ઘરમાં સજાવટ માટે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે. અમુક લોકો ઘરની દીવાલો પણ પેન્ટિંગ્સ યા ફોટો ફ્રેમનો ઉપયોગ કરે છે. પણ એની અમુક વખત નકારાત્મક અસરો પણ ઊભી થાય છે, તેથી શક્ય હોય એટલા તમારા મન-મસ્તિક પર તેનો સારો પ્રભાવ પડે એવી વસ્તુઓ લગાવો, જેથી તમને ફાયદો થાય.
તસવીરોની પણ થાય છે અસર
ઘરમાં રાખવામાં આવેલી તસવીર-ફોટો ફ્રેમની પણ તમારા મગજ પર સીધી અસર પડે છે, તેનાથી વ્યક્તિને એની આસપાસમાં એ પ્રકારના વિચારો પણ આવે છે. તેથી એ પ્રકારની તસવીરો લગાવવી જે તમારા અને પરિવારના સભ્યોના મગજ પર તેનાથી સકારાત્મક વિચારો આવે. ઘરમાં એવી તસવીરો તો ક્યારેય લગાવવી નહીં, જેનાથી મનમાં ખુશી થાય નહીં અને સકારાત્મક વિચારો પણ ના આવે.
અમુક મેસેજ આપતી તસવીરો લગાવો
ઘરમાં એવી તસવીરો લગાવવી જોઈએ, તેનાથી પ્રેમ, વિશ્વાસ, સહિષ્ણુતાનો મનમાં સંચાર થાય છે. અમુક પ્રેરક ચિત્રો લગાવવા પણ શુભ માનવામાં આવે છે. ધાર્મિક તસવીરોમાં યુદ્ધના દ્રશ્યોથી અલગ ભગવાન શ્રી કૃષ્ણના અર્જુન સાથેના ગીતાના ઉપદેશવાળી તસવીર, કૃષ્ણની ગોપીઓ સાથેની રાસ હોય કે ભગવાન ભોળાનાથ, વિષ્ણુ ભગવાન કે પછી તમારા કોઈ દેવ-દેવીના તસવીરો પણ લગાવી શકો છો. એનાથી વિશેષ તમે કુદરતી દૃશ્યોને પણ લગાવી શકો છો. કુદરતી દૃશ્યોમાં ખાસ કરીને સન રાઈઝ, કુદરતી ઝરણા કે નદી-પર્વતોને રાખી શકો, જે તમને પોઝિટિવ એનર્જી પૂરી પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!