June 30, 2025
કિચન ટિપ્સવાસ્તુ ટિપ્સ

Vastu Tips: કિચનમાં તમે પણ તો નથી કરતા ને આ ભૂલ? આજે જ બંધ કરી દેજો નહીંતર…

Spread the love

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો અને નિયમો વિશે જણાવવામાં આવ્યું છે ઘરના રસોડામાં અમુક નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરનું ધનોતપનોત નીકળી જાય છે તો કેટલાક એવા નિયમો પણ છે કે જેનું પાલન કરીને ઘરનો ઉદ્ધાર થઈ જાય છે.
આજે અમે અહીં તમને આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આ નિયમનું ભૂલથી પણ પાલન કરવાનું ચૂકી જશો તો નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. ચાલો જોઈએ શું છે આ આ નિયમ-
વાસ્તુશાસ્ત્રનો આ નિયમ રસોડામાં રહેલાં રોટલીના તવા સાથે સંકળાયેલો છે. આ તવાને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે અને જો તમે આ નિયમનો ઉલ્લંઘન કરો છો તો તમને નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. ચાલો જાણીએ કે આખરે રસોડામાં આખરે તવો કઈ રીતે રાખવો જોઈએ.
* વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં તવાને ક્યારેય પણ ઊંધો વાળીને ના રાખવો જોઈએ. આવું કરવાથી પારિવારિક સમસ્યાઓ પેદા થાય છે અને ઘરમાં તાણનો માહોલ જોવા મળે છે.
* તવો અને કઢાઈ જેવા વાસણોને તમે જ્યાં રસોઈ કરો છો એની જમણી તરફ રાખવા જોઈએ, કારણ કે એવું કરવાથી તમને લાભ થઈ શકે છે. આ સિવાય બીજી કોઈ પણ દિશામાં તવો રાખવાથી નુકસાન પહોંચે છે.
* તવાને ક્યારેય પણ બંધ ગેસ કે ચૂલા પર ના રાખવો જોઈએ, આવું કરવાથી આર્થિક નુકસાન અને તંગીનો સામનો કરવો પડી શકે છે.
* ગરમ ગરમ તવા પર ક્યારેય પણ પાણી ન નાખવું જોઈએ. જો તમે એવું કરો છો તો તમને આર્થિક નુકસાનીની સાથે સાથે પારિવારિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. તવો ઠરી જાય પછી જ એને ધોવા નાખો.
* જમવાનું બનાવી લીધા બાદ હમેંશા સાફ કરીને જ રાખવો જોઈએ, એવું કરવાથી ઘરમાં બરકત આવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
* જો તમે પણ અત્યાર સુધીમાં અહી જણાવવામાં આવેલા કોઈ પણ નિયમનું પાલન કરવાનું ચૂકી જતા હતા તો આજે એનું પાલન કરવાનું શરૂ કરી sox, નહીંતર એના માઠા પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!