June 30, 2025
રિલેશનશિપલાઈફ સ્ટાઈલ

પાર્ટનર સાથે ઉષ્માસભર સંબંધો રાખવા આટલી મહત્વની વાત જાણી લો!

Spread the love

આધુનિક યુગને નામે યુવા પેઢી જ નહીં, પરંતુ આધેડ વયના લોકો પાર્ટનરની શોધમાં રહે છે. ચાહે એમાં પ્રેમ હોય કે પછી બીજી કોઈ જરુરિયાત પણ એ સમાજને જ નહીં, પરિવારને આવકાર્ય નથી. ગયા વર્ષે એક ચોંકાવનારો કિસ્સો પુણેમાં બન્યો હતો. આઠ દીકરીના બાપને દીકરા માટે બીજા લગ્ન કરવાનું મન થયું પછી શું પત્નીને જાણ થયા પછી પતિને જ પતાવવા પત્નીએ પતિની સુપારી આપી. સમયની જ નહીં, પરિવારની નાડ પારખીને સંબંધોનું જતન કરો. એટલે ટાઈમપાસને નાતે એક યા બે ત્રણ લોકો સાથે સંબંધ બાંધવાનું ચલણ વધતું જાય છે. ચાહે પછી એકલતા યા સ્ટ્રેસને દૂર કરવાનું સાધન સમજીને પણ સંબંધ વિના કારણ બાંધે છે યા ડેટિંગ કરતા રહે છે પણ એના પછી પરિણામોની ચિંતા કરતા નથી.
એક યા બે કે એથી વધુ સંબંધો બાંધીને પોતાના પગ પર જ નહીં પણ અન્યના લોકોના જીવનમાં પણ મુશ્કેલી સર્જી છે. શક્ય એટલા સંબંધો ટ્રાન્સપરન્સી અને પોતાના પરિવાર યા પાર્ટનર સાથે ઈમાનદારી દાખવવામાં આવે તો જ ફાયદો થઈ શકે છે. સીધી વાત કરીએ તો તમારી લાઈફલસ્ટાઈલને આધુનિક બનાવવાનો દંભ કરવા જતા જો જો તમારી જિંદગીમાં મુશ્કેલી ઊભી ના થાય એના માટે આટલું અચૂક કરશો નહીં. કોઈ પણ સંબંધને બાંધવામાં વર્ષો વીતી જાય છે, પણ એક જ નાની સરખી ભૂલ આજીવન મુશ્કેલીમાં મૂકી શકે છે.
40-50 વર્ષ વટાવ્યા પછી તમારા પાર્ટનર પ્રત્યે વધુ સભાન બનો. તમારા પાર્ટનરને સમજવા માટે થોડો સમય કાઢો. તેનાથી તમારા પોતાના વ્યક્તિત્વ અને આદતોને સારી રીતે સમજશે. જેવો છે એવો જ તમારા પાર્ટનરને સ્વીકારો અને વિશ્વાસ રાખો. કોઈ પણ સંબંધને સફળ બનાવવા માટે સમય અને પ્રયાસ જરુરી છે, તેથી બિનજરુરી ઉતાવળ કરશો નહીં.
તમારી જાતને અંડર એસ્ટીમેટ કરશો નહીં. તમારામાં રહેલા આત્મવિશ્વાસને જરા પણ ડગવા દેશો નહીં. તમારા સંબંધોમાં પણ વિશ્વાસ રાખો. નાની ઉંમરમાં તમારા માથે આવી પડેલી જવાબદારીઓનું પાલન કરતા તમે પારિવારિક સંબંધોને વધુ પડતા તણાવમાં નાખશો નહીં. તમારા પર બિનજરુરી તણાવને હાવી થવા દેશો નહીં, કારણ કે તમારા હાથમાં જેટલું છે એટલું કરી શકશો બાકી ભગવાન પર છોડી દો. તમારા પર શક્ય એટલું પ્રેશર ન કરશો કે પછી તમારા પાર્ટનર પણ દબાણ લાવશો નહીં.
ભૂતકાળમાં વધુ પડતા રચ્યાપચ્યા રહેશો નહીં. તમારા ભવિષ્યને સોનેરી બનાવવા માટે તમારે ખાસ કરીને વર્તમાનમાં એ પ્રકારે જીવવાનું છે, જેથી તમે જ નહીં તેની તમારા પરિવાર પણ કોઈ આડ અસર થાય નહીં.
છેલ્લે એટલું કહીશું કે ભૂલોમાંથી શીખવું જોઈએ અને શક્ય એટલા તમારે તમારા પાર્ટનર સાથે નાની-મોટી વાતોને લઈને ડિસ્કસ કરવી જોઈએ. એકબીજાની ભૂલો નહીં પણ તેમના કામથી તેમની પ્રશંસા કરવાનું ચૂકશો નહીં. બાકી, જે તમને મળ્યું છે એને ગુમાવવાનું વિચારતા હોય તો નવી એ પણ મુઘેરીલાલ કે હસીન સપને જેવી દુનિયામાં રચ્યાપચ્યા રહેવા કરતા વાસ્તવિક જિંદગીને સ્વીકારીને જીવવાનો રાખો તો તમે જ નહીં તમારો પરિવાર સુખી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!