Rose Vastu Tips: વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ ગુલાબનું મહત્ત્વ જાણો?
ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે પ્રેમનો એકરાર કરવા માટે પ્રેમીઓ માટે સૌથી મહત્વની વસ્તુ મનાય છે. પ્રેમના એકરાર માટે હવે જમાનો બદલાયો હોવા છતાં ફૂલમાં ગુલાબનું સ્થાન કોઈ લઈ શક્યું નથી. વાત પ્રેમની કરવી નથી, પરંતુ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ ગુલાબનું સાથે ગુલાબની પાંખડીઓનું વિશેષ મહત્ત્વ છે. ગુલાબની પાંખડીઓ તમારા ઘરને મહેકાવવા માટે પૂરતી છે. વાસ્તુશાસ્ત્રમાં ગુલાબને પ્રેમની સાથે ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે.
આમ તો ઘરમાં પૂજાપાઠ માટે સુગંધી અગરબત્તી અને ધૂપ કરવામાં આવે છે, જે તમારા ઘરને ચોક્કસ પોઝિટિવ એનર્જી આપે છે. ઉપરાંત, લોકો રુમ ફ્રેશનર અને પર્ફયુમ પણ ઉપયોગ કરવામાં આવે છે. એ બહુ લાંબા સમય સુધી ટકતું નથી. આમ છતાં જો તમે ગુલાબના ફૂલો અથવા એની પાંખડીઓનો ઉપયોગ કરો તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે તમને પોઝિટિવ એનર્જી પૂરી પાડે છે. એને કઈ રીતે રાખવું અને ક્યાં રાખવો એની વાત કરીએ.
સવારે ઊઠીને તાજા ગુલાબના ફૂલોની પાંખડીઓ એક કાચની વાટકી યા બાઉલમાં રાખો અને એ એવી જગ્યાએ મૂકો જ્યાંથી બહારની હવા આવતી હોય. એની હવા સાથે ગુલાબના ફૂલોની સુગંધ પણ તમારા ઘરમાં ફેલાય છે, જે તમારા ઘરને સંપૂર્ણ સુગંધીત બનાવશે.
દરેક લોકો પોતાના ઘરને સુગંધીત બનાવવા માગતા હોય છે અને ગુલાબનો ઉપયોગ કરવાથી ચોક્કસ પોઝિટિવ એનર્જી તો મળશે તેમ જ તમારા પરિવારના લોકોને તાજગીના અહેસાસ થશે. શક્ય એટલા કુદરતી વસ્તુ યા ફળ-ફૂલનો ઉપયોગ કરવાનું રાખો તો તેનો સીધો ફાયદો થાય છે, જે લાંબા સમય સુધી ટકે પણ છે.
આ ઉપરાંત, પારિવારિક શાંતિ માટે ઘરમાં ગુલાબના છોડીની વૃદ્ધિ માટે બગીચાની દિશા કે સ્થાન પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુલાબનો છોડ પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બગીચાની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લાલ કે ગુલાબી ફૂલ લગાવવા શુભ માનવામાં આવે છે. બગીચાની ઉત્તર-પૂર્વ દિશામાં ગુલાબના છોડ વાવવાનું ટાળો.
તમારી લવલાઈફ માટે ગુલાબનો ઉપયોગ કરવાનું કહેવાયું છે, જેમ કે જો તમારી લવ લાઈફમાં કોઈ સમસ્યા હોય તો તમારા બેડરુમમાં કાચના વાસણમાં પાણી ભરેલા ગુલાબની પાંખડીઓ રાખો. રોજ ગુબાલની પાંખડીઓ અને પાણી બદલવાનું પણ ભૂલશો નહીં. આટલું કરવાથી તમારી લવ લાઈફ વધુ રોમાન્ટિક બનશે.