June 30, 2025
રિલેશનશિપ

Break-up પણ વ્યક્તિને જીવનમાં આપે છે બોધપાઠ…

Spread the love

તમારી જિંંદગીને શક્ય એટલી સરળ બનાવો. દરેકની જિંંદગીમાં કોઈ એવો તબક્કો જરુર આવે છે કે જેનાથી વ્યક્તિ કદાત નિરાશ, નારાજ થઈ જાય. એનાથી એમ પણ બને કે વ્યક્તિને એમ પણ થાય કે જિંદગીનો ધ એન્ડ આવી ગયો છે. તમારા દોસ્ત કે પછી પારિવારિક સંબંધોમાં પણ તિરાડ પડે કે પ્રેમભંગ (Break-up) થયા પછી દુનિયા આખી પૂરી થવાનું લાગે પણ વાસ્તવમાં તમને એ સમય પણ વાસ્તવિક દુનિયામાં જીવવાનું શિખવાડે છે, જે એક બોધપોઠ યા શીખથી પણ કંઈ નથી.

લવસ્ટોરીમાં થયેલા બ્રેકઅપ પછી વ્યક્તિને બહુ તકલીફ થતી હોય છે, પરંતુ સંબંધો તૂટ્યા પછી સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ ભાગ ભજવે છે. આપણે જ્યારે કોઈ સંબધમાં હોઈએ ત્યારે શરુઆતમાં બધુ સારું લાગે છે, પરંતુ બ્રેકઅપ પછી આપણે સંબંધો, મિત્રતા અને જીવનને નવો દૃષ્ટિકોણ આપે છે, તેથી કહેવાય છે કે બ્રેકઅપ વ્યક્તિને નવી શીખ આપે છે.

સૌથી પહેલા વાત કરીએ બ્રેકઅપની. જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો ત્યારે શરુઆતમાં બધુ તમને સારું સારું લાગતું હોય છે, પરંતુ ધીમે ધીમે જ્યારે બંને વ્યક્તિ કોઈ એક વાત પર સંમત થતા ન હોય તો વિવાદ થવાનું શરુ થાય છે. એટલા માટે બ્રેકઅપ થાય છે.

બ્રેકઅપમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે દુનિયામાં કોઈ ક્યારેય પર્ફેક્ટ નથી અને બની શકે પણ નહીં. જો વ્યક્તિ પોતાની જાતને પર્ફેક્ટ પણ માની લે તો પડદા પાછળની વાસ્તવિકતા કંઈ અલગ જ હોય છે અને એ પણ તમે જો તેની સાથે રહો તો સત્ય પરખાઈ જાય એ વાત નોંધી રાખજો.

લોકોના માટે પ્રેમ કરવાનું સરળ હોય છે, કારણ કે પ્રેમનો અર્થ સાથે સમય વીતવવો, પ્રેમ કરવો, મસ્તી કરવી એવું માને છે, પરંતુ વાસ્તવમાં જ્યારે જવાબદારી આવી પડે છે ત્યારે દરેક લોકો તેમાંથી હાથ ઊંચા કરી લેતા હોય છે. આ જવાબદારી જ્યારે આવી પડે છે ત્યારે બ્રેકઅપનું કારણ બને છે. બીજી મહત્ત્વની વાત એ છે કે પાર્ટનર સાથેના સંબંધોમાં પરસ્પરના સંબંધોમાં પર્સનલ સ્પેસનો અભાવ.

બ્રેકઅપનું બીજું મહત્ત્વનું કારણ એ છે કે ખાસ કરીને અમુક વખતે વ્યક્તિને કોઈ સ્પેસ આપતા નથી, તેથી મુશ્કેલીનું નિર્માણ થાય છે. તમારા પાર્ટનરને પણ સાથે રાખવા, દરેક વખતે તેની પૂછપરછ કરવી તેમ જ તેના ગમા-અણગમાની દરકારનું પણ ધ્યાન રાખવાનું જરુરી બને છે અને જો તેની અવગણના કરવામાં આવે તો બ્રેક-અપ થવાના ચાન્સ વધી જાય છે.

બીજી મહત્ત્વની વાત કરીએ તો ક્યારેક એકબીજાના શોખ એક સરખા હોય તો પણ લોકોને લાગે છે કે બંને એકબીજા માટે અનુકૂળ છે, પણ એમ માનવાનું ખોટું છે. સંબંધો ક્યારેય આદત અથવા શોખના કારણે મજબૂત બની શકે નહીં. સંબંધોમાં એકબીજાને મળવું જરુરી છે, જેમાં ભલે એકબીજાના આદત અથવા શોખ અલગ હોય. આદત તમને એકબીજાની નજીક લાવી શકે છે અને તમારી ઓળખને પણ વધુ મજબૂત બનાવી શકે છે, પણ સંબંધો તો દિલથી મજબૂત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!