148 વર્ષથી અવિરત અમદાવાદ રથયાત્રા: જાણો ઇતિહાસ, પરંપરા અને વિશેષતા
અમદાવાદ સાથે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી દીધી છે. રાજ્યના અનેક જિલ્લામાં અપેક્ષા કરતા વધારે વરસાદ પડવાની સાથે રાજ્યના સૌથી ધાર્મિક ગણાતી રથયાત્રાને પણ હવે એક દિવસ બાકી રહ્યો છે. પુરીની જગન્નાથ યાત્રા સાથે સાથે અમદાવાદ, વદોદરા, સુરત સહિત અનેક જિલ્લા-તાલુકા અને શહેરોમાં નીકળશે. પણ પુરીની જગન્નાથ યાત્રા સાથે સાથે અમદાવાદનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે. એટલે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે દેશમાં રથયાત્રા નીકળે છે અને એ દિવસે મેઘરાજા પણ અમીછાંટણા કરે છે અને ભગવાનને વધાવે છે.
નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાને આદેશ આપીને રથયાત્રા શરુ કરાવી
જગન્નાથ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો મંદિરનો ઈતિહાસ આશરે 460 વર્ષ જૂનો છે, જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપીને આશીર્વાદ આપે છે. ગુજરાતની લોકવાયકા પ્રમાણે હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની પ્રતિમા સ્થાપી હતી, ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ કર્યુ હતું. વર્ષ હતું 1878 અને તવારીખ હતી બીજી જુલાઈના અષાઢી બીજ. નરસિંહદાસ મહારાજના નેતૃત્વ હેઠળ પહેલી રથયાત્રાનું આયોજન કર્યું હતું. પહેલી રથયાત્રા અમદાવાદના અનેક વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કહેવાય છે કે મહામંડલેશ્વર નરસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને લઈ રથયાત્રા શરુ કરી હતી
ભરુચના ખલાસીઓએ રથ બનાવ્યા એ પરંપરા આજે પણ અકબંધ
અમદાવાદના જગન્નાથ મંદિરના પહેલા મહંત હનુમાનદાસજી બ્રહ્મલીન થયા પછી છ-છ પેઢી પછી આજના ગાદિપતિ દિલીપદાસ મહારાજ સેવા સંભાળે છે, જ્યારે વ્યવસ્થા સંભાળે છે. શરુઆતમાં બળદગાડામાં રથયાત્રા યોજાતી હતી. બીજી એક વાતનું પણ વિશેષ મહત્ત્વ છે કે ભરૂચ જિલ્લાના ખલાસ જાતિના શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં ઉપયોગ લેવાતા રથો નારિયેળના ઝાડના લાકડામાંથી બનાવ્યા છે. આજ દિવસ સુધી આ રથ ચલાવવાની પરંપરા તેમણે નિભાવી છે. જમાલપુરમાં જગન્નાથનું મંદિર 400 વર્ષ જૂનું મનાય છે, જ્યાંથી રથયાત્રા નીકળે છે, જ્યારે ભરુચના ખલાસીઓએ રથ બનાવ્યા હતા એ પરંપરા આજે અકબંધ છે.
રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે પહિંદ વિધિ પછી રથયાત્રા શરુ થાય છે
ઓડિશાના જગન્નાથ પુરીની રથયાત્રા સાથે અમદાવાદની રથયાત્રાનું સેલિબ્રેશન કરવામાં આવે છે, જે પરંપરા લગભગ 147 વર્ષ સુધી જળવાઈ છે. આ રથયાત્રાનું આકર્ષણ અને મહત્ત્વ અમદાવાદીઓને જ નહીં, પરંતુ આસપાસના જિલ્લા અને રાજ્યના રહેવાસીઓને છે. દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે જગન્નાથ યાત્રા નીકળશે, જેમાં ભગવાન જગન્નાનથી સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ નગરચર્યાએ નીકળશે. શુક્રવારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ કર્યા પછી રથના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરીને 148મી યાત્રાના શ્રીગણેશ કરવામાં આવશે.
વ્યાપ વધી ગયા પછી દેશની બીજા નંબરની મોટી રથયાત્રા બની ગઈ
અમદાવાદની રથયાત્રાના મહત્ત્વની વાત કરીએ તો બહુ નાના પાયે શરુ કરેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે. ગુજરાતનો લોકઉત્સવ તરીકે ઉજવણી કરાય છે, જ્યારે પુરી અને કોલકાતા પછી અમદાવાદ યોજાતી રથયાત્રા ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે.અમદાવાદમાં 14 કિલોમીટરની રથયાત્રા સરસપુર ખાતે રોકાય છે, જ્યાં ભક્તોને ભક્તિભાવપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. 147 વર્ષ બાદ આ વર્ષે પરંપરાગત રીતે હાથીઓ સૌથી પહેલા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરીને યાત્રાએ નીકળશે અને એ વખતે આખા અમદાવાદમાં એક જ નાદ હશે જય જગન્નાથ.