June 30, 2025
લાઈફ સ્ટાઈલ

યોગ દિવસ 2025: જાણો યોગનો ઇતિહાસ અને તેની શરુઆત ક્યારે થઈ હતી?

Spread the love

શું તમને યોગનો ઈતિહાસ ખબર છે?

દર વર્ષે 21મી જૂનના ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ શબ્દ સંસ્કૃતના યુઝ શબ્દથી લેવામાં આવ્યો છે. જેનો સીધો અર્થ જોડવાનો છે, જ્યારે તેનું કનેક્શન તન, મન અને આત્મા વચ્ચેનું છે. આ જીવન જીવવાનું શીખવે છે. ઈન્ટરનેશનલ યોગ દિવસે દેશ દુનિયામાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જ્યારે નેતાઓથી લઈને કલાકારો પણ આરોગ્ય મુદ્દે સતર્ક થયા હોવાથી ભાગ લે છે. અમુક લોકો સિરિયસલી યોગથી પ્રેરાઈને તેના આસનો પણ કરે છે તો જાણીએ આજના દિવસે તેની શરુઆત અને ઈતિહાસને.

યોગનો જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે દેવોના દેવ કહો કે ભોળાનાથને અચૂક યાદ કરવા પડે. ધાર્મિક માન્યતાઓ અનુસાર યોગનો સંબંધ ભગવાન શિવ સાથે છે. ભગવાન શિવજીએ સૌથી પહેલા યોગના મહત્ત્વને સમજ્યા હતા એના પછી સપ્ત ઋષિઓએ પણ યોગ કર્યો હતો. યોગનો ઈતિહાસ દાયકાઓ નહીં, પણ સદીઓ જૂનો છે. જેની ઉત્પતિ ભારતમાં થઈ હતી અને ભારતની સાથે આજે દુનિયામાં વિશેષ મહત્ત્વ છે.

યોગ ફક્ત વ્યાયામ નહીં, પરંતુ મનને સંતુલિત રાખવાની કલા છે. હજારો વર્ષો પહેલા હિમાલયના ક્રાંતિસરોવર જળાશય નજીક ભગવાન શિવ સપ્તઋષિઓને યોગનું જ્ઞાન આપ્યું હતું. યોગની શરુઆત સભ્યતાની શરુઆત થઈ. સૌથી પહેલા યોગ અંગેની જાણકારી સિંધુ-સરસ્વતી સભ્યતા સાથે મળતી આવે છે. એ જમાનાની મૂર્તિઓ અને સિક્કાઓ જે મળ્યા હતા, જેમાં યોગ કરતા જોવા મળ્યા હતા. પ્રાયીન ભારતમાં યોગના પુરાવા હોવાનું કહેવાય છે.

એના સિવાય લોક પરંપરા, વૈદિક, ઉપનિષદ, બૌદ્ધ અને જૈન પરંપરાઓ, મહાભારત અને રામાયણ, મહાકાવ્યો, વૈષ્વવો અને તાંત્રિક પરંપરાઓમાં પણ યોગનો ઈતિહાસ જોવા મળે છે. મહર્ષિ પતંજલિને યોગના પિતા કહેવાય છે એમને અનેક વર્ષો પહેલા યોગના નિયમો યોગ સૂત્ર નામે પુસ્તકોમાં લખ્યા હતા.

1990 પછી સમગ્ર દુનિયામાં યોગનો વિસ્તાર થયો. આ પુસ્તકમાં દર્શાવેલી યોગની વાત અનેક રીતે સમજાવવામાં આવી હતી, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયમ, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. 1900 પછી યોગ પૂરી દુનિયામાં વિસ્તાર થવા લાગ્યો. સ્વામી વિવેકાનંદ, યોગાનંદ, બીકેએસ અયંગર અને બીજા અનેક ધર્મગુરુઓએ યોગને વિદેશ સુધી પહોંચાડ્યો હતો.

આજે યોગ ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાના લોકો અનુસરે છે અને રેગ્યુલર જીવનમાં ઉતાર્યો છે. યોગ કરવાથી શાંતિ મળે છે તેમ આરોગ્ય માટે પણ ફાયદાકારક રહે છે. યોગ ભારતની હજારો વર્ષ જૂની પરંપરા છે, પરંતુ આજના દિવસે પણ ઉપયોગી છે. આ ન તો કોઈ ધર્મ કે કોઈ વર્ગ સાથે જોડાયેલો નથી, પરંતુ દરેક ધર્મની વ્યક્તિ માટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!