June 30, 2025
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના હિંગોલી-પરભણીમાં ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Spread the love

હિંગોલીઃ મહારાષ્ટ્રમાં એક તરફ વરસાદી ખેંચના સંકટ સામે તાજેતરમાં આજે સવારના હિંગોલી અને પરભણીમાં ભૂકંપના આંચકા આવતા સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હિંગોલીમાં ચાર મહિનામાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવ્યા છે.
રાજ્યના હિંગોલીમાં સવારના સવા સાત વાગ્યાના સુમારે 4.5 રિક્ટર સ્કેલના ભૂકંપ આવ્યો હતો. આ બાબતની જાણકારી નેશનલ ભૂકંપ સાયન્સ સેન્ટરે આપી. 4.5 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. હિંગોલી સિવાય પરભણી અને નાંદેડમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લોકો ડરી ગયા હતા. હિંગોલી શહેર અને તેની આસપાસના કાલાનુરી, ઔંધ, વાસમત, દાંડેગાંવ, પાંગરા શિંદે, વારાગના, કવાથા સહિત અન્ય રિજનના લોકોએ આંચકા અનુભવ્યા હતા, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું.


અગાઉ ક્યારે આવ્યા હતા આંચકા?
અહીં એ જણાવવાનું કે રાજ્યમાં અગાઉથી વરસાદની ખેંચ પડવા સાથે જળ સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે સાડા ચાર રિક્ટર સ્કેલનો આંચકો મોટો ગણી શકાય. આ અગાઉ 21મી માર્ચના પણ મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપ આવ્ય હતો. 10 મિનિટના અંતરમાં બે આંચકા આવ્યા હતા. પહેલો સવારે 6.08 વાગ્યે અને બીજો 6.19 વાગ્યે અનુભવાયા હતા. એ વખતે ભૂકંપનો આંચકો 4.5 રિક્ટર સ્કેલ અને બીજો 3.6 રિક્ટર સ્કેલનો હતો. આ ભૂકંપના આંચકા વખતે મોટા ભાગના લોકો સૂતા હતા.
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વી પર ચાર થર યા સ્તર હોય છે, જેમાં એક આઉટર કોર, ઈનર કોર, ક્રસ્ટ અને મેન્ટલ. પૃથ્વીની નીચે પ્લેટ ફરતી રહે છે. અંદરોઅંદર ટકારાવવાને કારણે પૃથ્વીની નીચે કંપન ઉત્પન્ન થાય છે, જ્યારે પ્લેટ્સ ખસતી હોય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. જોકે, જ્યાં ભૂકંપની તીવ્રતા વધારે હોય, જે બહુ દૂર-સુદૂર સુધી તેની તીવ્રતા અનુભવાય છે.
તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?
રિક્ટર સ્કેલ મારફત ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. રિક્ટર સ્કેલના માપમાં એકથી નવ સુધી માપવામાં આવે છે. ભૂકંપ વખતે પૃથ્વીની નીચે ઊર્જા તરંગો નીકળે છે, જેને રિક્ટર સ્કેલ મારફત માપવામાં આવે છે અને તેનાથી ભૂકંપની તીવ્રતા અને તેનું કેન્દ્ર જાણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!