શિવરાજ સિંહ ચૌહાણના પુસ્તકમાં પીએમ મોદી માટે શું લખ્યું કે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી?
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધો અંગે એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું નામ છે ‘અપનાપન’. આ પુસ્તકનું લોકાર્પણ તો 26મી મેના રાજધાની દિલ્હીમાં થશે, પરંતુ આ પુસ્તક પીએમ મોદીની કામગીરી અંગે શિવરાજ સિંહ ચૌહાણે મહત્ત્વની વાત કરી છે, જેમાં ખાસ મોદીના અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.
શિવરાજ સિંહે સોશિયલ મીડિયા પર ત્રણ દાયકાથી જાહેર જીવનમાં પીએમ મોદી તેમની સાથેની અનેક ભૂમિકા અને વિભિન્ન પ્રકારની જવાબદારી અદા કરતી વખતે તેમના વ્યક્તિત્વ, નેતૃત્વ, સેવા, સંગઠન અને સુશાસન અને રાષ્ટ્ર સમર્પણના અન્ય દૃષ્ટિકોણને સમજવાની તક મળી હતી. એમના અનુભવો, ભાવનાઓ, પ્રેરણાઓ અને જીવનમૂલ્યોને પોતાના પુસ્તકમાં અપનાપનમાં સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તકનું નામ ‘અપનાપન’ નથી, જેમાં 33 વર્ષોનો અનુભવ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મેં પ્રધાનમંત્રી મોદીને સૌથી વધુ નજીક જોયા છે, જાણ્યા છે. લોકોએ તેમને મંચ પરથી સંબોધન કરતા જોયા છે, પરંતુ મેં તેમને જોયા છે અને મોડી રાતથી લઈને વહેલી સવારના ઊર્જાસભર દેશ માટે કામ કરતા જોયા છે, જ્યારે તેમના નિર્ણયોને પણ મેં જોયા છે, જે દેશના દરેક ગરીબો, ખેડૂતો અને માતા-બહેન-દીકરીઓ અને દરેક કાર્યકર્તા માટે હંમેશાં કંઈ કરવા માટે સક્રિય રહે છે.
શિવરાજ સિંહે ચૌહાણે લખ્યું છે કે આજે પણ મને 1991ની એકતા યાત્રા યાદ છે, ત્યારે એને રાજકીય રીતે જોવામાં આવી હતી, પરંતુ મોદીજીએ એને રાષ્ટ્રીય ચેતના અભિયાન બનાવી દીધું હતું. તેમનો સ્પષ્ટ વિચાર હતો કે શ્રીનગરના લાલચૌક સુધી જ નહીં, દેશના દરેક યુવાનના હૃદય સુધી પહોંચવો જોઈએ, ત્યારે મેં અનુભવ્યું હતું કે તેમનું નેતૃત્વ ફક્ત ભાષણ નથી, પરંતુ નેતૃત્વ તપસ્યાથી આવે છે. નેતૃત્વ અનુશાસનથી આવે છે. નેતૃત્વ સમર્પણથી આવે છે અને સૌથી વધુ નેતૃત્વ ખાસ પોતિકાપણા (અપનેપન)થી આવે છે.
અપનાપન પુસ્તક અંગે કૃષિ મંત્રીએ લખ્યું છે કે આ પુસ્તકથી વિચાર મળશે, જેનાથી દેશને બદલવાનું સાહસ કર્યું. એનાથી અનુશાસન મળશે, જેનાથી સપનાઓને સિદ્ધિમાં બદલવાનો અવસર મળ્યો હતો. પુસ્તકમાંથી અનુભવો મળશે, જે નેતૃત્વને જોવાના તમારા દૃષ્ટિકોણને બદલશે. પુસ્તક વાંચતા જો તમે એવું અનુભવ્યું કે દેશ માટે બદલવા માટે કોઈ પદ નહીં, પરંતુ સંકલ્પની જરુરિયાત છે તો હું માનીશ મારો પ્રયાસ સાર્થક રહ્યો છે.
