June 30, 2025
મહારાષ્ટ્ર

જંગલમાં જઈ રહ્યા છો તો મેકઅપ અને પર્ફ્યુમ લગાવશો નહીં: સલાહ આપનારા પદ્મશ્રી મારુતિ ચિતમપલ્લી કોણ હતા?

Spread the love

મહારાષ્ટ્રે એક પર્યાવરણપ્રેમીને ગુમાવ્યા, જાણો તેમની જિંદગીની અવનવી વાતો

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણને કારણે દુનિયાની શકલ અને સુરત બદલાઈ રહી છે, જેને મૂળ સિસ્ટમમાં ફીટ રાખવા માટે અનેક સંસ્થાઓ અને કાર્યકરો વર્ષોથી લડત અને પડકારોનો સામનો કરી રહ્યા છે, જે મિસાલ પણ બની રહ્યા છે. પર્યાવરણને બચાવવા માટે આજથી પણ જો પ્રયાસ હાથ ધરવામાં આવે તો દાયકાઓ પછી આગામી પેઢીનું જીવન સુરક્ષિત રહે. વર્ષો નહીં દાયકાઓ સુધી પર્યાવરણના જતન માટે લડનારા જાણીતા પર્યારવણવિદ્દ અને પદ્મશ્રી વિજેતાનું નિધન થયું પણ તેમની એક અપીલ તો સુવર્ણ અક્ષરે મઢાવવા જેવી હતી એ કોણ હતા અને શું અપીલ કરી હતી એની વાત કરીએ.

30 એપ્રિલના રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો
અઢારમી જૂનના બુધવારે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અરણ્ય ઋષિ મારુતિ ચિતમપલ્લીનું નિધન થયું હતું. 93 વર્ષની વયે અરણ્ય ઋષિ મારુતિ ચિતમપલ્લીનું નિધન થયું. 30 એપ્રિલ 2025ના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર સમારંભ વખતે દિલ્હીથી પરત ફર્યા પછી તેમની હાલત ગંભીર હતી, ત્યાર બાદ બુધવારે સોલાપુરમાં તેમનું નિધન થયું હતું.

યુનિવર્સિટીમાં મારુતિ ચિતમપલ્લીના નામે પાર્ક બનાવ્યો છે
કોણ હતા અરણ્ય ઋષિ અને અંગત જીવનની વાત કરીએ તો મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિંદુ યુનિવર્સિટીમાં રહેતા હતા. યુનિવર્સિટીમાં મારુતિ ચિતમપલ્લીના નામે એક પાર્ક પણ છે, જેમાં અનેક પ્રકારના દુર્લભ વૃક્ષો રાખ્યા છે. તેમના માર્ગદર્શનમાં વર્ષો સુધી વૃક્ષો લગાવવામાં આવ્યા હતા. તેમણે દુર્લભ વૃક્ષોનો અભ્યાસ કર્યો હતો. જ્યારે જંગલમાં કોઈ ઘટના બને ત્યારે અન્ય જીવો પર તેની શું અસર પડે એના અંગે પણ તેમનું નોલેજ વધારે હતું, એમ તેમના નજીકના સાથીએ જણાવ્યું હતું.

જો મેકઅપ કર્યો કે પર્ફ્યુમ લગાવ્યો તો જોખમ સમજજો
અરણ્ય ઋષિ મારુતિ ચિતમપલ્લીનું કહેવું હતું કે જંગલી જાનવર ક્યારેય સીધા માણસ પર હુમલો કરતા નથી પણ જંગલમાં આપણે જ્યારે જઈએ ત્યારે જાનવર આપણને સૂંઘી લે છે. આ ગંધથી જાનવર આપણને ખતરો સમજે છે, તેથી જંગલમાં તમારા એકબે કિલોમીટર દૂરથી પણ પીછો કરે છે. ખાસ કરીને તમે જ્યારે જંગલોમાં જાઓ તો મેકઅપ અને પર્ફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એનાથી જંગલના જાનવર સતર્ક બની જાય અને પોતાને તેનાથી સુરક્ષિત રહેવાનો પ્રયાસ કરે છે. ચિતમલ્લીએ લોકોને સલાહ આપી હતી કે જંગલમાં ફરતી વખતે પર્યટકોએ એ વાતનું ધ્યાન રાખે કે જંગલમાં જતા કોઈ ગંધ આવે નહીં અને જાનવર ડરે નહીં.

દેશમાં પાંચ લાખ કિલોમીટરનું ભ્રમણ કર્યું ને 25 પુસ્તકો લખ્યા
મારુતિ ચિતમલ્લીએ 36 વર્ષો સુધી વન વિભાગમાં સેવા આપી હતી એ વખતે રિસર્ચ માટે સમગ્ર દેશમાં ભ્રમણ કર્યું હતું. એટલે પાંચ લાખ કિલોમીટરનું ભ્રમણ કર્યું હતું અને અઢાર ભાષા જાણતા હતા મારુતિ ચિતમલ્લી. વનજીવનમાં ખાસ પશુપક્ષી અને જંગલના વૃક્ષો વનસ્પતિ અંગે 25થી વધુ પુસ્તકો લખ્યા હતા. તેઓ મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિંદી યુનિવર્સિટીમાં રહેતા હતા. પોતાના કામના એટલા આગ્રહી હતા કે યુનિવર્સિટીમાં પણ લોકો તેમને મળતા જતા ત્યારે પણ પોતાનું કામ ખોરવાય નહીં એના માટે કોઈને મળતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!