June 30, 2025
ઈન્ટરનેશનલ

પાંચમી જુલાઈના શું થવાનું છે, 80 ટકા ફ્લાઈટ બુકિંગ થઈ કેન્સલ, કોણ છે ભવિષ્યવેત્તા?

Spread the love

જાપાનમાં ભીષણ સુનામીની ભવિષ્યવાણી બાદ 80% જેટલી ફ્લાઈટ્સ રદ, રિયો તાત્સુકીના દાવાથી ખળભળાટ

ભૂતકાળમાં અનેક ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે સાચી પણ પડી છે. નોસ્ટ્રાડેમસ, બાબા વેંગા સહિત અનેક ભવિષ્યવેત્તાએ ભવિષ્ય ભાખવાની શક્તિ હોય છે. એ જ રીતે જાપાનના મંગા આર્ટિસ્ટ રિયો તાત્સુકીએ ભવિષ્યવાણી સાચી પડી છે. આ મંગા આર્ટિસ્ટે એક નવી ભવિષ્યવાણી કરી છે, જેને કહ્યું છે કે પાંચ જુલાઈના જાપાનમાં ભીષણ સુનામી આવશે. રિયો તાત્સુકી (Ryo Tatuski)એ ભવિષ્યવાણી કરવાથી જાપાનમાં ખળભળાટ મચી ગયો છે. ન્યુ બાબા વેંગાની ભવિષ્યવાણીથી જાપાન જ નહીં, સમગ્ર એશિયામાં ડર ઊભો થયો છે.

ટૂરિસ્ટ લોકો પણ પોતાની ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે. જૂન અને જુલાઈમાં હોંગકોંગથી જાપાન જનારી 80 ટકા ફ્લાઈટ્સની ટિકિટનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. માંગાએ ચેતવણી આપતા કહ્યું છે કે જાપાનમાં મોટી તબાહી સર્જાશે. આ ભવિષ્યવાણી કર્યા પછી પ્રવાસીઓની સાથે સાથે એરલાઈન્સ કંપનીઓ પણ પરેશાન થઈ ગયા છે. હોંગકોંગ એરલાઈન્સે દક્ષિણ જાપાનના શહેર કાગોશિમા અને કુમામોટો જનારી ફ્લાઈટ્સને જુલાઈ અને ઓગસ્ટ સુધી રદ કરી છે. રદ કરવા માટે તાત્સુકીની મંગાની ભવિષ્યવાણી જવાબદાર છે, જેને સુનામી અને ભૂકંપની શંકા વ્યક્ત કરી છે.

એક ઈન્ટરનેશનલ રિપોર્ટમાં જણાવ્યું છે કે જાપાન જનારી ફ્લાઈટની સંખ્યામાં ગયા વર્ષની તુલનામાં પચાસ ટકા ઘટાડો થયો છે. ખાસ કરીને બોઈંગ વિમાન દ્વારા પણ ફ્લાઈટની સંખ્યામાં પંદરથી 20 ટકા કેન્સલ કરી છે. હોંગકોંગની એજન્સીએ પણ જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનાનું બુકિંગ ગયા વર્ષની તુલનામાં અડધી રહી ગઈ છે.

હવે સવાલ એ થાય કે કોણ છે રિયો તાત્સુકી. 1980ના દાયકામાં રિયો તાત્સુકી માંગા આર્ટિસ્ટ હતી. પોતાના ડ્રીમના આધારે ભવિષ્ય જોતી, જ્યારે જે સપનામાં જુએ એને પોતાની ડાયરીમાં નોટ કરતી, જ્યારે ભવિષ્યવાણીઓ સાચી ઠરી ત્યારે જાપાનની સૌથી રહસ્યમયી ભવિષ્યવેત્તા તરીકે નામ જાણીતું બન્યું હતું.

બ્લુમબર્ગ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવ્યું છે કે હોંગકોંગથી જાપાન જનારી ફ્લાઈટ્સ ગયા વર્ષની તુલનામાં 50 ટકા ઘટાડો થયો છે. ગ્રેટર બે એરલાઈન્સના અધિકારી કહે છે કે એક રિજનલ એર કંપની છે, જેના અનુમાન અનુસાર 80 ટકા બુકિંગની અપેક્ષા હતી, પરંતુ હવે ઓક્યુપન્સી 40 ટકા રહી છે. અત્યારે ટૂરિસ્ટની સિઝન પીક પોઈન્ટ પર હોય છે, પરંતુ અત્યારે એકદમ ઓછી છે.

તાત્સુકીએ ચેતવણી આપી છે કે પાંચમી જુલાઈ જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે દરિયાઈ નીચે સુનામી આવશે. 2011માં તોહોકુ ભુકંપથી પણ મોટો આવશે અને ત્રણ ગણો શક્તિશાળી હશે, જે સુનામીનું સ્વરુપ ધારણ કરશે. તાત્સુકીની ભૂતકાળમાં અનેક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી, તેથી લોકોને ડર છે. મોટી સંખ્યામાં ટૂરિસ્ટ લોકોએ તેને ગંભીરતાથી લીધી છે. તાત્સુકીએ દાવો કર્યો છે કે તેને સપના આવે છે અને તેના આધારે ભવિષ્ય ભાખે છે. 2011માં તોહોકુ ભૂકંપ અને સુનામી, પ્રિન્સેસ ડાયનાનું મોત, કોરોના વાયરસ સહિત અનેક ભવિષ્યવાણી કરી હતી.

#July5Disaster ટ્રેન્ડમાં
જાપાન સરકારના અધિકારીઓ અને ડિઝાસ્ટર નિષ્ણાતોએ લોકોને અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ભવિષ્વાણી અને તથ્યો અથવા વિજ્ઞાનના આધારિત નથી. આમ છતાં જુલાઈ5ડિઝાસ્ટર જેવી હેશટેગ ટ્રેન્ડમાં છે. એનાથી એટલું નક્કી છે કે ડિજિટલ યુગમાં પણ લોકો ભય અને અંધવિશ્વાસ ફેલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!