June 30, 2025
ઈન્ટરનેશનલહોમ

દુનિયામાં કેટલી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે? ઈરાન-ઈઝરાયલના સંઘર્ષથી ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા

Spread the love

ઈરાન દ્વારા ‘હૈદર અને ખૈબર’ના સંદેશાથી યુદ્ધની જાહેરાત પછી વિશ્વ ત્રીજા યુદ્ધની એરણે

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પાંચેક દિવસના સંઘર્ષ પછી ઈરાને સત્તાવાર યુદ્ધની જાહેરાત કરી અને એની સાથે દુનિયામાં વધુ બે રાષ્ટ્રોએ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. બંને દેશ આમનેસામને હુમલાઓ કરીને મોટી ખુવારી તો અગાઉથી સર્જી છે, પરંતુ હવે આ વ્યાપક બનશે. આ અગાઉ રશિયા અને યુક્રેન, ઈઝરાયલ અને હમાસ, પેલેસ્ટાઈન, પછી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના મંડાણ થયા છે. એના ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયાના ચાર-પાંચ દિવસમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ યુદ્ધની જાહેરાત કરતા હૈદર અલી, જુલ્ફિકાર અને ખૈબરનો ઉલ્લેખ કર્યો છે. ઈરાને હૈદર અને ખૈબર નામે ઈઝરાયલ સામે યુદ્ધ લલકાર્યું છે. હૈદર અને ખૈબર જ કેમ એનો સવાલ થાય તો એના પાછળ 1400 વર્ષનું કનેક્શન છે. ચાર શબ્દની પોસ્ટમાં હૈદર, અલી, જુલ્ફિકાર અને ખૈબરનો સમાવેશ થાય છે. ઈતિહાસ અને એનું શું મહત્ત્વ છે એ જાણીએ.

હૈદર એક એવું નામ છે, જેનો ઉપયોગ હજરત અલીના નામે થાય છે, જેમાં શિયા મુસ્લિમો ઈમામ અને પયગ્મ્બર મોહમ્મદના ઉત્તરાધિકારી માને છે. ઈસ્લામી ઈતિહાસમાં એક કેન્દ્રીત વ્યક્તિ હતા અને સુન્ની મુસલમાન તેને ચોથા ખલીફા માનતા હતા. તેઓ મોહમ્મદ પ્યગમ્બરના ભત્રીજા અને દીકરી જહરા ફાતીમાના પતિ પણ હતા. અલીનો અરબી અર્થ શેર થાય છે, જે સાહસ, શક્તિ અને નેતૃત્વનો પ્રતીક છે. સુપ્રીમ લીડરે લડાઈની જાહેરાત કરીને હૈદર શબ્દનો પ્રયોગ કરવાની બાબત અલીના વારસાને યાદ કરાવે છે અને એનો ઉપયોગ સંઘર્ષના વખતે લોકોના ટેકા માટે ઉપયોગ કર્યો છે.

જુલ્ફિકારનો અર્થ એટલે શું
અલી ખામેનેઈએ પોતાની પોસ્ટમાં લખ્યું અલી પોતાના જુલ્ફિકારની સાથે ખૈબર આવે છે. જુલ્ફિકાર ઈમામ અલી બેધારી તલવાર કહેવાય છે, જે ઈસ્લામી પરંપરામાં ન્યાય, શક્તિ અને જીતનું પ્રતીક છે. અલી ખામેનેઈએ પોસ્ટમાં જુલ્ફિકારનો ઉપયોગ કરીને યુદ્ધની તત્પરતા અને દુશ્મનોની સામે અલ્લાહની મદદની કલ્પના કરી છે અને સાથે શક્તિ અને સંકલ્પના પ્રતીકાત્મક એલાન કર્યું છે. ઈરાન-ઈઝરાયલ જંગ હવે અચાનક ભયાનક મોડ પર પહોંચ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એના સંકેત આપ્યા છે, પરંતુ હવે ઈરાનના સુપ્રીમો અલી ખોમેનેઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે મહાન હૈદરના નામે યુદ્ધ શરુ થયું છે. અલી પોતાના જુલ્ફિકારની સાથે ખૈબર પરત ફરે છે, જ્યારે ખૈબર પણ ઇસ્લામના ઐતિહાસિક યુદ્ધ સાથે સંકળાયેલ છે.

ખૈબરની લડાઈ 628 ઈ.માં લડ્યા હતા, જેમાં પયગમ્બર મોહમ્મદ અને તેમના અનુયાયીઓએ ઈમામ અલીના નેતૃત્વમાં યહુદીઓને હરાવ્યા હતા. ખૈબરની લડાઈ એક ખતરનાક અને નુકસાન પહોંચાડનારી હતી. હવે ઈરાન ઈઝરાયલ સામે દુશ્મનીને કારણે પેલેસ્ટાઈન પર કબજો અને મુસલમાનો પર જુલમ ગણાવે છે. ઈરાનમાં ખૈબરનો ઉપયોગ ઈઝરાયલ અથવા યહુદીઓના વિરોધ માટે એક કોડવર્ડમાં કરાય છે, જે ઈતિહાસમાં મુસલમાનોની યહુદીઓ પર ફતેહ (વિક્ટરી)ની યાદ અપાવે છે અને ધાર્મિક રુપ આપ્યું છે.

સેન્ટ્રલ આફ્રિકા ગૃહયુદ્ધનો ભોગ વધુ બન્યું
એના સિવાય ગૃહ યુદ્ધની વાત કરીએ તો હૈતી, કોલ્મબિયા, અફઘાનિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, મોઝામ્બિક, બાંગ્લાદેશ, ઈક્વાડોર, પાકિસ્તાન (બલુચિસ્તાન મુક્તિ) સહિત આતંકવાદીઓ સમર્થિત ઉથલપાથલના ભોગ બનનારા દેશોમાં નાઈજિરિયા, કોંગો, કેમરુન, ઈરાક, ચાડ, બેનીન, લિબિયા, યુગાન્ડા, ટોગો, ઘાના, અલ્જિરિયા, મોરક્કો, તાન્ઝાનિયા, આવિરિક કોસ્ટ, ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે. સુડાનની વાત કરીએ તો સશસ્ત્ર સેના વચ્ચે યુદ્ધ છેડાયું છે, જે 2023 શરુ થયેલું છે, જ્યારે માલી, બુર્કિનો ફાસો, હૈતી અને નાઈજર જેવા દેશમાં આતંકવાદીઓ સતત હિંસા ફેલાવી રહ્યા છે, જેથી નાગરિકો ફસાયા છે. ઈરાક અને સિરિયામાં ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠન હજુ પણ એક્ટિવ છે. ચીન અને તાઈવાન વચ્ચે સંબંધો પણ બગડી રહ્યા છે.

યુદ્ધમાં યુક્રેને 53,000 લોકોને ગુમાવ્યા છે
યુદ્ધ અને ગૃહ યુદ્ધના ભોગ બનેલા 56 દેશમાં સંઘર્ષ છે, જે વર્લ્ડ વોર બીજા પછી સૌથી વધારે દેશોમાં સંઘર્ષ-યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં એકલા યુક્રેનની વાત કરીએ તો 50,000 અને પેલેસ્ટાઈનમાં 22,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે મ્યાનમારમાં પણ 13,000 નાગરિકોનો ભોગ લેવાયા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ પછી ત્રીજા વિશ્વયુદ્ધની કગાર પર પહોંચી ગયું છે, જેમાં બે જૂથ બને તો નવાઈ નહીં. એક અમેરિકા અને બીજું રશિયાનું. અમેરિકાની સાથે યુરોપના અનેક દેશ સામેલ થઈ શકે. એના સિવાય નાટો રાષ્ટ્રો અમેરિકા સાથે આવી શકે છે. યુરોપના અમુક દેશો બ્રિટનના વલણ પછી નક્કી કરી શકે એના સિવાય રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને આરબ દેશ બીજા જૂથમાં સામેલ થઈ શકે છે. યુદ્ધને રોકવા માટે કોઈ ફોર્મ્યુલા નથી. યુદ્ધ અનેક તબક્કામાં થાય છે, જેમ કે પ્રિલિમનરી ટોક. સામાન્ય રીતે અમુક દેશના નેતાઓ અથવા પીસકીપિંગ સંસ્થા સુલહે કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!