ભારતનું પહેલું પોલીસ સ્ટેશન ક્યાં હતું? જાણો તેની પાછળનો ઇતિહાસ
ભારતના પોલીસ ઇતિહાસમાં ઘણા રસપ્રદ પ્રસંગો છુપાયેલા છે. એમાં સૌથી રસપ્રદ સવાલ છે – “દેશનું સૌથી પહેલું પોલીસ સ્ટેશન કયું હતું?” જોકે એ પોલીસ સ્ટેશન ક્યાં આવેલું છે, ક્યારે સ્થાપાયું હતું અને તેનો મૂળ ઉદ્દેશ શું હતો. સાથે સાથે, જણાવીએ કે પોલીસતંત્રનો વિકાસ કેવી રીતે થયો અને આજના સમયના પોલીસતંત્રની ફરજો શું છે. ભારતના શાસન અને કાયદાની સુરક્ષા માટે પોલીસ કેવી રીતે મહત્વપૂર્ણ બની છે એની વાત કરીએ.
બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ્સ (બીપીઆરએન્ડડી)ના અહેવાલ પ્રમાણે એટલે 2022ના અહેવાલ પ્રમાણે દેશમાં કૂલ 17,535 જેટલા પોલીસ સ્ટેશન છે, જેમાં 9,193 ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તારમાં 5,057 છે, જ્યારે 3,286 સ્પેશિયલ પર્પઝ પોલીસ સ્ટેશન આવેલા છે. સંખ્યાબળની રીતે જોવામાં આવે તો દેશમાં કૂલ પોલીસબળની સંખ્યા 20.91 લાખ છે, જ્યારે ખાલી પડેલી જગ્યાની સંખ્યા 5.31 લાખ છે. પોલીસના વાહનોની સંખ્યા 2.02 લાખ તથા 4.60 લાખ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેમની મૂળ જવાબદારી ગુના નિવારણ અને નિયંત્રણ સાથે જનતાની રક્ષા કરવાની છે.
પણ આઝાદી પહેલા પોલીસની કામગીરી અને જવાબદારી અલગ હતી. મૂળ વાત કરીએ દેશના સૌથી પહેલા પોલીસ સ્ટેશનની. બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપની જ્યારે ભારતમાં વેપાર કરવા આવી ત્યારે કોલકાતામાં થાણું બનાવ્યું અને એનો ઉદ્દેશ હતો. વેપાર કરવાની સાથે શાસન સ્થાપિત કર્યું અને જેમ જેમ નિયંત્રણ વધતું ગયું તેમ કંટ્રોલ માટે કાયદો અને વ્યવસ્થાની સિસ્ટમ બનાવી. આ જરુરિયાતોને પૂરી કરવા માટે અંગ્રેજોએ પોલીસ સિસ્ટમની શરુઆત કરી.
ભારતનું પહેલું પોલીસ સ્ટેશન 1844માં કલકતા (કોલકાતા)માં બનાવ્યું હતું. એ જમાનામાં અંગ્રેજો માટે કલકતા રાજધાની હતું અને શાસકીય ગતિવિધિનું મુખ્ય કેન્દ્ર હતું. આ જ કારણથી પોલીસ વ્યવસ્થા ઊભી કરી, ત્યારબાદ તેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં સ્થાપિત કરી, જેથી શહેરમાં સુરક્ષા અને નિયંત્રણ રહે.
કલકત્તા અંગ્રેજોની હકૂમત માટે મહત્ત્વનું ઠેકાણું હતું, જ્યાં વેપાર, પ્રશાસન અને સેના સહિત અન્ય બાબતનું મહત્ત્વ હતું. એ જમાનામાં કલકતામાં વિરોધ અને પ્રદર્શનો થતા હતા, તેથી કલકત્તામાં સૌથી પહેલા પોલીસ સ્ટેશન બનાવ્યું હતું. શરુઆતમાં પોલીસનું કામ જનતાની મદદ કરવાનું નહોતું, પરંતુ અંગ્રેજોની રક્ષા કરવાનો હતો. પોલીસની ભરતી માટે સૌથી વધુ સ્થાનિક લોકોને ભર્યા હતા, પરંતુ અધિકારી અંગ્રેજો હતા અને એનો હેતુ નિયંત્રણ રાખવાનો હતો. ટેક્સ વસૂલાતમાં મદદ કરવાની સાથે કોઈ પણ જાતના વિરોધને દબાવવાનો હતો, જે આજની પોલીસ કરતા સાવ અલગ ઉદ્દેશ હતો.
આઝાદી પછી પોલીસની કામગીરીમાં પરિવર્તન આવ્યું અને લોકશાહી ઢબે નિર્માણ કરવામાં આવ્યા પછી લોકો-જનતાની મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી. હવે પોલીસ જનતાની સુરક્ષા માટે કામ કરે છે, જ્યારે પ્રશાસનની રક્ષાની નહીં. આજે દેશમાં વધતી વસ્તીની સાથે પોલીસ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે, જ્યારે જનતાની રક્ષા માટે ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી અને મહિલા સુરક્ષા સાથે તેમને પણ ઝંપલાવ્યું છે.