June 30, 2025
હેલ્થ

કોરોનાથી બચવા માટે અપનાવો આ મહત્વપૂર્ણ હેલ્થ ટિપ્સ

Spread the love

કોરોના મહામારીમાંથી ઉગર્યા પછી દર વર્ષે કોરોનાના વધતા કેસ લોકોને ડરાવતા રહે છે. દર વર્ષે કોરોનાના કેસમાં વધારો થાય છે, તેનાથી સાવધ રહેવાનું જરુરી પોતાના માટે જ નહીં, પરિવાર માટે જરુરી છે. વાસ્તવમાં કોરોના વાઈરસના કારણે આપણું જીવન બદલાઈ ગયું છે. ડોક્ટરની સાથે આરોગ્ય વિભાગ પણ દર વર્ષે હરકતમાં આવી જાય છે અને જરુરી પગલા ભરે છે, પરંતુ એક સતર્ક નાગરિક તરીકે પણ સૌએ જરુરી પગલા ભરવાનું જરુરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે હૂના જણાવ્યા મુજબ કોરોના વાઈરસના વધતા સંક્રમણ મુદ્દે સચોટ ઉપાય તરીકે નીચેની ટિપ્સને ફોલો કરવાનું જરુરી રહે છે.

હાથને ઘસી ઘસીને ધોવાનું રાખો
ઘરની બહાર ગયા પછી પાછા ફરતી વખતે અચૂક હાથ ધોવાનું રાખો. ઘસીને હાથ ધોવાથી વાઈરસ નાશ પામે છે. આંખ, નાક અને હોઠને હાથથી ટચ કરવાનું ટાળો. આપણો હાથ અનેક જગ્યા ટચ થતો હોવાથી તેમાં વાઈરસનું સંક્રમણ થવાનું વધારે રહે છે, તેથી ચહેરા અને અન્ય અંગોને ટચ કરવાનું અવગણો. અન્ય જગ્યા ટચ થવાથી શરીરમાં ચેપનું પ્રમાણ વધી શકે.
ખાંસી કે છીંક આવે ત્યારે હાથ રુમાલ અથવા ટિસ્યૂનો ઉપયોગ કરો અને જો તે ના હોય તો કોણી વાળીને અવરોધ લાવી શકો. તેની પાછળનો ઉદ્દેશ વાઈરસ ધરાવતા છાંટા અન્ય લોકો સુધી પહોંચે નહીં કે ચેપ લાગે નહીં.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ખાસ રાખો
એકબીજાથી બે મીટરનું અંતર રાખો. એટલે બે હાથ ફેલાવીએ એટલું સુરક્ષિત અંતર રાખવાનું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બહાર નીકળો ત્યારે એકબીજા સાથે સેકહેન્ડ કરવાનું ટાળો. નમસ્તે કહીને કે હાથ જોડીને અભિવાદન કરી શકો છો. ઘણા બધા વિસ્તારોમાં જેમ કે લોકોને ઘરની બહાર નીકળવાની સૂચના આપવામાં આવે છે, જેમાં બીમાર દર્દીઓને બહાર લઈ જવાનું ટાળો. બજારમાં મળતા કાપડના સાદા માસ્કનો ઉપયોગ કરી શકો છો અથવા મેડિકલમાંથી મળતા માસ્કનો ઉપયોગ કરો.

બીમારી વકરે એ પહેલા ડોક્ટરની સલાહ લો
કોરોના વાઈરસના ચેપના મુખ્ય લક્ષણોમાં તાવ આવવો અને સૂકી ખાંસી છે, તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. ગળું બગડવું યા માથું દુખવું સહિત અન્ય લક્ષણોમાં જેમ કે સ્વાદ જવો, ગંધ આવે નહીં એના અંગે પણ સાવધ થઈ શકો છો. તાવ આવવા લાગે કે ખાંસી આવે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો ડોક્ટરની તાત્કાલિક સલાહ લેવી જોઈએ. શ્વાસનળીમાં ચેપના કારણે કે બીજી કોઈ ગંભીર બીમારીને કારણે પણ આવું થઈ શકે છે.

બીમારીના સંજોગોમાં શું કરશો?
કોઈ બીમારીના ભોગ બનો તો પરિવારના સભ્યો સાથે ડાયરેક્ટ સંપર્કમાં ના હો તો કોલ કરીને કોન્ટેક્ટમાં રહી શકો છો. તમને જેની તકલીફ હોય એની ચર્ચા કરો અને બીજાના લોકોની ચિંતાને પણ સમજવાની કોશિશ કરો. નિયમિત કસરત કરો અને સંતુલિત પૌષ્ટિક ખાવાનું રાખો. ધૂમ્રપાન કરવાનું ટાળો અને દારુનું સેવન કરવું નહીં. મજા પડતી હોય એવી પ્રવૃત્તિ કરો અને રુટિન જાળવી રાખીને પૂરતી ઊંઘ લેવાનું રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!