કિરાના હિલ્સ શું છે, પાકિસ્તાન આર્મી માટે શું મહત્ત્વ ધરાવે છે, જાણો સિક્રેટ?
પહલગામ હુમલા પછી આતંકવાદીઓનો સફાયો કરવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો નાશ કરવા માટે ભારતે એક પછી એક જગ્યાએ હુમલા કર્યા હતા, પરંતુ તેમાંથી એક જગ્યા હજુ ચર્ચામાં છે અને એ છે કિરાના હિલ્સ. એવું કહેવાય છે કે પાકિસ્તાન આર્મી અહીં પરમાણુ હથિયારો રાખે છે તો જાણીએ વિસ્તૃત વાતો.
કિરાના હિલ્સ પાકિસ્તાની પંજાબના સરગોધા જિલ્લામાં સ્થિત છે. કિરાના હિલ્સનો વિસ્તાર રબવાહ અને સરગોધા શહેર વચ્ચે આવેલો છે. સરગોધા એરબેઝથી 20 કિલોમીટર અને ખુશાબ ન્યુક્લિયર પ્લાન્ટથી 75 કિલોમીટરના અંતરે આવેલું છે. ભારતના સરગોધા સ્થિત મુશાફ એરબેઝ પર હુમલો કર્યો હતો અને આ એરબેઝ પરમાણુ ભંડારથી અંડરગ્રાઉન્ડ સંબંધિત છે. આ પરમાણુ ભંડાર કિરાના હિલ્સની નીચે છે અને એવો પણ દાવો કરવામાં આવે છે કે ભારતે હુમલામાં ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે, તેથી એ વાત જાણવી જરુરી છે કે કિરાના હિલ્સ શું છે અને પાકિસ્તાન માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.
આ વિસ્તાર લાંબા સમયથી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલો છે. એવું માનવામાં આવે છે કે, પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાઓ આ સ્થળે વિકસિત અને સંગ્રહિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1980ના દાયકામાં અહીં ભૂગર્ભ ટનલ અને બંકર બનાવવામાં આવ્યા હતા, જ્યાં પાકિસ્તાને તેના પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો છુપાવી રાખ્યા છે.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કિરાણા હિલ્સ પર્વતમાળા પાકિસ્તાનના સરગોધા નજીક આવેલી છે. સરગોધામાં પાકિસ્તાનનું એક મોટું એરબેઝ છે, જ્યાં પાકિસ્તાનની વાયુસેનાના જે-7, જેએફ-17 અને મિરાજ ફાઈટર જેટ તહેનાત કરવામાં આવે છે. કિરાના પર્વતમાળાને બ્લેક હિલ યાને કાળો પર્વત-ટેકરી કહેવાય છે. આ ટેકરીઓની અંદર ઘણી બધી ગુફાઓ આવેલી છે, તેમાંય એંસીના દાયકામાં પાકિસ્તાને આ ગુફાઓ દ્વારા મજબૂત નેટવર્ક ઊભું કર્યું હતું, જયાં પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો રાખવામાં આવતા હતા. આ ગુફાઓ જમીનથી નીચે સેંકડો ફૂટ નીચે આવેલી છે.
બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો સરગોધા એરબેઝ કિરાનાની સુરક્ષા કરવા માટે તૈયાર કર્યું હતું. એવું પણ કહેવાય છે કે કિરાનાને અમેરિકાના એરિયા 51ના આધારે ડેવલપ કર્યું છે, જેથી બ્લેક હિલની અંદર પાકિસ્તાનના અણુ શસ્ત્રોનું સિક્રેટ પણ કદાપિ બહાર આવે નહીં. પાકિસ્તાનની પાસે કિરાનાથી લગભગ 80 કિલોમીટ દૂર કુશાબમાં આવેલા વોટર રિએક્ટર છે, જે ખાસ કરીને યુરેનિયમ જેવા કિરણોત્સર્ગી પર્દાથોના સંવર્ધનમાં મદ કરે છે.
આ બાબત અંગે અગાઉ એક સંશોધકે ચોંકાવનારી ખબર મોકલાવી હતી, જેમાં જણાવ્યું હતું કે કિરાના હિલ્સની અંદર પરમાણું સંશોધનના ચિહ્નો છે. ત્યાં રાત્રે અજાણી યાંત્રિક ગતિ, સુરક્ષિત ઓડિયો-પ્રૂફ બિલ્ડિંગ્સ અને ભૂગર્ભ લેબોરેટરીઝ જેવી પ્રવૃત્તિ જોવા મળી છે. કિરાના હિલ્સ પરથી મળેલી માહિતી પરથી એ નક્કી થયું કે પાકિસ્તાન તબકકાવાર પોતાના પરમાણું હથિયારોનું પરીક્ષણ કરવા માગતું હતું – ખૂબ ગુપ્ત રીતે. જોકે, આ વખતે ભારતના ઓપરેશન સિંદૂર સાથે કથિત પાકિસ્તાનમાં કરેલા હુમલાને કારણે પાકિસ્તાન સાથે અમેરિકા હરકતમાં આવી ગયું છે.
છેલ્લે વર્લ્ડ ન્યુક્લિયર એસોસિયેશનના અહેવાલ અનુસાર ઈસ્લામાબાદથી 200 કિલોમીટર દક્ષિણમાં આવેલા ખુશાબ વિસ્તારમાં ચાર જાયન્ટ વોટર રિએક્ટર આવેલા છે અને પ્લુટોનિયમ બનાવવામાં આવે છે. કિરાના હિલ્સ પાકિસ્તાનમાં સૌથી સુરક્ષિત મિલિટરી ઝોન માનવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઓળખવામાં આવે છે.