PBKS VS KKR: પંજાબે કોલકાતાને હરાવીને નવો ઈતિહાસ રચ્યો, જાણો કઈ રીતે?
ઈન્ડિયન પ્રીમિયર લીગની 31મી મેચ ગઈકાલે પંજાબ કિંગ્સ ઈલેવન (PBKS)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને હરાવીને નવો ઈતિહાસ રચ્યો. ગઈકાલની મેચમાં પંજાબ કિંગે 16 રનથી શાનદાર જીત મેળવી છે. સૌથી ચોંકાવનારી વાત હતી કે કોલકાતાની ટીમ 112 રનનો સ્કોર ચેઝ ન કરી શકી નહીં અને પંજાબે લોએસ્ટ સ્કોરમાં આક્રમક જીત મેળવી હતી. અલબત્ત, આઈપીએલના ઈતિહાસમાં પંજાબ કિંગે સૌથી લોએસ્ટ સ્કોર કર્યો હતો, જેમાં કોલકાતાને પરાસ્ત કર્યું હતું. આ અગાઉ વર્ષ 2009માં ચેન્નઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં 116 રનનો ટોટલ સ્કોરને ચેન્નઈએ ડિફેન્ડ કરાયો હતો.
ગઈકાલે ચંદીગઢના મુલ્લામપુર ખાતે રમાયેલી મેચમાં સૌથી પહેલા પંજાબની ટીમે બેટિંગ કરતા માત્ર 15.3 ઓવરમાં 111 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે તેના જવાબમાં કોલકાતાની ટીમ તો માત્ર 95 રનમાં ઓલ આઉટ થઈ હતી. સામાન્ય રીતે મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબની બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતા પણ કોલકાતાના બેટ્સમેનોને હંફાવી દીધા, જેમાં મેચ વિનર બોલર તરીકે પંજાબની ટીમમાં યુઝવેન્દ્ર ચહલ રહ્યો હતો.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી, જેમાં કોલકાતાના બોલર તૂટી પડ્યા હતા, જેમાં હર્ષિત રાણા ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે સુનીલ નરેન, વરુણ ચક્રવર્તીએ બબ્બે વિકેટ લીધી હતી. પંજાબને ફક્ત 111 રનમાં ઓલ આઉટ કરનારા કોલકાતા ઓવર કોન્ફિડન્સમાં જાણે 111 રનનો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
પંજાબ કરતા પણ કોલકાતાની ટીમના ખેલાડીઓએ તાસના પત્તાની માફક એક પછી એક વિકેટ ગુમાવી હતી. શરુઆતમાં નરેન અને ડીકોકે માંડ ડબલ ડિજિટનો સ્કોર પાર કર્યો ત્યારે વિકેટ ગુમાવી હતી. જોકે, અંગકૃષ્ણની 37 રને મેચમાં જીવ રેડ્યો હતો, જ્યારે રહાણેએ માંડ 17 રન ઉમેર્યા હતા, પરંતુ એના પછી યુઝવેન્દ્ર ચહલે એક પછી એક ચાર વિકેટ ઝડપવાને કારણે કોલકાતા સસ્તામાં પેવેલિયન ભેગુ થયું હતું. કોલકાતાને 12 રનથી હરાવીને પંજાબે નવો ઈતિહાસ રચ્યો હતો, જેમાં અગાઉ 2019માં ચેન્નઈની ટીમે સૌથી લોએસ્ટ ટોટલને ડિફેન્ડ કર્યો હતો.