ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ, પ્રત્યાર્પણની પ્રક્રિયા શરુ
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને લઈને મોટા સમાચાર જાણવા મળ્યા છે કે બે દિવસ પહેલા 12 એપ્રિલના બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડ રુપિયાનું કૌભાંડ કરીને ભાગી જવાનો આરોપ હતો. નાણાકીય ગેરરીતિ કર્યા પછી મેહુલ ચોકસી ભારતમાંથી ભાગી ગયો હતો. મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે અનુરોધ કર્યો હતો, જેને કારણે બેલ્જિયમ સરકારે મેહુલ ચોકસી પર એક્શન લીધા છે. મેહુલ ચોકસી સ્વિટર્ઝલેન્ડ જવાની ફિરાકમાં હતો ત્યારે ભારતીય એજન્સીના એલર્ટને કારણે તેની બેલ્જિયસ પોલીસે ધરપકડ કરવામાં સફળતા મળી છે.
બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણ માટે પ્રક્રિયા શરુ
ભારતના ટોચના અધિકારીઓએ બેલ્જિયમના સરકાર સાથે વાત કરીને મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરુ કરી છે એના પછી સરકારે તેની અટક કર્યા પછી ધરપકડ કરી છે. આ અગાઉ મેહુલ ચોકસી કેરેબિયન દેશ એન્ટિગુઆ ને બારમુડામાં હતા, ત્યાંથી ભારત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં ભારત સફળ રહ્યું નહોતું, કારણ કે એન્ટિગુઆ અને બારમુડાની હાઈ કોર્ટે સુનાવણી કરતા મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ કરવાનો ઈનકાર કર્યો હતો, જેથી ભારતને તેનો ફટકો પડ્યો હતો.
ડિસેમ્બર 2018માં રેડ કોર્નર નોટિસ જારી કરી
પીએનબી ગેરરીતિ અંગેનો મુદ્દો 2018માં બહાર આવ્યો હતો, ત્યાર બાદ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બેંકે આરોપ મૂક્યો હતો કે તેમણે બેંક 2.81 લાખ કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું છે. આ કેસ બહાર આવ્યા પછી જાન્યુઆરી, 2018માં ચોક્સી દેશ છોડીને એન્ટિગુઆ અને બારમુડા સ્થાયી થયો હતો. આ કેસ અન્વયે બે કર્મચારીની ધરપકડ કરી હતી. નીરવ મોદી અને ચોકસી ચાર અઠવાડિયા માટે પાસપોર્ટ જપ્ત કરીને મુંબઈની કોર્ટમાં તેમની જામીન આપ્યા હતા. સીબીઆઈએ તપાસ હાથ ધરતા ડિસેમ્બર, 2018માં રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. 2019માં એન્ટિગુઆ અને બારમુડામાં ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરુ કરી હતી.
મેહુલ ચોકસીનું નીરવ મોદીનું કનેક્શન શું?
મેહુલ ચોકસીની વાત કરીએ તો તે પોતાના ભત્રીજા નીરવ મોદીની સાથે 13,500 કરોડ રુપિયાના કૌભાંડનો આરોપ છે. પંજાબ નેશનલ બેંકના પૈસાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીની કંપની ગિતાંજલિએ દેશમાં લગભગ 4000 સ્ટોર કર્યા હતા, જે 1996માં સ્થાપિત કરી હતી. ચોક્સીએ ડિસેમ્બર 2017માં એન્ટિગુઆ અને બારમુડાની નાગરિકતા લીધી હતી.
2021માં એન્ટિગુઆથી ગુમ થયાની ફરિયાદ
ઈડીએ જુલાઈ, 2019માં ચોકસીની લગભગ 24.77 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. એ જ વર્ષે સીબીઆઈ કોર્ટે ચોકસીની સામે બિનજામીનપાત્ર વોરન્ટ રદ્દ કરવાની મનાઈ કરી હતી. આ કેસમાં સેબીએ ગિતાંજલિ જેમ્સ પર પાંચ કરોડનો દંડ લગાવ્યો હતો, જેમાં લિસ્ટિંગના નિયમોના ભંગને કારણભૂત ગણાવ્યો હતો. એન્ટિગુઆ અને બારમુડામાં 23 જુલાઈ 2021ના ચોકસી ગુમ થયો હોવાની ફરિયાદ કરી હતી. અગાઉ મેહુલ ચોકસીની ડોમિનિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવા મુદ્દે ધરપકડ કરી હતી, પરંતુ એ વખતે ચોકસીના વકીલે દલીલ કરી હતી કે હવે તે ભારતનો નાગરિક નથી, તેથી પ્રત્યાર્પણ કરી શકાય નહીં. આ કેસમાં એન્ટિગુઆની સરકારને પણ પ્રત્યાર્પણની વાત કરી હતી, ત્યારબાદ 27 મે 2021ના ડોમિનિકન સરકારે ચોકસીને આગામી આદેશ સુધી બહાર નહીં જવાનો આદેશ આપ્યો હતો. જ્યારે જામીન મળ્યા ત્યારે ફરી એન્ટિગુઆ જતો રહ્યો હતો.
ફેબ્રુઆરી, 2022માં ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી હતી કે નીરવ મોદી, મેહુલ ચોકસી અને માલ્યા પાસેથી 18,000 કરોડ રુપિયા વસૂલ્યા છે. આ સમગ્ર કેસમાં 2023માં એન્ટિગુઆની હાઈ કોર્ટે મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને લઈને ભારતને ઝટકો આપ્યો હતો, ત્યાર બાદ સમગ્ર મુદ્દો કોરાણે મૂકાયો હતો.