June 30, 2025
નેશનલમની મેનેજમેન્ટ

ભારતીય રેલવે એક દિવસમાં કેટલી કરે છે કમાણી, જાણો સિક્રેટ?

Spread the love

ભારતીય રેલવે દેશમાં સસ્તા જાહેર પરિવહન માટે બેસ્ટ પરિવહન માનવામાં આવે છે, જ્યારે રોજના હજારો ટ્રેન મારફત લાખો પ્રવાસી ટ્રાવેલ કરે છે. એ જ રીતે સબર્બન સેક્શનમાં શોર્ટ ડિસ્ટન્સમાં પણ લોકો હજારો ટ્રેન મારફત કરોડો લોકો ટ્રાવેલ કરે છે, પરંતુ સૌથી વધુ કમાણી પર રેલવે પ્રવાસીઓથી નહીં, પણ માલસામાનના પરિવહનમાંથી કરે છે. દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે ભારતીય રેલવે પરોક્ષ રીતે મોટું યોગદાન આપે છે. લોકોના પરિવહન માટે ટ્રેનનું મહત્ત્વનું યોગદાન છે, તેથી દુનિયાના સૌથી મોટા પરિવહનમાં ભારતનું નામ લેવામાં આવે છે. પ્રવાસીઓને સસ્તામાં મુસાફરી કરાવવાની તક પૂરી પાડે છે, પરંતુ રેલવેની મુખ્ય આવક તો ગૂડ્સ ટ્રેનના પરિવહનમાંથી મળે છે.

મહિને રેલવેની આવક આશરે 1,200 કરોડની છે
મીડિયા રિપોર્ટ્સના અહેવાલ અનુસાર ભારતીય રેલવે રોજના 400 કરોડ રુપિયાની કમાણી કરે છે. ભારતીય રેલવે માટે સૌથી વધુ કમાણી કરવાનું કામ ગૂડ્સ ટ્રેન કરે છે. દર મહિનાની વાત કરીએ તો ભારતીય રેલવેની આવક આશરે 12,000 કરોડ રુપિયાની છે. ભારતીય રેલવે રોજના હજારો ગૂડ્સ ટ્રેનનું સંચાલન કરે છે, જ્યારે લાખો ટન સામાનનું સંચાલનનું કામ કરે છે. ગૂડ્સ ટ્રેન સિવાય રેલવે રોજના પેસેન્જર ટ્રેન ચલાવે છે. રેલવે સ્ક્રેપ અને રેલવેમાંથી નીકળનારા વિવિધ ટેન્ડરમાંથી પૈસાની કમાણે કરે છે.

પેસેન્જર 13,523 અને ગૂડ્સ ટ્રેન 11,724 દોડાવે છે
એક અંદાજ પ્રમાણે રેલવે રોજના 13,523 પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન લગભગ 7,000 સ્ટેશનને કવર કરે છે. 2023-24ના અંદાજ પ્રમાણે રેલવેે કુલ 6.509 અબજ પ્રવાસીને પરિવહન પૂરું પાડ્યું હતું. બીજી બાજુ રેલવે રોજના 11,724 ગૂડ્સ ટ્રેનનું સંચાલન કરે છે. દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું ભારતીય રેલવેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પ્રવાસીઓની અવરજવર કરતા માલસામાનના પરિવહનથી રેલવેએ મોટી કમાણી કરે છે. એટલે ભારતીય રેલવેને કારણે વેપારીઓ-ઉદ્યોગપતિઓ પણ સસ્તા અને ઝડપી પરિવહનને કારણે કમાણી કરે લે છે. મોટા ભાગના લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરે છે.

ભારતીય રેલવે 12 લાખથી વધુ કર્મચારી ધરાવે છે
રેલવે નવી રોજગારી પૂરી પાડવા માટે પણ મોટું એકમ છે. દેશમાં લાખો લોકોને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. રેલવે કર્મચારીના વિવિધ સેક્ટરમાં એન્જિનિયર, લોકો પાયલટ, ટિકિટ ચેકર, સ્ટેશન માસ્ટર તેમ જ રેલવે સંબંધિત વિવિધ ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. રેલવે સ્ટેશનના પરિસરની આસપાસ અને અંદર કામ કરનારા ફેરિયા-વેપારીઓ પણ રોજગારી રેલવેથી પ્રાપ્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!