મુંબઈમાં ભીખ માગીને બન્યા આ ભાઈ દુનિયાના શ્રીમંત ભિખારી, જાણો કોણ છે?
બેગર, ભિખારી કે ભિક્ષુકની વ્યાખ્યા આજના જમાનામાં વિસ્તૃત બનતી જાય છે, પરંતુ ભારતમાં એવા પણ ભિખારી છે, જે ફક્ત કામથી ભિખારીનું બિરુદ મળ્યું છે, પરંતુ આવકની દૃષ્ટિએ કરોડોના આસામી છે. ફાટેલા-જૂના કપડાં, બેહાલ જિંદગી અને ખાવાપીવા કે ઘરબારના પણ કોઈ ઠેકાણા ન હોય એને ભિખારીની વ્યાખ્યામાં ફીટ થયા છે, પરંતુ તાજેતરમાં એક એવા શ્રીમંત ભિક્ષુકની ચર્ચા છે જેના નામે મુંબઈના પોશ વિસ્તારમાં ફ્લેટ છે, જ્યારે કરોડો રુપિયાની ઈન્કમ તો દુકાનાનો ભાડામાંથી આવે છે. હવે મનમાં વિચાર થયો હશે કો કોણ છે મહાશય તો ચાલો વિગત જણાવીએ.
કૂલ નેટવર્થ છે એક મિલિયન ડોલર
મુંબઈના રહેવાસી એવા ભરત જૈનને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરિણામે શિક્ષણથી વંચિત રહ્યા હતા. લગ્ન કર્યા પછી બે દીકરા પણ છે અને ભરત જૈનના પ્રયાસથી તેઓ ભણે પણ છે. મીડિયાના અહેવાલ અનુસાર ભરત જૈનની કૂલ નેટવર્થ 7.5 કરોડ (એક મિલિયન ડોલર) છે, જ્યારે દુનિયાના સૌથી અમીર ભિખારીમાંથી એક છે.
ભીખ માગીને બન્યા કરોડપતિ
54 વર્ષના ભરત જૈન 40 વર્ષથી ભીખ માગવાનું કામ કરે છે. મુંબઈના જાણીતા રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક આઝાદ મેદાન ખાતે ભીખ માગવાનું કામ કરે છે. રોજના 2,000થી 2,500 રુપિયાની કમાણી કરે છે. રોજના દસથી 12 કલાક ભીખ માગવાનું કામ કરે છે અને એક પણ દિવસ ભીખ માગવાથી મુક્તિ નથી. કોઈ પણ રજા કે બ્રેક વિના ભીખ માગવાનું કામ કરે છે.
પરેલમાં છે 1.2 કરોડનો ફ્લેટ
મુંબઈમાં કહેવાય છે કે રોટલો મળે પણ ઓટલો ના મળે, પરંતુ મહાશયે ભીખ માગીને પેટિયું તો રળી લે છે પણ ભીખ માગી માગીને મુંબઈના પોશ વિસ્તાર પરેલમાં ફ્લેટ (1.2 કરોડ) ખરીદ્યો હતો. પરેલમાં ટુ બીએચકેનો ફ્લેટ ખરીદ્યો હતો. પરિવારમાં પત્ની, બે દીકરા, બે ભાઈ અને પિતા પણ છે. લગ્ન પછી બે દીકરાને પણ કોન્વેન્ટ સ્કૂલમાં એજ્યુકેશન અપાવ્યું હતું. પરેલમાં ફ્લેટ સિવાય થાણેમાં બે દુકાનો ધરાવે છે, જ્યાં દર મહિને 30,000 રુપિયાનું ભાડું પણ મળે છે.
ભીખ માગવાનું કરે છે નાટક
ભરત જૈન વાસ્તવમાં ભિખારી નથી, પરંતુ ભીખ માગવાનું નાટક કરીને પૈસાની કમાણી કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભીખ માગવા સિવાય અન્ય લોકોના જણાવ્યાનુસાર તેમની યાદશક્તિ સારી છે. લોકોના નામ અને ચહેરા પણ યાદ રાખવામાં માસ્ટરી ધરાવે છે. મોંઘા કપડા અને ઘરેણા પહેરવાનો પણ શોખ ધરાવે છે. હિન્દી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા જાણતા આ મહાશય સામાજિક કાર્યક્રમોમાં પણ સામેલ થાય છે, જ્યારે ધાર્મિક કાર્યક્રમોમાં પણ દાન આદિ પણ કરે છે.