June 30, 2025
નેશનલ

મોદીની પીએમ તરીકે શપથવિધિઃ ભાજપ આ કારણથી નાણા ખાતું પોતાના હસ્તક રાખશે, જાણો કારણ?

Spread the love

આ વખતની કેબિનેટમાં અનેક પ્રધાનોને રિપિટ કરી શકાય
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોએ 400 પારના ભાજપના દાવા પર પાણી ફેરવી નાખ્યું છે અને મોદીના કાર્યકાળમાં પહેલી વખત ગઠબંધનની સરકાર બનાવવાની નોબત આવી છે. આજે વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી શપથ લેશે એની સાથે કેબિનેટના ખાતાની ફાળવણી કરવામાં આવશે. ગઠબંધનની સરકાર બનાવ્યા પછી ભાજપ પોતાની પાસે મહત્ત્વના ખાતા રાખવાનું સ્પષ્ટ કર્યું છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા વડા પ્રધાન અને એનડીએના સંસદીય દળના નેતાઓને આજે ત્રીજી વખત રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે, પરંતુ મોદીની કેબિનેટને લઈ અત્યારથી લોકો તર્ક-વિતર્ક કરી રહ્યા છે.modi cabinet
શુક્રવારની સંસદીય દળની બેઠક અને પીએમ મોદીને ગઠબંધનના નેતા નિયુક્ત કરવામાં આવ્યા પછી પ્રધાનમંડળ અને વિભાગની ચર્ચા શરુ કરવામાં આવી છે, જે આજે સવારે પણ ચર્ચાનો મુદ્દો બની છે. હવે એવું કહેવાય છે કે ભાજપે પોતાના ગઠબંધન પક્ષના નેતાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગૃહ મંત્રાલય, સંરક્ષણ, વિદેશ અને નાણા ખાતું પોતાને હસ્તકે રહેશે. નાણા ખાતા માટેનો બીજો એક ગર્ભિત સંકેત છે કે તમામ નાણાકીય વ્યવહારોની તપાસ કરનારી સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિત અન્ય એજન્સીનો એમાં સમાવેશ થાય છે, તેથી નાણા ખાતું પણ કોઈ પણ ભાગે મોદીની પાર્ટીના નેતાને હસ્તકે રહેશે.
કેબિનેટની સુરક્ષા સમિતિ એટલે સીસીએસમાં સામેલ થનારા મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખશે એ નક્કી છે. સીસીએસમાં પીએમ મોદી સિવાય ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સહયોગી પક્ષોને સ્પષ્ટ સંકેત આપ્યા છે આ ચાર મંત્રાલય અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.
એટલું જ નહીં, ભાજપ સંસદીય, શિક્ષણ, સાંસ્કૃતિક સૂચના પ્રસારણ મંત્રાલય પણ પોતાને હસ્તકે રાખી શકે છે. લોકસભાના સ્પીકર પદ પણ પોતાની પાસે રાખશે તો સહયોગી દળોને પોતાની હામાં હા કરાવવામાં ભાજપ સફળ રહી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ વખતની કેબિનેટમાં અનેક પ્રધાનોને રિપિટ કરી શકાય છે, જ્યારે સહયોગી દળોના પંદરથી 16 પ્રધાનપદની ફાળવણી કરી શકાય છે. સૌથી વધુ ભાજપ, ટીડીપી, જેડીયુ, શિવસેના અને એલજેપીના મંત્રી બની શકે છે. સૌથી મહત્ત્વના પદે રિપિટ કરી શકાય એ પ્રધાનોમાં અમિત શાહથી લઈને રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્ણવનું નામ મોખરા પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!