August 26, 2026
ધર્મહોમ

સ્તંભેશ્વરથી લઈ બીજલી મહાદેવ સુધી: ભારતના અદ્ભુત મંદિરોના રહસ્યો, જેમના ચમત્કારો સામે સાયન્સ પણ છે લાચાર

Spread the love

ભારત તેની પૌરાણિક સંસ્કૃતિ, અતૂટ આસ્થા અને ઐતિહાસિક સ્થાપત્યો માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. દેશભરમાં એવા અનેક પ્રાચીન અને દૈવી મંદિરો આવેલા છે, જેમની અલૌકિક ઘટનાઓ અને ચમત્કારો પાછળનું રહસ્ય આજના આધુનિક વિજ્ઞાન અને એન્જિનિયરિંગ યુગમાં પણ વણઉકેલાયેલું રહ્યું છે. આવો જાણીએ ભારતના એવા અતિ પવિત્ર અને રહસ્યમય મંદિરો વિશે, જ્યાં પ્રકૃતિ અને ઈશ્વરીય ચમત્કારો જોઈને ભક્તો દંગ રહી જાય છે.

દિવસમાં બે વાર દરિયામાં ગાયબ થતું સ્તંભેશ્વર મહાદેવ મંદિર: ગુજરાતમાં ખંભાતના અખાત પાસે જંબુસર નજીક દરિયાકિનારે આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિર વિશ્વભરમાં અનોખું છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે આ આખું મંદિર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ (ડૂબી) થઈ જાય છે. ઓટ આવતાં જ દરિયાનું પાણી પાછળ હટી જાય છે અને ભક્તો ફરીથી શિવલિંગના દર્શન અને પૂજા-અર્ચના કરી શકે છે.

દિવસમાં ત્રણ વાર રંગ બદલતું અચલેશ્વર મહાદેવ શિવલિંગ: રાજસ્થાનના ધોલપુરમાં ચંબલના કોતરો વચ્ચે આવેલું અચલેશ્વર મહાદેવ મંદિર તેના ચમત્કારિક શિવલિંગ માટે પ્રખ્યાત છે. આ શિવલિંગ દિવસ દરમિયાન ત્રણ વખત પોતાનો રંગ બદલે છે સવારે લાલ, બપોરે કેસરીયો અને સાંજ પડતાં શ્યામ (સાંવળા) રંગમાં ફેરવાઈ જાય છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રંગ પરિવર્તન પાછળનું સાચું ભૌતિક કારણ શોધી શક્યા નથી.

આકાશી વીજળી પડતી હોવા છતાં અખંડ રહેતું બિજલી મહાદેવ: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ઊંચા પહાડ પર સ્થિત વીજળી મહાદેવ મંદિર અનોખી દૈવી ઘટનાનું સાક્ષી છે. અહીંના શિવલિંગ પર દર અમુક વર્ષે સીધી આકાશી વીજળી પડે છે, જેનાથી શિવલિંગ ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. મંદિરના પૂજારી માખણના લેપથી તે ટુકડાઓને જોડી દે છે અને થોડા જ દિવસોમાં શિવલિંગ આપોઆપ પૂર્વવત અને નક્કર સ્વરૂપ ધારણ કરી લે છે.

એક લાખ છિદ્રોવાળું લક્ષ્મણેશ્વર ‘લક્ષલિંગ’ મંદિર: છત્તીસગઢના ખરૌદમાં સ્થિત લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત શિવલિંગમાં આશરે એક લાખ નાના-નાના છિદ્રો છે. માન્યતા અનુસાર, તેમાંથી એક છિદ્ર પાતાળ લોક સાથે જોડાયેલું છે; તેમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે તો પણ તે તુરંત ગાયબ થઈ જાય છે. જ્યારે અન્ય એક છિદ્ર હંમેશા જળથી ભરેલું રહે છે, જેને ‘અક્ષય કુંડ’ કહેવામાં આવે છે.

દરિયાની લહેરો દ્વારા જળાભિષેક: નિષ્કલંક મહાદેવ (ભાવનગર, ગુજરાત): સમુદ્રની અંદર એક જ ઓટલા પર પાંચ શિવલિંગ બિરાજમાન છે, જ્યાં સમુદ્રના મોજાં સ્વયં આવીને મહાદેવનો જળાભિષેક કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!