પહલગામ હુમલા પછી કાશ્મીરમાં 48 પર્યટક સ્થળ પર લાગ્યા તાળા
સુરક્ષા એજન્સીની ચેતવણી પછી અબ્દુલ્લા સરકારે લીધો નિર્ણય
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી ભારત સરકાર કાશ્મીરમાં પર્યટકોની સુરક્ષાને લઈ સાવધ બની ગઈ છે ત્યારે સરકારે ગુલમર્ગ, સોનમર્ગ અને લેક સહિતના અન્ય સંવેદનશીલ પર્યટનસ્થળો પર પોલીસ ઓપરેશન ગ્રુપ્સના એન્ટી ફિદાયીન યુનિટને તહેનાત કરવામાં આવ્યા છે. ઘાટીમાં હુમલા પછી સામાન્ય રીતે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કર્યો છે.
પહલગામમાં આતંકવાદી હુમલા પછી જમ્મુ કાશ્મીરના અનકે પર્યટન સ્થળને હાલના સંજોગોમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર સરકારે સુરક્ષા એજન્સીના ઈન્પુટને આધારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આતંકવાદી હુમલાની સંભાવના અંગે ગુપ્તચર એજન્સીની ચેતવણીને કારણે 87માંથી 48 પર્યટક સ્થળને બંધ કરવામાં આવ્યા છે.
પહલગામ હુમલા પછી ઘાટીમાં હજુ પણ સ્લીપર સેલ એક્ટિવ બન્યા છે, જેમની ગતિવિધિ જોઈને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ હુમલાની અનેક સેક્ટર પર અસર પડી શકે છે. ખાસ કરીને હોટેલ, નવી કંપની ખોલવા અથવા અન્ય વેપાર સંબંધિત કામગીરી પર ગંભીર અસર પડી શકે છે, જ્યારે નવા રોકાણ પર પણ અસર પડશે.
જમ્મુ અને કાશ્મીરની આર્થિક પ્રગતિ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રહી છે. 2024025માં રિયલ જીએસડીપી 7.06 ટકાના દરથી વધવાનો આશાવાદ હતો, જ્યારે નોમિનલ જીએસડીપી 2.65 લાખ કરોડ થવાની અપેક્ષા હતી, જે પ્રગતિનો સંકેત છે. 2019 અને 2025ની વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશએ 4.89 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજેઆર) નોંધાવ્યો હતો, જ્યારે વ્યક્તિદીઠ
આવક 1,54,703 રુપિયામાં નોંધાવવાની અપેક્ષા હતી, જે ગયા વર્ષ કરતા 10.6 ટકા વધુ હતી. આતંકવાદીઓની ઘટનામાં પણ ઘટાડો નોંધાયો હતો, જેમાં 2018માં આતંકવાદી ઘટના ઘટીને 228થી 2023માં 46 થઈ હતી, જેમાં 99 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અત્યાર સુધી શાંતિને કારણે રોકાણ, પર્યટન અને હોટેલ ઉદ્યોગને ફાયદો થયો હતો.