Train To Bhutan: હવે ટ્રેનથી સીધા ભુટાન જઈ શકાશે, તમારી મુસાફરી બનશે લાજવાબ
ભારતના પડોશી દેશ એટલે વિદેશમાં જવા માટે બાય એર, રોડની કનેક્ટિવિટી સાથે રેલવે કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે, જેમાં પાકિસ્તાન જેવા પડોશી દેશની સાથે વધુ એક નામ ભુટાનનું પણ ઉમેરી શકાય. ભુટાન જવા માટે એર અને રોડ કનેક્ટિવિટી સાથે ટ્રેન મારફત પહોંચવાનો માર્ગ મોકળો બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે ટ્રેનથી પહોંચવામાં પ્રવાસીઓને મુસાફરી યાદગાર બની શકે છે, કેમ તે જાણીએ.
ભુટાન ભારતની નજીકનો સૌથી સુંદર હિમાલયની રેન્જમાં આવેલ દેશ છે, જ્યાં હવે રેલવે મારફત પહોંચવાનું વધુ સુલભ. જો તમે ભુટાન જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી છે કે ભારત અને ભુટાનની વચ્ચે ટૂંક સમયમાં રેલવે લિંક બનાવવામાં આવશે. આસામના કોકરાઝાર જિલ્લાને ભુટાનના ગેલેફુ શહેર સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી ભારતીય પ્રવાસીઓ માટે ભુટાન જવાનું વધુ સુવિધાજનક બનશે અને ભારતથી ભુટાન એટલે કોકરાઝારથી ગેલેફુ પહોંચવામાં જે અનુભવ થશે એ અવર્ણનીય હશે.
આ રેલવે લિંકની કૂલ લંબાઈ લગભગ 69 કિલોમીટરની આસપાસ હશે, જે આસામના કોકરાઝારથી શરુ થઈને ભુટાનના ગેલેફુ સુધી હશે. રેલવેના પ્રસ્તાવિજ પ્રોજેક્ટ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યો છે અને અંતિમ મંજૂરી માટે રજૂ પણ કરવામાં આવ્યો છે. આ રેલ કનેક્ટિવિટી ભારત અને ભુટાનના સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વનું પગલું હશે.
કોકરાઝારથી ગેલેફુ સુધીના 69 કિલોમીટરના રેલવે રુટમાં છ નવા સ્ટેશન બનાવવામાં આવશે. છ નવા સ્ટેશનમાં સૌથી પહેલા બાલાજાન, ગરુભાસા, રુનિખાતા, શાંતિપુર, દાદગિરી અને છેલ્લું ગેલેફુ હશે. એના સિવાય બે મોટા પુલ, 29 મુખ્ય પુલ, 65 સૌથી મોટા પુલ, એક રોડઓવર બ્રિજ અને 39 રોડઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ યોજનાથી પ્રવાસીઓને જ નહીં, પરંતુ બંને દેશના વેપાર અને પર્યટન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે.
ભારતના લાખો પર્યટકો દર વર્ષે ભુટાન જાય છે, જ્યારે ભુટાનથી પણ લોકો ભારત ફરવા માટે અચૂક આવતા હોય છે, તેથી રેલ પ્રોજેક્ટ પર્યટન ક્ષેત્રમાં વધુ પ્રવાસીની અવરજવર બની શકશે. ઉપરાંત, હનિમૂન ડેસ્ટિનેશન માટે લોકપ્રિય બની શકે છે. ભારતીય નાગરિકો વિઝા વિના પણ પ્રવાસ કરી શકે છે, તેમાંય રેલવે લિંક ઊભી કર્યા પછી આ સફર વધુ સુગમ બની શકે છે. વેપારી વર્ગની અવરજવરની સાથે તીર્થસ્થળોએ લોકોની અવરજવર વધી શકે છે.