એલર્ટઃ વોટસએપ ચલાવનારાઓ ચેતી જાઓ નહીં તો બંધ થઈ શકે એકાઉન્ટ
WhatsApp અત્યારે દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. ચેટિંગથી લઈને વોઈસકોલ અને વીડિયો કોલનો લાખો નહીં, કરોડો લોકો ઉપયોગ કરે છે. મેટાની માલિકી હેઠળની આ એપ્લિકેશનમાં કંપની ગ્રાહકોની સુવિધા માટે નવા નવા ફીચર્સ લાવે છે, પરંતુ વોટસએપે લાખો એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે.
સાઈબર ફ્રોડને રોકવા મેટાએ ભર્યું કડક પગલું
ઓનલાઈન ફ્રોડ પર રોક લગાવવા માટે કડકાઈથી ધ્યાન રાખી રહ્યું છે અને એના માટે કંપનીએ લગભગ 84 લાખ જેટલા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મેટાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સાઈબર ફ્રોડ જેવી ગતિવિધિને લઈ ઉપરોક્ત પગલું ભરવામાં આવ્યું છે.
84 લાખથી વધુ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ
કંપનીએ તેના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે નિયમોનું પાલન નહીં કરનારા એકાઉન્ટ હોલ્ડર પર કાર્યવાહી કરી છે. મેટાના ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં કંપનીએ ભારતમાં 84.5 લાખ યૂઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે 16.6 લાખ એકાઉન્ટ્સને તાત્કાલિક ધોરણથી રિમૂવ કરવામાં ાવ્યા હતા, જ્યારે બાકીના યૂઝર્સ પર પછીથી કાર્યવાહી કરવામાં આવી હતી.
નિયમોનું પાલન નહીં કરો તો એકાઉન્ટ ડિલિટી કરી શકે
મેટા કંપનીએ તેના રિપોર્ટમાં યૂઝર્સને ચેતવણી આપતા જણાવ્યું છે કે એક કરતા અનેક કારણોથી એકાઉન્ટ બંધ થઈ શકે છે અથવા ડિલિટ થઈ શકે છે. જો યૂઝર્સ બલ્ક મેસેજિંગ, સ્પામ અથવા છેતરપિંડ સંબંધમાં વોટસએપનો ઉપયોગ કરતા હોય તો પણ પ્રતિબંધ મૂકાઈ શકે છે. ઉપરાંત, ખોટી માહિતી ફેલાવવાના કિસ્સામાં તમારું વોટસએપ બ્લોક થઈ શકે છે. અને છેલ્લે જો તમે કોઈ ગેરકાયદે ગતિવિધિ કરતા હો તો પણ તમારું વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ શકે છે.