ન્યૂ ઝીલેન્ડ સામે ધબડકા પછી આફ્રિકાની ટૂર માટે ભારતના હેડ કોચની હકાલપટ્ટી કે રેસ્ટ?
ભારતીય ટીમ અત્યારે ન્યૂ ઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. પહેલી બે ટેસ્ટ હાર્યા પછી પહેલી વખત ન્યૂ ઝીલેન્ડ સિરીઝ હારી ગયું છે. ભારતના શરમજનક પ્રદર્શન વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટનથી લઈને હેડ કોચ પર પસ્તાળ પડી છે. ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હાર્યા પછી 18 વર્ષે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. ગૌતમ ગંભીર હેડ કોચ હોવા છતાં સિરીઝ ગુમાવવાની નોબત આવી છે. શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયાની સોશિયલ મીડિયા પર યૂઝરે ઝાટકણી કાઢી છે.
બીજી બાજુ દક્ષિણ આફ્રિકાની ટૂર માટે ટીમ ઈન્ડિયાના કોચમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પૂરી થયા પછી ટીમ ઈન્ડિયાની ચાર મેચની ટવેન્ટી-20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડશે. આ ટૂરમાં હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ જોવા મળશે.
બોર્ડર ગાવસ્કાર ટ્રોફીમાં જોવા મળશે ગંભીર
મળતી માહિતી મુજબ દક્ષિણ આફ્રિકાની ટૂર માટે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે જોવા મળશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે રવાના થશે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણ જશે એ વાતને લક્ષ્મણે સમર્થન કર્યું છે.
20-ટવેન્ટી સિરીઝ આઠથી 15 નવેમ્બરના રમાશે
દક્ષિણ આફ્રિકા સાથે રમાનારી ટવેન્ટી-20 સિરીઝની કોઈ યોજના નહોતી, પરંતુ છેલ્લી ઘડીએ બીસીસીઆઈએ નિર્ણય લીધો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટવેન્ટી-20 સિરીઝ આઠમી નવેમ્બરથી શરુ થશે, જ્યારે છેલ્લી મેચ પંદરમી નવેમ્બરના રમાશે. ટવેન્ટી-20 સિરીઝ માટે ભારીતય ટીમ ચોથી નવેમ્બરે દક્ષિણ આફ્રિકા રવાના થશે. હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની સાથે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં કોચિંગ સ્ટાફના અન્ય સભ્ય સાઈરાજ બહુતુલે, ઋષિકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ પણ જશે.
કોણ જશે દક્ષિણ આફ્રિકા
ટીમ ઈન્ડિયામાં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, સંજુ સૈમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશક, અવેશ ખાન અને યશ દયાલનો સમાવેશ થાય છે.