Sunday Special: Ratan Tata અને શાંતનુ નાયડુનું કનેક્શન શું છે, દીકરા કરતા સવાયો કેમ?
નવમી ઓક્ટોબરની રાત ભારતીય ઉદ્યોગજગતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કરોડો ભારતીયોના દિલમાં રાજ કરતા રતન ટાટાનું નિધન થયું અને આ સમાચારે દેશવાસીઓને આઘાત આપ્યો. સોશિયલ મીડિયા પર સમાચાર પણ વાયુવેગે ફેલાયા. ટવિટર, ફેસબુક, લીકઈન, વોટસએપ સહિત અન્ય મીડિયા પર એક જ સમાચાર હતા રતન ટાટાના નિધનના. સાદગી, કરુણાના મૂર્તિ ગણાતા રતન ટાટાના નિધનથી સૌથી વધુ દુખી તો કેન્સર પેશન્ટ અને દર્દીઓના સંબંધીઓ. કમાણી કરતા પણ ડબલ પૈસા દાનમાં આપનાર રતન ટાટા (Ratan Tata)ની જિંદગી અનેક ઉતાર-ચઢાઉ વચ્ચે પણ ક્યારેય લાઈમલાઈટમાં રહ્યા નહોતા.
રતન ટાટા અને ટાટા સન્સ-Gropu માટે એક ઈતિહાસ લખાશે, પણ રતન ટાટાના નિધન પછી દીકરાસમાન શાંતનુની ચર્ચા ચારેબાજુ છે. 86 વર્ષના રતન ટાટા અને 30 વર્ષના શાંતનુના સંબંધે સૌના દિલ જીત્યા છે. બંનેની દોસ્તી દુનિયા માટે મિસાલ બની ગઈ. દીકરા કરતા વિશેષ એવા શાંતનુ નાયડુએ અંતે રતન ટાટાને વિદાય આપી અને એના પછી લિંક્ડઈન પર ઈમોશનલ પોસ્ટ લખીને લોકોનું દિલ જીતી લીધું.રતન ટાટાને વિદાય આપતા શાંતનુએ લખ્યું ‘આ દોસ્તીએ મારા જિંદગીમાં ખાલીપો કર્યો છે, જે બાકી જિંદગી પૂરી કરવાની કોશિશમાં વિતાવી દઈશ. પ્રેમ માટે દુખની કિંમત ચૂકવવી પડે છે. અલવિદા માય ડિયર લાઈટહાઉસ.” વાત કરીએ દીકરા કરતા સવાયા શાંતનુની લાઈફમાં લાઈટહાઉસ બનનારા રતન ટાટા સાથેના કનેક્શનની.
કોણ છે શાંતનુ નાયડુ?
લગ્ન નહીં કર્યા પછી સિંગલ લાઈફ જીવ્યા અને ભારત જ નહીં, દુનિયાના ઉદ્યોગપતિઓ, વીવીઆઈપી સેલિબ્રિટીઝ માટે દીવાદાંડી બન્યા, જ્યારે છેલ્લી ઉંમરમાં તેમના ડગલે પગલે સાથે રહેનાર શાંતનુ નાયડુએ રંગ રાખ્યો. પારિવારિક સંબંધ નહીં હોવા છતાં દુબળા-પતલા યુવાને રતન ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિનું દિલ કઈ રીતે જીત્યું અને એવું તો શું હતું શાતનુ નાયડુમાં. રતન ટાટાના આસિસ્ટંટ રહેલા શાતનુ નાયડુ ટાટા ટ્રસ્ટના ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. શાંતનુની કામગીરીથી રતન ટાટા પ્રભાવિત હતા અને તેને ફોન કરીને તેમની સાથે કામ કરવાનું કહ્યું હતું. 2022માં રતન ટાટાની ઓફિસમાં જીએમ બન્યો હતો. શાંતનુ નાયડુ મુંબઈનો રહેવાસી છે. 1993માં પુણેમાં શાંતનુનો જન્મેલો શાંતનુ રતન ટાટાને સ્ટાર્ટ અપ્સમાં રોકાણ માટે બિઝનેસ ટિપ્સ આપતો હતો.
રતન ટાટા સાથે કઈ રીતે થઈ હતી મુલાકાત?
શાંતનુ નાયડુની મુલાકાત પછી બંને એકબીજાના દોસ્ત બની ગયા હતા. 2014માં પહેલી મુલાકાત થઈ હતી. નાયડુ અકસ્માતે સ્ટ્રીટ ડોગને બચાવવા માટે તેમના ગળામાં રિફ્લેક્ટિવ કોલર બનાવતો અને શ્વાનના ગળામાં લગાવતો. આ કોલર અંધારામાં ચમકી જવાને કારણે ડ્રાઈવર કારને રોકી લેતા. આ આઈડિયાથી રતન ટાટા એટલા પ્રભાવિત થયા કે રતન ટાટા શાંતનુને મળ્યા હતા, ત્યારબાદ પોતાના આસિસ્ટંટ બનાવ્યા પછી બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ હતી. પહેલી વાર શાંતનુને રતન ટાટા મળ્યા ત્યારે તેની ઉંમર 20 વર્ષ હતી. શાંતનુ 2017થી ટાટા ટ્રસ્ટમાં કામ કરે છે. એના સિવાય નાયડુ ટાટા એન્ડ સન્સમાં ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
કેટલું ભણ્યો છે શાંતનુ નાયડુ?
શાંતનુ અમેરિકાના કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. ટાટા ગ્રપમાં કામ કરનાર એ એકલો નથી, પરંતુ શાંતનુ નાયડુની પાંચમી પેઢી છે. અમેરિકામાં અભ્યાસ કર્યા પછી ટાટા ગ્રુપમાં નોકરી કરવાનું પસંદ કર્યું હતું. નોકરી સિવાય Goodfellowsનો ઓનર પણ છે, જે પ્લેટફોર્મ સિનિયર સિટિઝનને કોમ્પ્રિહેન્સિવ સપોર્ટ આપે છે. કંપનીની વેલ્યુ લગભગ પાંચ કરોડ રુપિયાની છે. પશુ પ્રેમ અને સમાજ સેવાની ભાવના મનમાં રાખનારા શાંતનુ મોટોપોઝ નામની સંસ્થા બનાવી છે, જે સ્ટ્રીટ ડોગને મદદ કરે છે. નાયડુના નેતૃત્વમાં મોટોપોઝે 17 શહેરમાં વિસ્તાર કર્યો છે, જ્યારે આઠ મહિનામાં 250 કર્મચારી કામ કરે છે.
શાતનુની નિષ્ઠા અંગે જાણીતા ગીતકાર ગુલઝારે એક્સ હેન્ડલ પર એક ઈમોશનલ પોસ્ટ લખીને શાંતનુ માટે મહત્ત્વની વાત લખી હતી, તમારા પર દેશ સદૈવ ગર્વ કરશે, યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો તમારા જેવી સાદગી, સહજતા, સરળતા દરેક લોકોમાં હોવી જોઈએ. રતન ટાટાને વિનમ્ર શ્રદ્ધાંજલિ.