કડીના જાસલપુરમાં દીવાલ ધસી પડતા અનેક શ્રમિક દટાયા, સાતનાં મોત
મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં એક કંપનીમાં કામકાજ કરતા દીવાલ ધસી પડવાને કારણે અનકે લોકો દટાયા હતા, જેમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ બનાવ પછી વહીવટી પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લાના કડી તાલુકાના જાસપુર ગામમાં એક ફેક્ટરી માટે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવા માટે અનેક મજૂર ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક દીવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો, જેમાં અનકે મજૂર દબાયા હોવાની શંકા છે. દુર્ઘટના પછી બચાવ કામગીરી માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. બચાવ કામગીરી માટે એમ્બ્યુલન્સ સહિત રેસ્ક્યૂ ટીમનો કાફલો તુરંત ઘટનાસ્થળે રવાનો થયો હતો.
આ બનાવ પછી રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ ચાલુ છે.
જિલ્લા વિકાસ અધિકારીએ વિગતવા માહિતી આપતા કહ્યું કે આજે બપોરે 1.45 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો છે. ખાનગી કંપનીના નિર્માણ કાર્યની કામગીરી વખતે દુર્ઘટના ઘટી હતી, જેમાં નવથી દસ જણ ફયાયેલા છે, જેમાંથી સાત લોકોના મૃતદેહ મળ્યા છે.
19 વર્ષના એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે હજુ લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત રીતે બહાર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જાસલપુરમાં આવેલી સ્ટીલ ઈનોક્સ કંપનીમાં શ્રમિકો દ્વારા કામકાજ કરતી વખતે દીવાલ ધસી પડી હતી. આ બનાવમાં કેસ નોંધીને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં કંપનીના માલિક, મેનેજરી સાથે સુપરવાઈઝર સામે કાર્યવાહી કરી શકાય છે. સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરતા બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી થઈ શકે છે, જ્યારે તપાસ ચાલુ છે. આજે ગુજરાતના મહેસાણા જિલ્લામાં બનેલી આ દુર્ઘટનાને કારણે દશેરાનું પર્વ ગામ માટે મહાતમમાં ફેરાવાયું છે.