રેખા સાથે એ અભિનેતાનો સંબંધ ટાઈમપાસ હતો, પછી શું?
ઐશ્વર્યા-અભિષેક બચ્ચનના સંબંધો અંગે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે, જે એક જમાનામાં અમિતાભ અને જયા બચ્ચન પણ એ યાતનાઓનો ભોગ બની ચૂક્યા છે. 80-90ના દાયકામાં સોશિયલ મીડિયાનો જમાનો હતો નહીં, પરંતુ અમિતાભ અને જયા બચ્ચનના સંબંધો વિલન તરીકે અભિનેત્રી રેખાનું નામ મોખરે હતું. આજની તારીખે પણ રેખાએ લગ્ન નહીં કરીને પણ અમિતાભ બચ્ચન સાથે નામ જોડાયેલું રહે છે અને એને કારણે ચર્ચામાં રહે છે. જોકે, રેખાના પણ એક તબક્કે અનેક અભિનેતા સાથે અફેર હોવાને કારણે નામ લાઈમલાઈટમાં રહેતું હતું.
69 વર્ષે રેખા આજે પણ સુંદર અને જાજરમાન અભિનેત્રી લાગે એમાં બેમત નથી. રેખાના ચાર્મિંગ લૂક અને ડાન્સિંગ સ્કિલને કારણે ચાહકોના દિલ પર રાજ કરતી. રેખાની પ્રોફેશનલ લાઈફ તો સુપર રહી હતી પણ પર્સનલ લાઈફે બહુ સાથ આપ્યો નહોતો. વ્યક્તિગત જિંદગીમાં ઘણા બધા ચઢાઉ-ઉતાર આવ્યા હતા, જેમાં અમુક અભિનેતા સાથે આજીવન નામ જોડાયેલું રહ્યું તો અમુક માટે ફક્ત ટાઈમપાસ હતો. કોણ હતા એ અભિનેતા તો એની વાત કરીએ.
રેખાએ અનેક અભિનેતા સાથે કામ કર્યું હતું, જેમાં પ્રેમિકાથી લઈને બહેન, માતાના અભિનયમાં જોવા મળી હતી. અમિતાભ બચ્ચન સાથેના અફેરની ચર્ચા આજે થાય છે, પરંતુ અભિનેતા જિતેન્દ્ર સાથેના સંબંધો લાઈમલાઈટમાં રહ્યા હતા. બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ એકબીજા વચ્ચેની નજીદિકિયાં અફેરમાં પરિણમી હતી.
રેખા માટે કહેવાય છે કે જિતેન્દ્રના પ્રેમમાં પાગલ હતી. અમિતાભ માટે રેખાનો પ્રેમ જગજાહેર હતો, પરંતુ જિતેન્દ્ર માટે વાત અલગ હતી. બંને રિલેશનશિપમાં હતા, પરંતુ એક વખતે જિતેન્દ્રના મોંઢે એવું કંઈક સાભળી લીધું કે રેખાના દિલ તૂટી ગયું હતું. બસ પછી રેખાએ જિતેન્દ્ર સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કરી લીધું હતું.
રેખાની બાયોગ્રાફી યાસિર ઉસ્માને લખી છે. રેખા ધ અનટોલ્ડ સ્ટોરીમાં રેખાએ તેના જીવન અંગે અનેક વાતો જણાવી છે. આ જ પુસ્તકમાં રેખાએ જણાવ્યું છે કે એક તબક્કે પોતે જિતેન્દ્રને પસંદ કરતી હતી, પરંતુ એ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહીં. બેચારા ફિલ્મના શૂટિંગ વખતે રેખા અને જિતેન્દ્ર શિમલામાં શૂટિંગ કરી રહ્યા હતા. એ વખતે જિતેન્દ્રના મોંઢે સાંભળ્યું હતું કે રેખા સાથે ટાઈમપાસ કરે છે. આ વાત સાંભળીને રેખા મેક-અપ રુમમાં બહુ રડી હતી. એના પછી રેખાએ સૌથી મોટો નિર્ણય લીધો અને સંબંધ તોડી નાખ્યો.
રેખાની લવલાઈફમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્રનું નામ જોડાવવા છતાં તેને લગ્ન કરી લીધું હતું, પરંતુ નસીબે સાથ આપ્યો નહીં. મુકેશ અગ્રવાલ નામના બિઝનેસમેન સાથે લગ્ન ક્યા હતા. લગ્ન પછી ખબર પડી કે પતિ ડિપ્રેશનમાં છે અને બીજી ઓક્ટોબર, 1990ના આત્મહત્યા કરી લીધી હતી. પતિએ આત્મહત્યા કર્યા પછી રેખાએ ફરી લગ્ન કરવાની હિંમત કરી નહીં. આમ છતાં એના પછી રેખાનું નામ અનેક અભિનેતા સાથે જોડાયેલું રહ્યું હતું.
