કારકિર્દીમાં પ્રગતિ કરવી છે તો આટલું કરો!
વાસ્તુ શાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ માટે અનેક ઉપાયો બતાવ્યા છે પણ યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની સકારાત્મક અસર પડે છે. ઘરમાં રાખવામાં આવેલી અમુક વસ્તુનો તમારા અને પરિવારના સભ્યો પર પણ અસર પડે છે, તેથી ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુને યોગ્ય જગ્યા અને દિશામાં રાખવી જોઈએ.
સુખ સમૃદ્ધિ માટે સાત ઘોડાવાળું પેઈન્ટિંગ રાખવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઊર્જા મળે છે. વ્યક્તિમાં પોઝિટિવ એનર્જીના સંચાર સાથે તમારી પ્રગતિ અને સફળતાના દરવાજા ખોલે છે.
વાસ્તુ શાસ્ત્રમાં દોડતા સાત ઘોડાની પેન્ટિંગને રાખવાનો ઉલ્લેખ પણ કર્યો છે, પણ એની શરત એક એ છે કે તમે એને યોગ્ય દિશામાં રાખો. જાણ્યા વિના કોઈ ખોટી દિશા મૂકતા નથી એનું ધ્યાન રાખો. સાત ઘોડાની પેન્ટિંગ રાખવાના ફાયદા પૈકી સૌથી પહેલા તેને રાખવાનું શુભ માનવામાં આવે છે. તેના બેકગ્રાઉન્ડમાં તમે કુદરતી સૌંદર્ય અથવા સૂર્યોદય પણ રખાવી શકો છો, જે સકારાત્મક નિર્દેશ કરે છે. આ ઉપરાંત, ઘોડા એ શક્તિ, સાહસ, મહેનત અને તાકાતનું પ્રતિક માનવામાં આવે છે, જે રનિંગ એટલે દોડતા હોવાની નિશાની એ પ્રગતિ અને સફળતાનો નિર્દેશ કરે છે.
ચીની વાસ્તુ શાસ્ત્ર એટલે ફેંગશુઈ અનુસાર પણ ઘોડાને શુભ માનવામાં આવે છે. ફેંગશુઈમાં ઘોડાને સારા ભાગ્યની નિશાની માનવામાં આવે છે, તેથી તમારા ઘર યા કામકાજના સ્થળે પણ રાખી શકો છો, જે તમને પોઝિટિવ વિચારો આપે છે.
જો તમે ઘરમાં રાખતા હોય તો પૂર્વ દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે. એ જ રીતે દુકાન અથવા ઓફિસમાં રાખતા હોય તો દક્ષિણ દિશામાં રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ખાસ કરીને ઘરમાં પૂર્વ દિશા અને કાર્ય સ્થળ માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધ્યાન રાખો દોડતા સાત ઘોડા એક જ દિશામાં દોડતા જોવા મળવા જોઈએ. તેની પોઝિશન પણ યોગ્ય હોવી જોઈએ.