મહાશિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદથી પાંચ રાશિનું ચમકશે ભાગ્ય; જાણો કોને થશે લાભ??
વર્ષ 2026માં મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ૧૫ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતની મહાશિવરાત્રી અત્યંત વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે ગ્રહો અને નક્ષત્રોનો એવો સંયોગ બની રહ્યો છે જે કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. ભગવાન શિવની વિશેષ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાના દ્વાર ખુલશે.
મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનનો પવિત્ર દિવસ છે. 2026ની મહાશિવરાત્રી પર બનતા શુભ યોગોને કારણે મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો પર તેની અસર પડશે, પરંતુ પાંચ રાશિઓ એવી છે જેમના માટે આ સમય ‘વરદાન’ સમાન સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી અત્યંત શુભ ફળદાયી રહેશે. લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. ભગવાન શિવના આશીર્વાદથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.
કન્યાઃ કન્યા રાશિના લોકો માટે મહાદેવની કૃપાથી સુખદ ફેરફારો જોવા મળશે. જો તમે નોકરી શોધી રહ્યા હોવ તો આ સમયગાળામાં તમને સારી તક મળી શકે છે. વેપારમાં પણ નફો વધવાની પ્રબળ શક્યતા છે. પારિવારિક સમસ્યાઓ દૂર થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
મકરઃ મકર રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલશે. મિલકત ખરીદવા અથવા રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વાહન સુખ મળવાના પણ યોગ બની રહ્યા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી પ્રતિભાની પ્રશંસા થશે. નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેવાનો છે.
કુંભઃ કુંભ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. જે કામોમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો હતો તે હવે ગતિ પકડશે. જે લોકો અવિવાહિત છે તેમના લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે.
મીનઃ મીન રાશિના લોકો માટે આ સમયગાળો આધ્યાત્મિક અને આર્થિક બંને રીતે સારો રહેશે. વ્યાપારિક યાત્રાઓ સફળ રહેશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે અને તમે સ્ફૂર્તિનો અનુભવ કરશો. જીવનસાથી આ સમયે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
મહાશિવરાત્રી પર શું કરવું અને શું ના કરવું એ વિશે વાત કરીએ તો આ દિવસે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જલાભિષેક કરવો, બિલીપત્ર અર્પણ કરવા અને ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ.
