July 6, 2026
એસ્ટ્રોલોજી

જુલાઈમાં રાહુ-કેતુના ઘેરામાં 7 મોટા ગ્રહ: દેશ-દુનિયામાં મોટી રાજકીય ઉથલપાથલ અને કાલસર્પ યોગના સંકેત!

Spread the love

જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ જુલાઈ મહિનામાં સૌથી વધુ ઉથલપાથલ અને વિશેષ મહત્ત્વ ધરાવનાર છે. પંચાગની ગણતરી અનુસાર અંતરિક્ષમાં એવી એક દુર્લભ અને ખગોળીય ઘટના બને છે, જે દેશ-દુનિયાને લઈ જનમાનસ પર પણ અસર કરે છે. જ્યોતિષચાર્યોના જણાવ્યાનુસાર જુલાઈ મહિનામાં સૂર્ય અને શનિ સહિત તમામ મુખ્ય ગ્રહ રાહુ-કેતુ ઘેરાવામાં આવે છે, જે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મોટા સંકેતો આપે છે. ચાલો જાણીએ ગ્રહોની આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે અને શું પરિવર્તનો આવી શકે છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું જરુરી છે.

રાજકીય ઉથલપાથલના સંકેત
રાહુ-કેતુના આ ઘેરાવામાં જુલાઈ મહિનામાં પાંચ ગ્રહોની ચાલ અને સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. આ જ કારણથી આ મહિનામાં ગ્રહોનું ગોચર થવાનું પણ સંવેદનશીલ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ તરીકે માનવામાં આવે છે, જ્યારે મહત્તમ ગ્રહો એ બંનેની વચ્ચે આવે છે, જ્યારે તેને વિશેષ જ્યોતિષીની સ્થિતિ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગ્રહોના સામૂહિક પ્રભાવ વ્યક્તિના નિર્ણય, માનસિક સ્થિતિ અને સામાજિક વાતાવરણ પર અસર કરી શકે છે. રાજકીય ક્ષેત્રે પણ ફેરફાર થઈ શકે છે, જ્યારે કુદરતી આફતો પણ આવી શકે છે.

18 જુલાઈ સુધી અઘરા સંયોગો
ચોથી જુલાઈના જેમ ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કર્યો એ જ રીતે દુર્લભ ગ્રહની સ્થિતિ પણ અસરકારક બની ગઈ છે. વર્તમાનમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ સાતેય મુખ્ય ગ્રહ રાહુ અને કેતુના મધ્યમાં ફસાયેલા છે. ગ્રહોને રાહુ-કેતુના ઘેરાવામાં રહેવાની 18 જુલાઈ સુધી સ્થિતિ રહેશે. 18 જુલાઈના જ્યારે ચંદ્રમા કન્યા રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ત્યાં જઈને તમામ મુખ્ય ગ્રહ રાહુ-કેતુને એ ઘેરામાંથી બહાર કાઢવાનું શરુ થશે અને ત્યારે વિશેષ સંયોગ પૂરો થશે.

કાર્લસર્પ યોગ બનવાના સંકેતો
નિષ્ણાતોનું માનવું છે કે ગ્રહોની વર્તમાન સ્થિતિ કાલસર્પ યોગ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જોકે દરેકની જન્મકુંડળી પ્રમાણે તેની અસર અલગ અલગ હોય છે, તેથી ફ્ક્ત ગોચરના આધારે કોઈ નિર્ધારિત પરિણામ પર આવી શકાય નહીં. જે લોકોની કુંડળીમાં પહેલાથી રાહુ-કેતુનો પ્રભાવ વધારે હોય એ વખતે વધુ સાવધાની રાખવી જોઈએ.

સંબંધો અને કારકિર્દી પર અસર પડે
ગ્રહોની બદલાતી ચાલની અસર પારિવારિક જીવન, વૈવાહિક જીવન, કામકાજના સ્થળે પણ જોવા મળી શકે છે. પોતાના લોકોની વચ્ચે અણબનાવ કે કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી કાર્યસ્થળે પણ સમજી-વિચારીને કામ કરવાનું રાખવું. ઉપરાંત, આ વિશેષ ગ્રહ સંયોગ વખતે ક્રોધ-તણાવથી બચાવાની કોશિશ કરો. મોટા આર્થિક નિર્ણયો લેવાનું ટાળો, જ્યારે બિનજરુરી વિવાદ કરવાનું પણ ટાળો. શક્ય હોય તો ભગવાનની પૂજાપાઠ પણ કરો, જ્યારે જરુરિયાતમંદને દાન પણ કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!