June 30, 2025
ટોપ ન્યુઝનેશનલ

Samudra Pradakshina: ભારતીય સેનાની ત્રણેય પાંખની મહિલા યોદ્ધા નીકળી 6,500 કિલોમીટરની મુસાફરીએ

Spread the love

ભારતની ત્રણેય પાંખની મહિલા યૌદ્ધાઓ ઐતિહાસિક મિશન પર નીકળી છે, જેનું નામ છે સમુદ્ર પ્રદક્ષિણા. આ મિશનમાં 12 જાબાંજ મહિલા સૈનિકે ભાગ લીધો છે. પંચાવન દિવસમાં 6500 કિલોમીટરની દરિયાઈ મુસાફરી કરશે. જાણો શું છે કારણ અને મિશનની યોજના.
ભારતીય આર્મી, એર ફોર્સ અને નેવીની 12 મહિલા અધિકારીની દરિયાઈ મુસાફરીના અભિયાનમાં આઈએસવી ત્રિવેણી પર સવાર થઈને મુંબઈ-સેશેલ્સ-મુંબઈની 4,000 કિલોમીટરની પડકારજનક પંચાવન દિવસ માટે સોમવારે રવાના થયા.

આ મિશનને કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ (સીએમઈ)ના કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ એકે રમેશે લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા. અને આ નાવનું નામ છે આઈએસવી ત્રિવેણી. આ અભિયાનનો હેતુ મહિલા સૈનિકોની તાકાત અને હિંમત બતાવવાનો જ નહીં, પરંતુ ભારતની દરિયાઈ ક્ષમતા અને નારી શક્તિનો દુનિયાને પરિચય કરાવવાનો છે.

સમુદ્ર પ્રદક્ષિણા મિશન શું છે?
સમુદ્ર પ્રદક્ષિણા એક એવું અભિયાન છે, જેમાં ભારતની ત્રણેય પાંખની મહિલા યૌદ્ધાઓ દરિયાઈ માર્ગે પડકારજનક યાત્રાએ નીકળી છે. દરિયાઈ તોફાનના પડકારોની વચ્ચે શારીરિક તાકાતની સાથે માનસિક દૃઢતા અને ટીમવર્કની પણ પરીક્ષા થશે. આ મિશનનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે આ પ્રદક્ષિણાને કારણે ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બનશે. જોકે, આ મિશન પહેલી વખત હાથ ધરવામાં આવ્યું છે, જે મહિલાઓનું દળ અને દરિયાની કિલોમીટરની સંખ્યા પણ વધારે છે.

12 મહિલા સૈનિક અને 55 દિવસની મુસાફરી
ભારતીય મહિલાઓ આઈએસવી ત્રિવેણી નામની નાવ પર સવાર થઈને મુસાફરી કરવા માટે અગાઉથી સંપૂર્ણ તાલીમ આપવામાં આવી છે. પંચાવન દિવસ એટલે પોણા બે મહિના દરિયામાં રહીને લગભગ 6500 કિલોમીટરની મુસાફરી કરશે. આ મુસાફરી દરમિયાન આધુનિક નેવિગેશન ટૂલ્સના બદલે પારંપારિક રીતે પવનના માર્ગે આગળ વધશે. આ મુસાફરી મુંબઈથી શરુ થઈને અરબ સાગરને પાર કરીને સેશેલ્સ સુધી જશે, ત્યાર બાદ મુંબઈ પરત ફરશે. 2017માં નૌકાદળની ફક્ત 6 મહિલા સમુદ્રના પ્રવાસે નીકળી હતી, જેમાં નાવિકા સાગર પરિક્રમા મિશન હતું. જોકે, સમુદ્ર પરિક્રમાનું પહેલી વખત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!