June 30, 2025
ટોપ ન્યુઝધર્મ

જગન્નાથજીની રથયાત્રામાં સોનાના ઝાડુથી કેમ થાય છે સફાઈ?

Spread the love

અમદાવાદમાં રથયાત્રા વખતે બેકાબૂ ગજરાજઃ કારણ શું હતું?

હિંદુ ધર્મમાં જગન્નાથની રથયાત્રાનું ખાસ મહત્ત્વ છે. દર વર્ષે અમદાવાદ, ઓડિસાના પુરી, કોલકાતા સહિત અનેક શહેરોમાં યાત્રા કાઢવામાં આવે છે. અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે, જેમાં કચ્છીઓનું નવું વર્ષ શરુ થાય અને જગન્નાજીની રથયાત્રા પણ નીકળે છે. જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળે છે, ત્યારે શહેરમાં દર્શન કરવા માટે લાખો ભક્તો આવે છે, જ્યારે દર્શન કરવાની સાથે રથને ખેંચવાથી તમારો બેડો પાર થાય છે. અમદાવાદની રથયાત્રામાં તો વિધિવત રીતે ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને વાજતેગાજતે પ્રસ્થાન કર્યા પૂર્વે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવે છે.

ભગવાનનો રસ્તો પવિત્ર બનાવવાનો ઉદ્દેશ
યાત્રાની સાથે જોડાયેલી એક પરંપરાનું વિશેષ મહત્ત્વ છે, જેમાં સોનાના ઝાડુથી રસ્તાની સફાઈ કરવામાં આવે છે. આ પરંપરાને છેરા પહરા કહેવાય છે. ભગવાન સાથે ભાઈ બહેનની રથયાત્રા જે રસ્તા પરથી પસાર થાય છે તે રસ્તા પર સોનાની સાવરણીથી સફાઈ કરવામાં આવે છે, જે એક પ્રકારની ભગવાનની ભક્તિ અને પ્રેમ વ્યક્ત કરાય છે. ભગવાનની ભક્તિમાં કોઈ કચાશ રહી જાય નહીં, તેથી સોનાના ઝાડુ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે રસ્તો સાફ કરાય છે, જે ભગવાનના રસ્તાને પવિત્ર બનાવવાનો પણ ઉદ્દેશ છે. સોનાના ઝાડુનો ઉપયોગ એ યાત્રાની ભવ્યતા અને રાજસી રુપનું દર્શન કરાવે છે. આ પરંપરા જગન્નાથ રથયાત્રાના ભવ્ય આયોજનનો પણ એક ભાગ છે.

બેરિકેડ તોડીને હાથીએ અમુકને હડફેટમાં લીધા
અમદાવાદની રથયાત્રા વાજતેગાજતે નીકળ્યા પછી અચાનક ગજરાજ બેકાબૂ થઈ ગયા. ખાડિયામાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે હાથી અચાનક ભડક્યા પછી રસ્તા પર લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. હાથીને દોરનારા લોકોએ સંતુલન ગુમાવતા રસ્તા પર નાસભાગ થઈ હતી, જ્યારે અમુક લોકોને હાથીએ કચ્ડયા હતા. એકબે હાથી બેરિકેડ તોડીને આગળ પહોંચ્યા ત્યારે બે હાથીએ તેને અંકુશમાં રાખ્યા હતા, જ્યારે અમુક લોકોને હડફેટમાં લીધા હતા.

સીટીઓ વગાડવાનું બંધ કરવાનો અનુરોધ
બનાવ અંગે જણાવ્યું હતું કે રથયાત્રામાં સામેલ ગજરાજમાંથી ત્રણ હાથી બેકાબૂ થયા હતા, જ્યારે તેમાં અમુક લોકોને ઈજા પહોંચી હતી. રસ્તા પર જાહેર જનતાએ જોરજોરથી સીટીઓ વગાડવા અને ડીજીને ઘોંઘાટને કારણે હાથી ભડક્યા હોઈ શકે છે. આ બનાવ પછી રસ્તા પર લોકોને વધારે શોરબકોર નહીં કરવાની ભલામણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ પંહિદ વિધિ કરાવીને પ્રસ્થાન કરાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

કચ્છી માડુઓને નવા વર્ષના આપ્યા અભિનંદન
ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે. મુખ્યમંત્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો
ભગવાન જગન્નાથ રથયાત્રા: આ ટોપ ટેન સિક્રેટ વિશે જાણો છો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!