June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝ

300થી વધુ લોકોનો ભોગ લેનારા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનું અસલી કારણ શું?

Spread the love


ટેક્નિકલ ખામી, પાયલટની ભૂલ કે કોન્ફિગરેશન એરર? જાણો સમગ્ર ઘટનાના કારણો

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે. અમદાવાદથી લઈને સમગ્ર ભારતમાં અકસ્માતને લઈ આઘાત લાગ્યો છે. અકસ્માત અંગે અનેક શંકાઓ કરવામાં આવી રહી છે, પરંતુ ટેક્નિકલ ખામી મુદ્દે સવાલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ફોલ્ટી ક્રાફ્ટને કારણે એક જ અકસ્માતમાં સેંકડો લોકો મોતને ભેટ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટના ક્રેશ થવાનું અસલી કારણ તો ખબર પડશે ત્યારે પણ નિષ્ણાતોનું કહેવું છે કે ક્રેશ થયેલા વીડિયો અનુસાર એન્જિનમાં ખામી હોઈ શકે. ઈન્ડિયન એરફોર્સમાં ફાઈટર પાયલટ રહી ચૂકેલા વિંગ કમાન્ડરના જણાવ્યાનુસાર પાયલટે એરક્રાફ્ટના નોઝ ઉપર ઉઠાવવાની કોશિશ કરી અને એ જ વખતે એરક્રાફ્ટ નીચે ગયું એનાથી ખબર પડી શકે છે કે એન્જિન ફેલ થયું હોઈ શકે છે.

મૃતકોને એક કરોડ રુપિયાની સહાયની જાહેરાત
આ દુર્ઘટના પછી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, જ્યારે ગઈકાલે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે પ્રવાસીઓને બચાવવાના કોઈ ચાન્સ મળ્યા નહોતા અને દુર્ઘટનાથી દેશને લાગ્યો હતો આઘાત. દરમિયાન ટાટા ગ્રુપે મૃતકોને એક કરોડની સહાય પૂરી પાડવાની જાહેરાત કરી હતી, જ્યારે રિલાયન્સ ગ્રુપે પણ અસરગ્રસ્તોને શક્ય એટલી મદદ પૂરી પાડવાની જાહેરાત કરી હતી.

વી-વન ક્રોસ કર્યા પછી ટેક્ઓફ કરવાનું રહે છે
કેપ્ટનના જણાવ્યા મુજબ જ્યારે વિમાન ટેકઓફની શરુઆત હોય છે ત્યારે બંને પાઈલટ એક પ્રોસેસને ફોલો કરે છે, જેમાં તમામ ચેક્સ હોય છે, જેનાથી એરક્રાફ્ટનું પર્ફોરમન્સ જોવાય છે. એક ડિસિજન સ્પીડ હોય છે, જેને વી-1 કહે છે. વી-1 સ્પીડ નિશ્ચિત કરે છે કે ટેકઓફ કરે અથવા કેન્સલ. જો વી1 પહેલા કોઈ સમસ્યા જણાય તો ટેકઓફ રિજેક્ટ કરે છે અને વીન ક્રોસ કર્યા પછી ટેકઓફ કરવાનું રહે છે. વીવન પછી અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ ચેક્સ હોય છે અને જ્યાં સુધી ઉંચાઈ પર પહોંચતું નથી, ત્યાં સુધી અનેક ચેક્સ કરે છે અને વચ્ચે ઓપરેશન્સ પણ ચેક કરવાના રહે છે, જેથી એરક્રાફ્ટ બરાબર છે કે નહીં એ જાણ થાય છે.

ટેક્નિકલ ક્રેશ યા બર્ડ હીટની સમસ્યા
ટેક્નિકલ ક્રેશને કારણે અથવા બર્ડ હીટને કારણે પણ એન્જિનમાં ખામી ઊભી થઈ હોય છે. એન્જિનમાં ખામીને કારણે તાપમાનમાં વધારો થાય છે, ત્યારે એન્જિન કામ કરવાનું બંધ કરે છે અને પાવર ઓછો થવાથી તાપમાનમાં ભયંકર વધારો થાય છે. એરક્રાફ્ટની કોઈ પણ સિસ્ટમમાં ખામીને કારણે કોકપિટમાં ખબર પડી જાય છે અને એન્જિનમાં આગ લાગે તો બુઝાવવાની હોય છે, પરંતુ જો એન્જિનમાં કંઈ થયું હોય તો. જો બે એન્જિનમાં ખામી ઊભી થાય તો કોઈ બચાવી શકતું નથી.

કોન્ફિગરેશન એરરની પણ છે સંભાવના
અન્ય એક કારણ અંગે ચર્ચા છે કે બોઈંગ 787-8 ઓછી ઉંચાઈ (825 ફૂટ) અને ઓછી સ્પીડ (174 નોટ્સ) અને ગિયર નીચે હોવાને કારણે શક્ય છે કે ટેકઓફ વખતે સેટિંગમાં ખામી ઊભી થઈ હોય. (જેમ કે ફ્લેપ્સમાં તકલિફ, એન્જિનમાં ખામી યા ઝડપી રોટેશન અથવા ગિયર ઉપર નહીં થવા). એની 70 ટકા સંભાવના છે. 43 ડિગ્રી તાપમાનની પણ અસર થઈ હોઈ શકે છે, જેમાં પાયલટની ભૂલ ભારી પડે શકે. ઉપરાંત, એન્જિન ફેઈલ અથવા ગરમી સંબંધિત સમસ્યાની પાંચથી ટકા સંભાવના છે, એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.

મેડે-મેડે અને પેન પેન કોલનું મહત્ત્વ
કોકપિટમાં ક્વિક રેફરન્સ હેન્ડબુક હોય છે, જેમાં ઈમરજન્સીમાં શું કરવાનું હોય એ લખ્યું હોય છે. એક પાયલટ ફ્લાય કરે ત્યારે બીજા પાયલટને મોનિટર કરે છે. એ રેફરન્સ બુક વાંચ્યા પછી એટીસી એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરે છે. જ્યારે એક્સ્ટ્રીમ ઈમર્જન્સી હોય ત્યારે મે ડે કોલ કરે છે, કારણ કે લેન્ડિંગ માટે વધુ સમય હોતો નથી, તેથી લેન્ડિંગ ક્લિયર કરવામાં આવે છે અને જે સર્વિસ હાજર હોય એને એક્ટિવ કરવામાં આવે. જો વધારે ઈમર્જન્સી ના હોય તો પેન પેનનો કોલ આપે છે. આ કોલ ખાસ કરીને એટીસીના એટેન્શન માટે હોય છે. જ્યારે પાયલટ મેડે કોલ કે પેન પેનનો કોલ આપે ત્યારે બધુ શાંત થઈ જાય છે. મેડેના કોલના આધારે એક્શન લેવામાં આવે છે.

242 પ્રવાસી પ્લેનમાં સવાર હતા
અમદાવાદના મેઘાણીનગર સ્થિત મેડિકલ કોલેજની ઉપર વિમાનનો અમુક હિસ્તો તૂટી પડ્યો, જેમાં ક્રૂ મેમ્બર અને 10 સભ્ય સહિત 242 સવાર હતા. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા, જ્યારે એક પ્રવાસી બચી ગયો હતો. મૂળ ગુજરાતી એવા વિશ્વાક કુમાર રમેશ નામના પ્રવાસીનો બચાવ થયો હતો, જ્યારે વિમાનમાં કૂલ 169 ભારતીય સહિત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણી પણ ભોગ બન્યા. વિમાન તૂટી પડવાથી હોસ્ટેલની મેસના વિદ્યાર્થીઓનાં મોત થયા હતા, જેમાં અમુકની સારવાર ચાલી રહી છે.

2.12 લાખ કરોડનું એરક્રાફ્ટ જૂનું હતું
અમદાવાદમાં જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું, જે દુનિયાના બેસ્ટ બોઈંગ વિમાન પૈકીનું એક હતું. 56 મીટર લાંબા અને 17 મીટર પહોળાઈ ધરાવતા એરક્રાફ્ટની વિંગની પહોળાઈ 60 મીટર જેટલી હતી, જ્યારે બે એન્જિન સાથેની 1.26 લાખ લિટર ફયુઅલની ક્ષમતા હતી. 13,620 કિલોમીટરની રેન્જ ધરાવતા ડ્રીમલાઈનર વિમાનની સ્પીડ કલાકના 954 કિલોમીટરની હતી. પ્લેનમાં સિટિંગ કેપેસિટી 250 ધરાવનારા પ્લેનની કિંમત 2.18 લાખ કરોડ રુપિયાનું હતું, જે લગભગ 12 વર્ષ જૂનું હતું.

કેટલા વાગ્યે ઉડાની ભરી અને ક્રેશ થયું
સરદાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરના 1.38 વાગ્યે ઉડાન ભરી અને 1.43 વાગ્યે પ્લેન ક્રેશ થયું. અમદાવાદ એરપોર્ટથી લંડનના ગેટવિક માટે ઉડાન ભરેલા પ્લેને પાંચ જ મિનિટમાં અકસ્માતનો શિકાર બન્યું. પ્લેને ઉડાન ભર્યા પછી ઝડપથી નીચે આવતા પટકાયું હતું.વિમાન પર્યાપ્ત ઇંધણ ભર્યું હતુ, જ્યારે અમદાવાદથી લંડન વચ્ચે 4,200 કિલોમીટરનું અંતર ભરવાનું હતું. ટેકઓફની બાબત જોખમી હોય છે, જેમાં યોગ્ય ફ્લેપ્સ, થ્રસ્ટ અને રોટેશન સ્પીડ પણ યોગ્ય હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!