June 30, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

પહલગામ હુમલા પછી સરકારે સિંધુ જળ સંધિને અટકાવી, પાકિસ્તાન પર શું અસર થશે?

Spread the love

65 વર્ષમાં ભારત સરકારે પહેલી વાર સિંધુ જળ સંધિને અટકાવતા પાકિસ્તાનના શું હાલ થશે?

પહલગામ હુમલા પછી ભારતમાં આતંકવાદીઓ અને આતંકવાદને પોષનારા પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સામા છે. ભારત સરકારે સૌથી પહેલા આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જ્યારે પાકિસ્તાન સામે ડાયરેક્ટ કાર્યવાહી કરી છે. પડોશી દેશ પાકિસ્તાનને કડક મેસેજ આપતા કહ્યું છે કે જ્યાં સુધી આતંકવાદ પર નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ભારતે તાત્કાલિક સિંધુ જળ સંધિને રોકી છે, જ્યારે ડિજિટલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની ઔકાત ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો છે. પહેલા જાણીએ સિંધુ જળ સંધિની વાત.

અટારી બોર્ડરને તાત્કાલિક બંધ કરી
જમ્મુ કાશ્મીરના પર્યટકો પર આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પડોશી દેશ પાકિસ્તાનની સામે મોટું પગલું ભરીને સિંધુ જળ સંધિને રોકવાનો છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ બાબતોની સુરક્ષા સમિતિ (સીસીએસ)ની બેઠકમાં પાકિસ્તાની દૂતાવાસને બંધ કરવા અને પાકિસ્તાનીઓની વિઝા નહીં આપવાનો નિર્ણય લીધો હતો. સીસીએસની બેઠકમાં અટારી બોર્ડરને તાત્કાલિક રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

19 સપ્ટેમ્બર 1960ના સમજૂતી કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની નદી સિંધુ અને તેની સહાયક નદીઓના જળ ભાગીદારી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની 19મી સપ્ટેમ્બર 1960ના સમજૂતી કરી હતી. સિંધુ જળ સંધિ કહેવાય છે. આ સમજૂતી વિશ્વ બેંકની મધ્યસ્થતાથી થઈ છે અને એનો ઉદ્દેશ સિંધુ નદી અને તેની સહાયક નદીના પાણીને બંને દેશની વચ્ચે વહેંચવાનો છે.

સિંધુ નદીના 80 ટકા પાણી પાકિસ્તાન વાપરે છે
ભારત અને પાકિસ્તાનની વચ્ચે નવ વર્ષના લાંબા સમયગાળા પછી 1960માં બંને દેશ વચ્ચે સિંધુ જળ સંધિ પર સમજૂતીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 19 સપ્ટેમ્બર 1960ના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સિંધુ નદીમાં છ નદીનો સામેલ થાય છે, જેમાં સિંધુ, સતલજ, જેલમ, ચિનાબ, રાવી અને વ્યાસનો સમાવેશ થાય છે. આ સમજૂતી અન્વયે ભારત સિંધુ નદીના પાણીના ફક્ત 20 ટકા ઉપયોગ કરી શકે છે, જ્યારે બાકી 80 ટકા પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે, જ્યારે સિંધુ પાકિસ્તાનની લાઈફલાઈન કહે છે.

પાકિસ્તાનની ખેતીવાડી પર અસર થશે
આ સમજૂતી રોકવાથી ભારત સિંધુ નદીના જળ પ્રવાહ પાકિસ્તાનને રોકવાનો નિર્ણય લીધો છે, જેનાથી પાણી માટે પાકિસ્તાનને વલખા મારવા પડી શકે છે. આ પાણી પંજાબને સૌથી વધુ મળે છે, જ્યારે આ જ સિંધુ નદી અરબ સાગરથી પાકિસ્તાનના અનેક રાજ્યમાંથી બહાર થઈને નીકળે છે. આ સમજૂતી રોકવાથી સૌથી વધુ અસર પાકિસ્તાનની ખેતીવાડીને થઈ શકે છે. પાકપાણી પર અસર થવાથી એકંદરે પાકિસ્તાનના નાગરિકોને જીવન જીવવા માટે મુશ્કેલી પડી શકે. 21 કરોડથી વધુ પાકિસ્તાનની વસ્તી આ પાણી પર સૌથી વધુ નિર્ભર છે, જે રોકવાથી દેશમાં જળ સંકટ ઊભું થઈ શકે છે.

ભૂખમરાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની લગભગ 17 લાખ એકર જમીનને પાણીની જરુરિયાત રહે છે. આ અગાઉ પાકિસ્તાન આર્થિક-નાણાકીય સંકટ ઊભું થઈ શકે છે. ખેતીવાડી અને પાક પાણી પર અસર થવાથી અન્ન સંકટ ઊભું થવાથી ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ શકે છે. મોદી સરકારના એક્શનથી પાકિસ્તાનમાં મોટા સંકટમાં આવી ગયું અને શરુઆત થઈ ગઈ છે.

આ પણ વાંચો
Pahalgam Terror Attack: 26 વર્ષનો એ જવાન કોણ હતો, જેને સાત દિવસ પહેલા કર્યા હતા લગ્ન?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!