24 કલાક બાદ શુક્ર થશે વક્રીઃ આ રાશિના જાતકો પર મા લક્ષ્મી વરસાવશે કૃપા…
જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોની ખાસિયતો અને પ્રભાવ વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ તમામ ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને તેમના ગોચરની 12-12 રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આજે અમે તમને અહીં આવા જ એક ગોચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
24 કલાક બાદ એટલે કે બીજી માર્ચના દિવસે ગ્રહોના સેનાપતિ શુક્ર વક્રી થવા જઈ રહ્યા છે. શુક્ર આવતીકાલે સવારે 5.12 કલાકે મીન રાશિમાં વક્રી થશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, ઐશ્વર્ય, રોમાન્સ, સુખ અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. પરિણામે જ્યારે પણ શુક્ર વક્રી થાય છે કે પોતાની ચાલ બદલે છે તો તેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે.
આવતીકાલે મીન રાશિમાં શુક્રનું વક્રી થવું કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકો પર મા લક્ષ્મીની કૃપા વરસશે. વાત કરીએ ગ્રહોના વક્રી થવાની તો જ્યોતિષશાસ્ત્રમાં વક્રીનો અર્થ થાય છે ગ્રહોની ઉલટી ચાલ. જ્યારે કોઈ પણ ગ્રહ ઝડપથી વક્રી થાય છે એટલે કે ઉલટી ચાલ ચલે છે તો તેને વક્રી થવું એવું કહેવાય છે. ચાલો જોઈએ ગ્રહોના સેનાપતિ વક્રી થઈને કઈ રાશિના જાતકોને લાભ કરાવી રહ્યા છે, તેમની કિસ્મત ચમકાવી રહ્યા છે-
મેષઃ મેષ રાશિના જાતકો માટે શુક્રનું મીન રાશિમાં વક્રી થવું લાભદાયી રહેશે. મિત્રો અને સહકર્મચારીઓ તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળશે. નોકરીમાં પણ જોરદાર ફાયદો થઈ રહ્યો છે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. બિઝનેસ કરી રહેલાં લોકોને વિદેશ જવાની તક મળશે અને નફામાં પણ વૃદ્ધિ થશે. પૈસા કમાવવાના નવા નવા રસ્તાો ખુલશે.
વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે પણ શુક્રનું વક્રી થવું શુભ પરિણામો લઈને આવશે. આ રાશિના લોકો જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમને સફળતા મળશે. તમારા પ્રયાસોથી તમે સંતુષ્ટ થશો. તમામ ઈચ્છાઓ પૂરી થશે. વેપારીઓ માટે પણ આ સમયગાળો એકદમ શુકનિયાળ રહેશે. ધનલાભ થશે. જીવનસાથી સાથે સંબંધો સુધરશે.