વાસ્તુ શાસ્ત્રઃ બેડરુમથી એટેચ બાથરુમ હોય તો આ વાતનું ધ્યાન રાખો
વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ઘર, કિચન, બેડ રુમ સહિત અન્ય રુમ યોગ્ય દિશામાં હોય તો શુભ માનવામાં આવે છે. બેડરુમ અથવા બાથરુમ પણ ઘર માટે મહત્ત્વપૂર્ણ જગ્યાએ હોવાનું જરુરી છે. પણ જો વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ જો તેની અવગણના કરવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે, જે તમારા ઘર-પરિવારમાં મોટી સમસ્યાનું નિર્માણ કરી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક રુમ-બાથરુમને પણ શક્ય એટલું પાલન કરવું જોઈએ. વાસ્તુદોષ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એની સાથે ઘરમાં સકારાત્મક ઊર્જા મળે છે. આમ છતાં આજકાલ તો હવે ફ્લેટ સિસ્ટમ આવી ગઈ છે, તેથી એની ગોઠવણની કોઈને પછીથી જાણકારી મળે છે. આમ છતાં જો તમને જાણ હોય તો પણ જો અવગણના કરો તો માનસિક રીતે તણાવ, બીમારી કે આર્થિક તંગી જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
ઘરમાં બેડરુમથી એટેચ્ડ બાથરુમનું ચલણ છે. એના સિવાય ડ્રોઈંગ રુમથી એટેચ બાથરુમ બનાવવામા આવે છે, જ્યારે પહેલાના જમાનામાં બાથરુમથી ઘર અલગ રાખવામાં આવતા હતા. ગામડાઓમાં પણ એ જ સ્થિતિ છે. શહેરની સ્થિતિ ધીમે ધીમે બદલાતી જાય છે. નાના ઘરમાં નાના રુમ હોય પછી એમાં ટોઈલેટ-બાથરુમનું ગમે તે દિશામાં ગોઠવણ હોય છે, પરંતુ એનું ધ્યાન રાખવાનું જરુરી છે.
જો બાથરુમ, બેડરુમ અથવા ડ્રોઈંગ રુમથી એટેચ હોય તો તેની સાફ-સફાઈ કરવાનું ધ્યાન રાખો. ગંદા બાથરુમને કારણે ઘરમાં રાહુનો પ્રભાવ વધે છે, જ્યારે સમસ્યાનું નિર્માણ પણ થાય છે. બાથરુમમાં દુર્ગંધ આવતી ન હોય એનું ધ્યાન રાખો, જ્યારે બની શકે તો ફ્રેશનરનો ઉપયોગ કરો.
બેડરુમથી બાથરુમ એટેચ હોય તો સૂતી વખતે માથું બાથરુમની દિશામાં ન હોવું જોઈએ. જો પતિ-પત્નીના બેડરુમમાં આવી હાલત હોય તો તેમની વચ્ચે ઝઘડો થઈ શકે છે. ઉપરાંત, લિવિંગ રુમથી એટેચ્ડ બાથરુમ હોય તો બાથરુમનો કલર હળવા રંગનો રાખો, જેમ કે આસમાની અથવા ક્રીમ કલર. બાથરુમની ટાઈલ્સ પણ હળવા રંગની રાખો. એના સિવાય બાથરુમમાં કાળા રંગની ટાઈલ્સ લગાવવાનું પણ ટાળો. છેલ્લી મહત્ત્વની વાત બાથરુમમાં નળમાંથી પાણી લીક થતું હોય તો તેની તમારા આરોગ્ય પર નકારાત્મક સર પડે છે, તેને શક્ય એટલા વહેલા ઠીક કરવાનું જરુરી છે.