અમેરિકાએ ચીન પર કૂલ 145 ટકાનો ટેરિફ ઝિંક્યો, ભારતને જુલાઈ સુધી રાહત
વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારત પર 26 ટકા એડિશનલ ટેરિફ મુલતવી રાખી છે અને એના અંગે વ્હાઈટ હાઉસ તરફથી સ્પષ્ટતા કરી છે ભારત પર આગામી 90 દિવસ માટે સ્થગિત કરી છે. આ ટેરિફ નવમી જુલાઈ 2025 સુધી લાગુ થશે નહીં, જ્યારે બીજી બાજુ ચીન પર કૂલ 145 ટકા ટેરિફ લેવાની જાહેરાત કરી છે. બીજી એપ્રિલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 60 દેશમાંથ આવનારા માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી, જેમાં ચીન, ભારત, વિયેટનામ અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ નિર્ણય અન્વયે ભારત પર પણ 26 ટકા ટેરિફ લગાવી હતી.જેનો ઉદ્દેશ અમેરિકાને વેપારમાં થનારા નુકસાનથી બચાવવાનો અને ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહનનો છે.
નવમી જુલાઈ સુધી આ ટેરિફ મુલતવી રાખવામાં આવી છે. હવે ભવિષ્યમાં એ જોવાનું રહેશે કે ભારત અને અમેરિકા વચ્ચે આગામી 90 દિવસમાં કેવી વાતચીત રહેશે. જો સમજૂતી થઈ તો ટેરિફ સંપૂર્ણ પણ હટાવી દેવામાં આવશે. આમ છતાં જો કોઈ કરાર નહીં થયા તો નવમી જુલાઈ પછી આ ટેરિફ લાગુ પડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકારી આદેશમાં જણાવ્યું છે કે જ્યારથી મેં રાષ્ટ્રપતિ તરીકે કાર્યકારી આદેશ 14,257 પર હસ્તાક્ષર કર્યા છે, ત્યારે 75થી વધુ અન્ય વિદેશી વેપારી ભાગીદારોએ અમારા આર્થિક સંબંધોને વેપારમાં પારસ્પારિક અભાવ અને આપણી રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે 75 થી વધુ વિદેશી વેપાર ભાગીદારોએ યુનાઇટેડ સ્ટેટ્સનો સંપર્ક કર્યો છે. નવમી એપ્રિલના જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ દેશોવતીથી બિન-પારસ્પારિક વેપાર વ્યવસ્થાને સુધારવા અને આર્થિક-રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની સાથે પર્યાપ્ત રીતે સહયોગ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
ટેરિફ સ્થગિત કર્યા પછી ટ્રમ્પ પ્રશાસન અલગ અલગ દેશની સાથે ટ્રેડ ડીલ-ડિસ્ક્શન માટે સક્રિય થશે. વ્હાઈટ હાઉસના નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના નિર્દેશક કેવિન હેસેટે કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસનની પાસે પંદરથી વધુ દેશના વાતચીતના પ્રસ્તાવ મળ્યા છે. હેસેટે કહ્યું હતું કે અમારું આગામી સ્ટેપ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શું ઈચ્છે છે એ હશે, જ્યારે ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે કહ્યું હતું કે કોઈ પણ વેપારી સમજૂતી હવે વિશિષ્ટ હશે નહીં કે કોઈ દેશના ગ્રુપની વચ્ચે વ્યાપક સમજૂતી. બીજી બાજુ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે ચીન-હોંગકોંગ સુધી મર્યાદિત રાખીને અમેરિકાએ તમામ પ્રકારની આયાત પર ટેરિફ વધારીને 145 ટકા કરી છે.