June 30, 2025
ધર્મહોમ

Sunday Special: આજે તુલસીદાસ જયંતી, રામચરિત માનસનો પાઠ કરો લાભમાં રહેશો

Spread the love


સનાતન ધર્મને અમર બનાવનારા મહાકવિ ગોસ્વામી તુલસીદાસના જીવનને જાણીએ

God Ram & Tulsidas (pic credit Gyaan ki Pathshala)
તુલસીદાસ જયંતી નિમિત્તે આજના દિવસનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષના સાતમની તિથિના તુલસીદાસનો જન્મ થયો હતો. રામચરિતમાનસ તુલસીદાસની સૌથી મુખ્ય અને લોકપ્રિય કૃતિ માનવામાં આવે છે. તુલસીદાસ જયંતીના દિવસે રામચરિત માનસનું પઠન કરવાનું શુભ માનવામાં આવે છે, તેનાથી ફાયદો થઈ શકે.
તુલસીદાસની 527મી જન્મજયંતી
મહાકવિ અને સંત તુલસીદાસનો જન્મ રવિવારના 11 ઓગસ્ટના મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષના મહાકવિ તુલસીદાસની 527મી જન્મજયંતી છે. આ દિવસના મંદિરમાં અને ઘરોમાં રામચરિત માનસનું પઠન કરવામાં આવે છે. આજનો દિવસ શુભ અને મંગલકારી છે. આજે રામભક્તો પણ વ્રત કરીને પણ ભગવાનને પૂરી શ્રદ્ધા અને ભાવથી યાદ કરવામાં આવે છે. કહેવાય છે કે તુલસીદાસનો જન્મ થયો ત્યારે તેમના મુખમાંથી સૌથી હેલા રામ શબ્દ નીકળ્યો હતો, તેથી પિતાએ તેમનું નામ રામબોલા પણ રાખ્યું હતું. ગોસ્વામી તુલસીદાસે પોતાનું મોટા ભાગનું જીવન વારાણસીમાં વીતાવ્યું હતું.
જાણો શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સાતમની તિથિ આજે આવે છે. સવારના પાંચ વાગ્યાથી 44 મિનિટના શરુ થશે. આ તિથિનું સમાપન 12મી ઓગસ્ટના સાત વાગ્યે 55 મિનિટ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે રામચરિત માનસનું પાઠ કરી શકો છો. આજના દિવસ દરમિયાન તમે ભગવાન શ્રી રામ, ભગવાન હનુમાનજીની પૂજા કરો તો લાભમાં રહો છો.
તુલસીદાસનો જન્મ
કવિવર તુલસીદાસનો જન્મ સન 1532માં ઉત્તર પ્રદેશના રાજપુર (હાલ બાંદાપુર)માં થયો હતો. તુલસીદાસજી દ્વારા લખવામાં આવેલું રામચરિતમાનસ લખીને ભગવાન શ્રીરામના આદર્શો અને તેમની જીવનકથાને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવી હતી. બીજી એક વાર્તા એવી પણ છે કે અંગ્રેજોએ હજારો ભારતીયોને ગુલામ બનાવીને મોરિશિયસ અને સુરીનામ જેવા ટાપુ પર લઈ ગયા હતા. ગ્રામીણ લોકોની પાસે ધર્મના નામ ફક્ત શ્રીરામચરિત માનસની નકલી હતી પણ એના આધારે સનાતન ધર્મને ટકાવી શક્યા હતા. તુલસીદાસજીને ભગવાન રામ, લક્ષ્મણ અને હનુમાનજીના એકસાથે દર્શન થયા હતા.
રામચરિત માનસ અમર થયું
ધાર્મિક સાહિત્યમાં રામચરિત માનસને સૌથી શ્રેષ્ઠ પુસ્તક માનવામાં આવે છે. આ મહાકાવ્યને તુલસીદાસજીએ હંમેશ માટે અમર કર્યું હતું. તુલસીદાસે તેમના જીવનમાં 12 પુસ્તક લખ્યા હતા. આ ઉપરાંત, કૂલ મળીને 22 અલગ અલગ રચના લખી હતી, જેમાં હનુમાન ચાલીસા, ગીતાવલી, દોહાવલી, કવિતાવલી, કૃષ્ણાવલી અને વિનય પત્રિકાનો સમાવેશ થાય છે.
આ બધા પુસ્તકમાં સૌથી વધુ લોકપ્રિય અને લોકમાનસમાં ઘર કરી ગયું એ પુસ્તક રામચરિતમાનસ હતું. એવું પણ કહેવાય છે કે તુલસીદાસજીએ રામચરિતમાનસ અવધી ભાષા (ઉત્તર ભારત)માં લખ્યું હતું. એનાથી મહત્ત્વની વાત તુલસીદાસના રામચરિત માનસને વિશ્વના 100 સર્વશ્રેષ્ટ મહાકાવ્યોમાં 46મું સ્થાન મળ્યું છે. રામચરિત માનસની રચના બનાવીને સમસ્ત આગમ, નિગમ, પુરાણ, ઉપનિષદ વગેરે ગ્રંથોનો સાર હતો અને વૈદિક હિન્દુ સિદ્ધાંતોને સદા માટે અમર બનાવી દીધા. બોલો, જય શ્રીરામ.

(નોંધઃ વૈદિક માન્યતા અનુસાર માહિતી આપી છે, જેને વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!