ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી છે લઈ આવો પ્લાન્ટ અને…
વાસ્તુશાસ્ત્રમાં અમુક પ્લાન્ટ યા છોડને વાવવાનું શુભ માનવામાં આવે છે. પ્લાન્ટ ઘરમાં હોવાથી અનેક સમસ્યામાંથી મુક્તિ પણ મળે છે. પ્લાન્ટ ફક્ત ઘરમાં જ નહીં, પરંતુ તમારા સુખ સંપત્તિમાં પણ વધારો કરે છે. તેથી ખાસ કરીને ઘરની અંદર અમુક પ્લાન્ટ યા છોડ લગાવવાનું કહેવાયું છે. જે ઘર અથવા આસપાસમાં તો છોડ વાવવામાં આવે તો જીવનમાં રગતિ થયા છે. ચો ચાલો જણાવીએ એવા કયા પ્લાન્ટ લગાવશો કે તેના ફાયદો થશે.
મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી ફાયદો થાય છે. જો તમે ના જાણતા હોય તો આ પ્લાન્ટનું જ નામ જ મની છે, તેથી ધન સંબંધિત સમસ્યાને ખતમ કરે છે. જેમ જેમ વૃદ્ધિ થાય છે એ રીતે ધન સમૃદ્ધિમાં વધારો થયો છે. જ્યોતિષમાં પણ કહેવાયું છે કે મની પ્લાન્ટના પાંદદાઓને શુક્ર ગ્રહ માનવામાં આવે છે, તેથી ઘરમાં રાખવાથી ધન-સપંત્તિમાં વધારો થાય છે અને ઘરમાં નવી ઊર્જાનો વધારો થાય છે.
અપરાજિતા પ્લાન્ટઃ અપરાજિતા (બ્લુ કલર)ના પ્લાન્ટને પણ તુલસીના માફક પવિત્ર માનવામાં આવે છે, જ્યારે તેના પાનને પૂર્વ, ઉત્તર, ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવા જોઈએ. આ છોડનો સંબંધ પણ માતા લક્ષ્મી સાથે હોવાનું કહેવાય છે. ઘરમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ થાય અને નોકરી-વ્યવસાયમાં પણ પ્રગતિ થયા છે. ભગવાન વિષ્ણુ અને મહાદેવજીને પણ પ્રિય છે. ઘરમાં રાખવાથી અનાજની કમી રહેતી નથી. ઉપરાંત, પરિવારના સભ્યોનું આરોગ્ય સુખમય બને છે.
ક્રાસુલા મની પ્લાન્ટને પણ શુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે. આ પ્લાન્ટને ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુ રાખવો જોઈએ. એમ કરવાથી તમારા ઘરની આર્થિક પરેશાની દૂર થાય છે. પરિવારના સભ્યોની વચ્ચે પણ સ્નેહમાં વધારો થાય છે, જ્યારે બગડેલા સંબંધો પણ સુધરે છે. ઉપરાંત, તમારી પ્રગતિમાં પણ વધારો થાય છે.
સ્પાઈડર પ્લાન્ટ લગાવોઃ સ્પાઈડર પ્લાન્ટને ઘરમાં રાખવાથી ઘણો ફાયદો થાય છે. ક્રાસુલા મની પ્લાન્ટના માફક ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ઘરમા રાખવાથી આસપાસનું વાતાવરણ પણ પોઝિટિવ બને છે, જ્યારે આરોગ્ય સારું રહે છે. આ છોડને રાખવાથી ઘરમાં અનેક બીમારીને ભગાડે છે, જ્યારે વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચય કરે છે. જો કામના સ્થળે પણ પ્રગતિ ઈચ્છતા હો તો સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી ફાયદો થાય છે.
છેલ્લે વાત કરીએ તો શમીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં રાખવો. એનો છોડ વાવવાનો પણ શુભ પ્રતિક છે. તેને કારણે શનિના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. શમીનો પ્લાન્ટ રાખવાથી ભગવાન શિવની કૃપા થાય છે અને ધન-વૈભવમાં વધારો થાય છે. ઘરમાં આ છોડ લાવવાથી પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે પ્રેમ-આદર વધે છે અને પ્રગતિ પણ થાય છે.