BCCIના નિયમનો ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કર્યો વિરોધ, પત્નીએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એકદમ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ કપલમાંથી એક છે. બંને જણ એકબીજાને સપોર્ટ કરવામાં, મોટિવેટ કરવામાં કે પ્રેમ વરસાવવામાં જરાય પાછા વળીને જોતા નથી. હાલમાં આ કપલ બીજા જ કારણસર ચર્ચામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આ કારણ-
વાત જાણે એમ છે કે બીસીસીઆઈ દ્વારા હાલમાં જ ખેલાડીઓના ફેમિલી ટાઈમ લિમિટ લાગુ કરતાં એક નવો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમના વિરોધમાં જ વિરાટ કોહલીએ પોતાની વાત રજૂ કરી હતી અને હવે પત્ની અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. જેને કારણે આ કપલ લાઈમલાઈટમાં આવ્યું છે.
વિરાટ કોહલીના સ્ટેટમેન્ટ બાદ સોમવારે અનુષ્કા શર્માએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે લોકોના મગજમાં માણસનું એક અલગ વર્ઝન હોવાની વાત લખી છે. અનુષ્કાએ જણાવ્યું છે કે જે પણ તમને જાણે છે ઓળખે છે એમના મનમાં તમારું એક અલગ વર્ઝન હોય છે. જે માણસ તરીકે તમે પોતાની જાતને વિચારો છો એ માત્ર તમારા માટે જ છે અને તમને ખુદને પણ નથી ખબર. જે પણ માણસને તમે મળો છો, જેની સાથે તમે રિલેશનમાં રહ્યા, રસ્તા પર ચાલતા જેમને જુઓ છો, મળો છો એ માટે પોતાના મગજમાં એક વર્ઝન બનાવી લો છો.
અનુષ્કાએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે તમે તમારી માતા, પિતા, ભાઈ-બહેન માટે એ જ સરખા માણસ નથી, જે તમે તમારી સાથે કામ કરનારા, પડોશી કે બહાર મિત્રો સાથે છો. બહાર માટે તમારા હજારો વર્ઝન છે.
અનુષ્કાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે અનુષ્કાની આ સ્ટોરીનો વિરાટના સ્ટેટમેન્ટ સાથે કોઈ સંબંધ નથી તો વળી કેટલાક લોકોનું એવું કહેવું છે કે એક્ટ્રેસ વિરાટને આ પોસ્ટના માધ્યમથી સપોર્ટ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ ખેલાડીઓ માટે સ્ટ્રિક્ટ પોલિસીની જાહેરાત કરી છે અને એ અનુસાર ભારતના જે ખેલાડીઓ 45 દિવસથી વિદેશમાં રહે છે તેમને દરેક સિરીઝમાં એક વખત પાર્ટનર અને બાળકોને મળવાની પરવાનગી મળશે. આ પોલિસીનો વિરોધ કરતાં વિરાટે જણાવ્યું હતું કે તે આ નિયમથી ખૂબ જ નિરાશ છે. એટલું જ નહીં તેણે એવું પણ જણાવ્યું હતું કે લોકો નથી સમજતા કે આ બાબત તમારા જિંદગીમાં કેટલી વેલ્યુ એડ કરે છે.