June 30, 2025
ટોપ ન્યુઝરમત ગમત

ભારતીય ટીમને જીતાડવામાં આ પાંચ સ્ટાર ખેલાડીઓનું રહ્યું મોટું યોગદાન

Spread the love

કાશ્મીરથી લઈને કન્યાકુમારીમાં ભારતની જીતનો મનાવ્યો જશ્ન

Dubai: ટવેન્ટી-20 વર્લ્ડકપ 2024માં બારબાડોઝની ધરતી પર રોહિત એન્ડ કંપનીએ દુબઈમાં ભારતીય તિરંગો લહેરાવ્યો છે. 12 વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ ચેમ્પયિન્સ ટ્રોફી પર કબજો મેળવ્યો છે, પરંતુ ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી હતી. મેચના અંત સુધી ન્યૂ ઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને જોરદાર લડત આપી હતી, પણ ટીમ ઈન્ડિયાના પાંચ સ્ટાર ખેલાડીએ ન્યૂ ઝીલેન્ડની જીતની બાજી હારમાં પલટી હતી. ભારતની જીતનું કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગુજરાત, મહારાષ્ટ્રમાં જોરદાર સેલિબ્રેશન કર્યું હતું. ભારતની જીત પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા પાઠવી હતી.

સ્પિનર્સે ન્યૂ ઝીલેન્ડની કમર ભાગી નાખી
ન્યૂ ઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 50 ઓવરમાં 251 રનના મર્યાદિત સ્કોર માટે ભારતના સ્પિનરનું મહત્ત્વનું યોગદાન હતું. વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે મળીને ટોપ ઓર્ડરને પેવેલિયન ભેગા કર્યાં હતા. વરુણ ચક્રવર્તીએ વિલ યંગ અને ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યાં હતા, જ્યારે કુલદીપે રચિન રવિન્દ્ર અને કેન વિલિયમ્સને આઉટ કર્યા હતા. નવા સ્પેલમાં રવિન્દ્ર જાડેજાએ ટોમ લાથમને આઉટ કરીને પાંચ સ્ટાર ખેલાડીને પેવેલિયન ભેગા કરવામાં સફળ રહ્યા હતા. મોહમ્મદ શામીએ ડેરિલ મિશેલની વિકેટ ઝડપી હતી, જ્યારે સેંટનરને વિરાટ કોહલીએ રન આઉટ કર્યો હતો. કિવિઓએ ભારતને જીતવા માટે સાત વિકેટે 50 ઓવરમાં 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રોહિત શર્માની બેટિંગ કિવિઓની ચિંતા વધારી
252 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા આવેલી ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ શરુઆતથી આક્રમક બેટિંગ કરી હતી. 83 બોલમાં ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે 83 રન બનાવીને ન્યૂ ઝીલેન્ડ ચિંતા વધારી હતી. બીજી વિરાટ કોહલી અને શુભમન ગિલની વિકેટે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી હતી, પરંતુ મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરે આક્રમક બેટિંગથી ભારતની જીત નક્કી કરવામાં યોગદાન આપ્યું, ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને રાહુલે ટીમ ઈન્ડિયાને જીત નજીક લઈ જવામાં પ્રદાન કર્યું હતું. હાર્દિકે વિકેટ ગુમાવ્યા પછી પણ રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ભાગીદારીમાં ભારતને મેચ જીતાડ્યા હતા. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ રમવામાં આવેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન બહાર ફેંકાયા પછી ફાઈનલ પણ પાકિસ્તાનના બદલે યુએઈ-દુબઈમાં રમાવવાનું નક્કી હતું. ભારતની જીત પછી રોહિત શર્માએ નિવૃત્તિની અટકળોને ફગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!